મૃણાલ ઠાકુરે કહ્યું કે ઍક્ટરના કારણે જ તેને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી..
મૃણાલ ઠાકુર
ઍક્ટ્રેસ મૃણાલ ઠાકુર વર્ષોથી રણવીર સિંહની મોટી ચાહક છે અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ની જબરદસ્ત સફળતાથી ખૂબ ખુશ છે. મૃણાલ તો રણવીરને પોતાનો લકી ચાર્મ માને છે. પોતાની આ લાગણી જણાવતાં મૃણાલે કહ્યું હતું કે ‘રણવીર સિંહના કારણે જ મને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી. મેં એક હેર-બ્રૅન્ડ માટે રણવીર સાથે જાહેરાત કરી હતી અને એ પછી જ ફિલ્મમેકર્સે મને નોટિસ કરવાનું શરૂ કર્યું હતું. આ ઍડ મારી કરીઅર માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ અને એની ક્રેડિટ હું રણવીને આપું છું. એ મારો લકી ચાર્મ છે અને ખૂબ જ પૉઝિટિવ વ્યક્તિ છે. હું તેને સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.’
