`અર્થશૉટ પ્રાઈઝ`ની સ્થાપના એચઆરએચ (HRH) પ્રિન્સ વિલિયમ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર પૃથ્વીના રક્ષણ અને સુધારણા માટે સમર્પિત ઉકેલોને પ્રોત્સાહન આપે છે. અગાઉ `અર્થશૉટ પ્રાઈઝ`ના વિજેતાઓ અને ફાઈનલિસ્ટમાં અનેક ભારતીય આવિષ્કારોનો સમાવેશ થયો છે.
કરણ જોહર અને પ્રિન્સ વિલિયમ
ફિલ્મ મેકર કરણ જોહર `અર્થશૉટ પ્રાઈઝ ઍવોર્ડ્સ નાઈટ`નું હોસ્ટિંગ કરવા જઈ રહ્યો છે. તે આ કાર્યક્રમનું સંચાલન કરનાર પ્રથમ ભારતીય કલાકાર બનશે. છઠ્ઠી વાર્ષિક `અર્થશૉટ પ્રાઈઝ ઍવોર્ડ્સ નાઈટ` 17 નવેમ્બર, 2026 ના રોજ મુંબઈમાં યોજાશે. આ પ્રતિષ્ઠિત સમારોહ પહેલી વખત ભારતમાં યોજાઈ રહ્યો છે.
કરણ જોહર સમારોહનું સંચાલન કરશે
ADVERTISEMENT
કરણ જોહર લાંબા સમયથી ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટ્રીમિંગની દુનિયામાં સક્રિય છે. ફિલ્મ મેકર તરીકેના તેના કામ ઉપરાંત, તે `કૉફી વિથ કરણ`ના હોસ્ટ તરીકે જાણીતો છે. તેણે `ધ ટ્રેઈટર્સ`ના ભારતીય એડપ્ટેશનનું પણ સંચાલન કર્યું છે. હવે તે મુંબઈમાં `અર્થશૉટ પ્રાઈઝ` સમારોહનું સંચાલન કરશે; આ એક એવો કાર્યક્રમ છે જે પર્યાવરણીય ક્ષેત્રે કામ કરતા ઇનોવેટર્સનું સન્માન કરે છે અને તેમના ઉકેલોને માન્યતા આપે છે. કરણ જોહરે કહ્યું, "અર્થશૉટ પ્રાઈઝ ઍવોર્ડ્સ નાઈટને હોસ્ટ કરનાર પ્રથમ ભારતીય બનવું મારા માટે ખૂબ ગર્વની વાત છે. મુંબઈમાં આ જવાબદારી નિભાવવી મારા માટે તેને વધુ વિશેષ બનાવે છે. સિનેમામાં, આપણે નવી દુનિયાની કલ્પના કરીએ છીએ. અર્થશૉટ દ્વારા સન્માનિત કરાયેલા ઇનોવેટર્સ એક બહેતર દુનિયા બનાવવા માટે કામ કરી રહ્યા છે. આ જ બાબત એચઆરએચ (HRH) પ્રિન્સ વિલિયમના વિઝનને ખૂબ વિશેષ બનાવે છે; તે આપણને માત્ર આશા જ નહીં, પરંતુ અમલમાં મૂકી શકાય તેવા વિચારો પણ આપે છે. તે ભવિષ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે ભારત પાસે ક્રિએટિવિટી અને મહત્વાકાંક્ષા છે. મુંબઈમાં વિશ્વનું સ્વાગત કરતા અને આ અસાધારણ વ્યક્તિઓને માન્યતા આપવામાં યોગદાન આપતા મને ગર્વ થાય છે."
મુંબઈમાં પ્રથમ વખત સમારોહ યોજાશે
View this post on Instagram
`અર્થશૉટ પ્રાઈઝ`ની સ્થાપના એચઆરએચ (HRH) પ્રિન્સ વિલિયમ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર પૃથ્વીના રક્ષણ અને સુધારણા માટે સમર્પિત ઉકેલોને પ્રોત્સાહન આપે છે. અગાઉ `અર્થશૉટ પ્રાઈઝ`ના વિજેતાઓ અને ફાઈનલિસ્ટમાં અનેક ભારતીય આવિષ્કારોનો સમાવેશ થયો છે. `અર્થશૉટ પ્રાઈઝ`ના સ્થાપક અને પ્રમુખ પ્રિન્સ વિલિયમે કહ્યું, "દર વર્ષે, અમારા ફાઈનલિસ્ટ મને નવી આશા આપે છે. તેઓ દર્શાવે છે કે, પર્યાવરણીય પડકારોની ગંભીરતા હોવા છતાં, વિશ્વભરમાં એવા લોકો છે જે સાબિત કરી રહ્યા છે કે પ્રગતિ શક્ય છે. ઉકેલોને અમલમાં આવતા જોઈને આપણને બધાને આગળ વધવાનો આત્મવિશ્વાસ મળે છે. જ્યારે તેઓ સફળ થાય છે, ત્યારે તેઓ અન્ય લોકોને પ્રેરણા આપે છે અને પરિવર્તનને વેગ આપે છે. મને આ 15 ફાઈનલિસ્ટનું `અર્થશૉટ પ્રાઈઝ` સમુદાયમાં સ્વાગત કરતા ગર્વ થાય છે અને હું આ નવેમ્બરમાં મુંબઈમાં તેમની વાર્તાઓની ઉજવણી કરવા આતુર છું."
15 ફાઇનલિસ્ટ અને પાંચ વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે
`અર્થશૉટ પ્રાઇઝ સમિટ` બે દિવસ સુધી ચાલશે, જેમાં પર્યાવરણીય ઉકેલો માટે સહયોગ અને સમર્થનને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવા માટે વિશ્વભરના લીડર્સ, સંશોધકો, ફાયનાન્સર, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને સમુદાયો એકત્રિત થશે. આ સમિટ બાદ, 17 નવેમ્બર 2026 ના રોજ છઠ્ઠો `અર્થશૉટ પ્રાઇઝ ઍવોર્ડ્સ નાઇટ` કાર્યક્રમ યોજાશે. આ સમારોહમાં 15 ફાઇનલિસ્ટનું સન્માન કરવામાં આવશે અને વર્ષ 2026 ના પાંચ વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. દરેક વિજેતાને તેમના ઉકેલના વ્યાપને વધારવા અને તેની અસરને વધુ પ્રભાવશાળી બનાવવા માટે 1 મિલિયન પાઉન્ડની રકમ આપવામાં આવશે.
