Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાનકી બોડીવાલાએ ભાવપૂર્વક બાબા મહાકાલનાં દર્શન કર્યાં

જાનકી બોડીવાલાએ ભાવપૂર્વક બાબા મહાકાલનાં દર્શન કર્યાં

Published : 23 April, 2026 11:22 AM | IST | Ujjain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ દર્શન બાદ જાનકી બોડીવાલાએ કહ્યું કે, બાબા મહાકાલનાં દર્શનનો અનુભવ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે

જાનકી બોડીવાલા ગઈ કાલે ઉજ્જૈન પહોંચી હતી

જાનકી બોડીવાલા ગઈ કાલે ઉજ્જૈન પહોંચી હતી


અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’થી હિન્દી સિનેમામાં પગ મૂકનાર મૂળ ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા ગઈ કાલે ઉજ્જૈન પહોંચી હતી અને તેણે વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરનાં દર્શન કર્યાં. જાનકીએ નંદી હૉલમાં બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો અને પૂજન પણ કર્યું. જાનકીએ નંદી મંડપ પાસે બેસીને બાબા મહાકાલનું ધ્યાન કર્યું અને નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના વ્યક્ત કરી હતી.

આ દર્શન બાદ જાનકી બોડીવાલાએ કહ્યું કે ‘બાબા મહાકાલનાં દર્શનનો અનુભવ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે, કારણ કે આ એક આંતરિક આધ્યાત્મિક ભાવના છે. આજે ખૂબ જ સુંદર દર્શન થયાં અને જેણે આ અનુભવ કરાવવામાં મદદ કરી તેનો હું આભાર માનું છું. બાબા પાસે મારી એક જ પ્રાર્થના છે કે તેઓ અમને વારંવાર પોતાનાં દર્શન કરવા બોલાવતા રહે.’


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 11:22 AM IST | Ujjain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK