Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દર રવિવારે જલસાની બહાર ભેગા થતા ફૅન્સને મળવાની પરંપરા તોડી અમિતાભ બચ્ચને

દર રવિવારે જલસાની બહાર ભેગા થતા ફૅન્સને મળવાની પરંપરા તોડી અમિતાભ બચ્ચને

Published : 24 February, 2026 10:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું છે, રવિવારે ફૅન્સને ન મળવાનું કારણ શું છે

અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર

અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર


અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના બંગલા ‘જલસા’ની બહાર ભેગા થતા ફૅન્સને મળે છે. જોકે ગયા રવિવારે અમિતાભને મળવા માટે મોટી સંખ્યામાં પહોંચેલા ચાહકોને તેમની ઝલક જોવા ન મળતાં તેઓ નિરાશ થયા હતા. આ પછી અમિતાભે પોતાના બ્લૉગમાં આ પરંપરા તૂટવાનું કારણ જણાવીને કહ્યું હતું કે તેઓ આ રૂટીનમાંથી થોડા સમય માટે બ્રેક લઈ રહ્યા છે.

રવિવારે ફૅન્સને ન મળવાનું કારણ જણાવતાં અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું છે, ‘કામ સંપૂર્ણ જોશ સાથે ચાલુ છે, પરંતુ એક ‘પણ’ આવી જાય છે અને મારો દિવસ અહીં પૂરો થઈ જાય છે. રવિવારની રજા માણવા માટે સમય જોઈએ. અહીં રવિવાર છે, પરંતુ અફસોસ કે જલસાના ગેટ પર કોઈ નથી. તેથી અહીં આવવાની મુસાફરીની ઊર્જા બચાવો, જલદી જ મુલાકાત થશે.’



નોંધનીય છે કે દર રવિવારે ચાહકો મોટી સંખ્યામાં અમિતાભ બચ્ચનના નિવાસસ્થાનની બહાર તેમની એક ઝલક મેળવવા માટે ભેગા થાય છે અને છેલ્લાં ૪૦થી વધુ વર્ષથી અમિતાભ બચ્ચન તેમને મળે છે. અમિતાભ પણ સોશ્યલ મીડિયામાં ફૅન્સ સાથેની મુલાકાતનો અનુભવ શૅર કરતા રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK