Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વૈષ્ણોદેવીના આશીર્વાદ લીધા બાદ ભજન ગાયું કપિલ શર્માએ

વૈષ્ણોદેવીના આશીર્વાદ લીધા બાદ ભજન ગાયું કપિલ શર્માએ

17 April, 2024 06:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે હાલમાં નેટફ્લિક્સ પર આવતા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં જોવા મળી રહ્યો છે

કપિલ શર્મા

કપિલ શર્મા


કપિલ શર્મા નવરાત્રિ હોવાથી વૈષ્ણોદેવીના આશીર્વાદ લેવા માટે ગયો હતો. તે હાલમાં નેટફ્લિક્સ પર આવતા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં જોવા મળી રહ્યો છે. તેમના શોને લઈને ઘણી ચર્ચા ચાલી હતી. નવો શો શરૂ થયો છે અને નવરાત્રિ હોવાથી તે વૈષ્ણોદેવીના મંદિરે ગયો હતો, જેનો વિડિયો વાઇરલ થયો છે. તેની સાથે તેની પત્ની ગિની ચતરથ અને બાળકો અનાયરા અને ત્રિશાન પણ હતાં. વૈષ્ણોદેવીના મંદિરમાં કપિલે ‘તુને મુઝે બુલાયા શેરાવાલીએ’ ભજન પણ ગાયું હતું.

એ. આર. રહમાનને કારણે  આખી રાત રડ્યો હતો કપિલ શર્મા?
કપિલ શર્માનું કહેવું છે કે એ. આર. રહમાન સાથે કામ કરવાની તક ચૂકી જતાં તે ખૂબ જ દુખી થઈ ગયો હતો. ઇમ્તિયાઝ અલીની ‘અમર સિંહ ચમકીલા’માં એ. આર. રહમાને મ્યુઝિક આપ્યું હતું, જેમાં દિલજિત દોસંજ હતો. તેઓ હાલમાં જ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં ગયા હતા. આ શોની બિહાઇન્ડ ધ સીન ક્લિપ હાલમાં વાઇરલ થઈ છે. એમાં કપિલ અને ઇમ્તિયાઝ અલી ફિલ્મને લઈને વાત કરી રહ્યા છે. એ દરમ્યાન કપિલે કહ્યું હતું કે તે જ્યારે એ. આર. રહમાનને મળ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે તેમણે ફોન કર્યો હતો, પરંતુ વાત નહોતી થઈ. કપિલને લાગ્યું હતું કે તેમણે ‘અમર સિંહ ચમકીલા’માં ગીત ગાવા માટે ફોન કર્યો હતો. ઇમ્તિયાઝ અલીએ પણ એ વાતમાં હામી ભરી હતી. આથી થોડી મસ્તી કરતાં કપિલ એમ કહેતો સાંભળવા મળે છે કે ‘મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. હું આખી રાત રડ્યો હતો. આ ખૂબ જ દુઃખની વાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2024 06:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK