Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયે ધાર્યું હોત તો પબ્લિસિટી માટે ધુરંધરની સફળતા માટે લાખો ઇન્ટરવ્યુ આપી શક્યો હોત

અક્ષયે ધાર્યું હોત તો પબ્લિસિટી માટે ધુરંધરની સફળતા માટે લાખો ઇન્ટરવ્યુ આપી શક્યો હોત

Published : 23 December, 2025 09:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર. માધવને અક્ષયની માનસિકતા વિશે કહ્યું કે તેના માટે સફળતા અને નિષ્ફળતા બન્ને એકસમાન છે

આર. માધવન

આર. માધવન


‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સફળ સાબિત થઈ છે ત્યારે આ ફિલ્મમાં સૌથી વધારે ધ્યાન અક્ષય ખન્નાની ઍક્ટિંગે ખેંચ્યું છે. આ ફિલ્મની સફળતા વચ્ચે એવી ચર્ચા પણ સામે આવી રહી હતી કે અક્ષય ખન્નાને મળતી સ્પૉટલાઇટને કારણે આર. માધવન પોતાને સાઇડલાઇન થયેલો અનુભવે છે. હવે આ ચર્ચા પર આર. માધવને પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે તે અક્ષયને મળેલી સફળતા માટે ખૂબ ખુશ છે.

હાલમાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે આર. માધવનને પૂછવામાં આવ્યું કે ‘ધુરંધર’માં અક્ષય ખન્નાને મળી રહેલી હાઇલાઇટથી શું તે અપસેટ છે? ત્યારે જવાબ આપતાં આર. માધવને કહ્યું કે ‘બિલ્કુલ નહીં. હું અક્ષય માટે ખુશ છું. તેને તેના હકની પ્રશંસા મળી રહી છે. તે બહુ જ ટૅલન્ટેડ ઍક્ટર છે અને જમીન સાથે જોડાયેલો છે. આ સફળતા પછી તે લાખો ઇન્ટરવ્યુ આપી શકતો હતો, પરંતુ તે પોતાના નવા ઘરમાં શાંતિથી બેઠો છે અને એ શાંતિનો આનંદ લઈ રહ્યો છે. શાંતિ હંમેશાં તેની પ્રાયોરિટી રહી છે. સાચું કહું તો મને લાગતું હતું કે પબ્લિક અટેન્શનના મામલે હું સૌથી ઓછો લાઇમલાઇટમાં રહું છું, પરંતુ અક્ષય ખન્ના તો એકદમ અલગ જ લેવલ પર છે. તેને કોઈ ફરક પડતો નથી. સફળતા હોય કે નિષ્ફળતા... બન્ને તેના માટે એકસરખી છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2025 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK