Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહને ઍક્ટિંગનો વારસો મળ્યો છે દાદી ચાંદ બર્ક પાસેથી

રણવીર સિંહને ઍક્ટિંગનો વારસો મળ્યો છે દાદી ચાંદ બર્ક પાસેથી

Published : 25 March, 2026 11:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બહુ ઓછા લોકોને ખબર છે કે રણવીર સિંહની દાદી ચાંદ બર્ક પોતે એક જાણીતાં અભિનેત્રી રહી ચૂક્યાં છે

રણવીર સિંહના દાદી ચાંદ બર્ક

રણવીર સિંહના દાદી ચાંદ બર્ક


રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતા વચ્ચે તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત સામે આવી છે. બહુ ઓછા લોકોને ખબર છે કે રણવીર સિંહની દાદી ચાંદ બર્ક પોતે એક જાણીતાં અભિનેત્રી રહી ચૂક્યાં છે. એવું માનવામાં આવે છે કે રણવીરને ઍક્ટિંગની ટૅલન્ટનો વારસો તેની દાદી પાસેથી જ મળ્યો છે.

ચાંદ બર્કનો જન્મ ૧૯૩૨માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાયલપુર (હાલનું ફૈસલાબાદ)માં થયો હતો. તેઓ એક પંજાબી ક્રિશ્ચિયન પરિવારમાં મોટાં થયાં હતાં. તેમના પરિવારમાં કુલ ૧૨ ભાઈ-બહેન હતાં અને તેમના પપ્પા સ્કૂલમાં હેડમાસ્ટર હતા તેમ જ ઉર્દૂ શાયરી લખતા હતા.



ચાંદ બર્કે ૧૯૪૬માં પંજાબી ફિલ્મોથી પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. તેઓ માત્ર એક સારાં અભિનેત્રી જ નહીં, ઉત્તમ ડાન્સર પણ હતાં જેને કારણે તેમને ‘ડાન્સિંગ લિલી ઑફ પંજાબ’ તરીકે ઓળખવામાં આવતાં હતાં. તેઓ લાહોરમાં બનેલી અનેક ફિલ્મોમાં જોવા મળ્યાં હતાં અને ત્યાર બાદ તેમણે રાજ કપૂરની ફિલ્મ ‘બૂટ પૉલિશ’ દ્વારા બૉલીવુડમાં પણ ઓળખ મેળવી હતી.


ભારત-પાકિસ્તાનના વિભાજન પછી ચાંદ બર્ક મુંબઈમાં સ્થાયી થયાં હતાં. શરૂઆતનાં કેટલાંક વર્ષોમાં તેમની કરીઅર પર અસર પડી અને તેઓ થોડા સમય માટે ગુમનામ રહ્યાં હતાં, પરંતુ બાદમાં ફરી તેમને ઓળખ મળી. ૨૦૦૮ની ૨૮ ડિસેમ્બરે તેમનું અવસાન થયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK