Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવી રહ્યો છે તાન્હાજીનો બીજો ભાગ?

આવી રહ્યો છે તાન્હાજીનો બીજો ભાગ?

Published : 12 January, 2026 09:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’નું દિગ્દર્શન ઓમ રાઉતે કર્યું હતું

ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’

ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’


અજય દેવગનને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘તાન્હાજી’નાં ૬ વર્ષ પૂર્ણ થતાં અજયે સોશ્યલ મીડિયામાં એક ખાસ પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં અજયે ફિલ્મનાં વિવિધ દૃશ્યોનાં ઑઇલ પેઇન્ટિંગ પોસ્ટર્સ શૅર કર્યાં છે. આ પોસ્ટર્સમાં અજય સાથે કાજોલ, સૈફ અલી ખાન અને શરદ કેલકર પણ નજરે પડે છે. જોકે આ પોસ્ટર્સ કરતાં પણ વધુ ચર્ચામાં અજય દેવગનની કૅપ્શનની થઈ રહી છે. આ પોસ્ટ સાથે અજયે મરાઠીમાં કૅપ્શન લખી છે કે ‘ગડ આલા પણ સિંહ ગેલા... પરંતુ વાર્તા હજી પૂરી થઈ નથી.’

૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’નું દિગ્દર્શન ઓમ રાઉતે કર્યું હતું અને ફિલ્મને અજય દેવગન ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ફિલ્મ ૧૭મી સદીના મરાઠા યોદ્ધા, સુબેદાર તાનાજી માલુસરેના જીવન પર આધારિત છે. હવે અજયની લેટેસ્ટ કૅપ્શન બાદ ફિલ્મના બીજા ભાગને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2026 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK