‘ગોરખા’ એક ઐતિહાસિક યોદ્ધા મેજર જનરલ ઇઆન કાર્ડોઝોના જીવન પર આધારિત છે. આવા આદર્શ વ્યક્તિનું પાત્ર ભજવવા માટે અને આ સ્પેશ્યલ ફિલ્મને બનાવવા માટે સન્માન અનુભવી રહ્યો છું.’
‘ગોરખા’ લઈને આવ્યો અક્ષયકુમાર
અક્ષયકુમાર આગામી ફિલ્મ ‘ગોરખા’ દ્વારા બહાદુર યોદ્ધાના જીવનને લોકો સુધી પહોંચાડશે. અક્ષયકુમાર સામાજિક મુદ્દાઓને લઈને ફિલ્મો બનાવીને લોકોને સજાગ બનાવે છે. ‘ગોરખા’ને સંજય પૂરણ સિંહ ચૌહાણ ડિરેક્ટ કરશે અને આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘ક્યારેક તમને એવી પ્રેરણાદાયી સ્ટોરી જાણવા મળે છે કે તમે એને બનાવ્યા વગર રહી નથી શકતા. ‘ગોરખા’ એક ઐતિહાસિક યોદ્ધા મેજર જનરલ ઇઆન કાર્ડોઝોના જીવન પર આધારિત છે. આવા આદર્શ વ્યક્તિનું પાત્ર ભજવવા માટે અને આ સ્પેશ્યલ ફિલ્મને બનાવવા માટે સન્માન અનુભવી રહ્યો છું.’