Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવતા એક વર્ષ સુધી તો હેરાફેરી 3 નથી જ બનવાની : અક્ષય કુમાર

આવતા એક વર્ષ સુધી તો હેરાફેરી 3 નથી જ બનવાની : અક્ષય કુમાર

Published : 19 April, 2026 11:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ત્રિપુટી જોવા મળવાની હતી. જોકે ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.

અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી

અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી


સુપરહિટ કૉમેડી ફ્રૅન્ચાઇઝ ‘હેરાફેરી’નો ત્રીજા ભાગ ‘હેરાફેરી 3’ માટે ફૅન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ત્રિપુટી જોવા મળવાની હતી. જોકે ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. પહેલાં પરેશ રાવલે અચાનક પ્રોજેક્ટ છોડવાની જાહેરાત કરતાં વિવાદ થયો હતો. જોકે એનો ઉકેલ પણ આવી ગયો હતો. આ પછી ફિલ્મ કૉપીરાઇટ મુદ્દાને લઈને પણ કાનૂની સકંજામાં ફસાઈ ગઈ હતી જેના કારણે પ્રોજેક્ટ લાંબા સમયથી અટક્યો છે. હવે ફિલ્મના લીડ ઍક્ટર અક્ષય કુમારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ‘આ ફિલ્મ આગામી એક વર્ષ સુધી શરૂ થવાની સંભાવના નથી. ઘણા મુદ્દાઓ અને ઍગ્રીમેન્ટ્સને કારણે પ્રોજેક્ટ વારંવાર પાછળ ધકેલાઈ રહ્યો છે. જોકે ત્રણેય અભિનેતાઓ વચ્ચે કોઈ સમસ્યા નથી અને અમે સાથે કામ કરી જ રહ્યા છીએ. કેટલીક બાબતો એવી છે જે હું કૅમેરા સામે કહી શકતો નથી. જોકે મને વિશ્વાસ છે કે યોગ્ય સમય આવતાં ફિલ્મ ચોક્કસ બનશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK