Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નૉન-વેજિટેરિયન ખાતા પરિવારમાં જન્મેલી જેનેલિયા ડિસોઝા હવે બની ગઈ છે વીગન

નૉન-વેજિટેરિયન ખાતા પરિવારમાં જન્મેલી જેનેલિયા ડિસોઝા હવે બની ગઈ છે વીગન

Published : 30 January, 2026 09:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેનેલિયાએ જણાવ્યું કે ૨૦૨૦માં કોરોનાકાળ દરમ્યાન તે સંપૂર્ણ વીગન બની અને આ નિર્ણયમાં તેના પતિ રિતેશ દેશમુખની પણ મોટી ભૂમિકા હતી

જેનેલિયા ડિસોઝા

જેનેલિયા ડિસોઝા


જેનેલિયા ડિસોઝાનો જન્મ નૉન-વેજિટેરિયન પરિવારમાં થયો હતો. જોકે એ પછી જેનેલિયા પહેલાં શાકાહારી બની અને અત્યારે વીગન એટલે કે કોઈ પણ પ્રાણીજન્ય ઉત્પાદનોનો ઉપયોગ ન કરતી વ્યક્તિ. હાલમાં એક પૉડકાસ્ટમાં જેનેલિયાએ નૉન-વેજિટેરિયન વ્યક્તિમાંથી વીગન બનવાની પોતાની સફર જણાવી.

જેનેલિયાએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ‘મારો ઉછેર નૉન-વેજિટેરિયન પરિવારમાં થયો હતો અને મને શાકાહારી ખોરાક વિશે બહુ ઓછું જ્ઞાન હતું. મારા માટે શાકાહારી ભોજનનો અર્થ માત્ર વટાણા, બટાટા અને પનીર જ હતો. જોકે મેં જ્યારે ધીમે-ધીમે મીટ ખાવાનું ઓછું કર્યું ત્યારે મને શાકાહારી ભોજનની નવી દુનિયા જોવા મળી અને ભોજન પછી શરીર વધુ હળવું લાગતું હતું. હું પ્રાણીપ્રેમી છું પણ મને પહેલાં મીટ ભાવતું. વીગન બનતાં-બનતાં મને સમજાયું કે આ બધું અનેક બાબતો સાથે જોડાયેલું છે. જ્યારે હું મમ્મી બની ત્યારે મને લાગ્યું કે કોઈ પણ જીવને દુઃખ પહોંચાડવું યોગ્ય નથી.’



વાતચીત દરમ્યાન જેનેલિયાએ જણાવ્યું કે ૨૦૨૦માં કોરોનાકાળ દરમ્યાન તે સંપૂર્ણ વીગન બની અને આ નિર્ણયમાં તેના પતિ રિતેશ દેશમુખની પણ મોટી ભૂમિકા હતી. પોતાના આ અનુભવ વિશે જેનેલિયા કહે છે કે રિતેશે ૨૦૧૬માં જ મીટ છોડ્યું હતું અને લૉકડાઉન દરમ્યાન અમે બન્નેએ તમામ પ્રાણીજન્ય પદાર્થ છોડવાનો નિર્ણય કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2026 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK