Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દેશભક્તિ કોઈ ફૉર્મ્યુલા નથી : વિકી કૌશલ

દેશભક્તિ કોઈ ફૉર્મ્યુલા નથી : વિકી કૌશલ

Published : 23 December, 2025 10:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છાવા અને ધુરંધરની સફળતા પાછળ એક ખાસ ફૉર્મ્યુલા હોવાની દલીલ કરતા લોકોને વિકી કૌશલનો સ્પષ્ટ જવાબ

વિકી કૌશલની ફાઇલ તસવીર

વિકી કૌશલની ફાઇલ તસવીર


૨૦૨૫માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ‘છાવા’ અને ‘ધુરંધર’નો સમાવેશ થાય છે. તાજેતરમાં અભિનેતા વિકી કૌશલે આ બન્ને ફિલ્મોની સફળતા વિશે વાત કરી હતી.  કેટલાક લોકો માને છે કે આ ફિલ્મોની સફળતા પાછળ દેશભક્તિની કોઈ ખાસ ફૉર્મ્યુલા જવાબદાર છે અને દેશભક્તિ હવે બૉક્સ-ઑફિસ પર મોટી કમાણીની ફૉર્મ્યુલા બની રહી છે. જોકે આ મામલે વિકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું લોકોની આ માન્યતાથી સંપૂર્ણપણે અસહમત છું.

વિકીએ ‘છાવા’ અને ‘ધુરંધર’ વિશે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું, ‘મને લાગે છે કે દેશભક્તિ કોઈ ફૉર્મ્યુલા નથી બની શકતી અને એને ફૉર્મ્યુલા કહેવી આ ભાવનાનું અપમાન છે. દેશભક્તિ આપણી હકીકત છે જેને અમે અમારી ફિલ્મો, સાહિત્ય અને રમતો દ્વારા દર્શાવતા રહીશું. આ એ રીત છે જેના માધ્યમથી અમે કહી શકીએ છીએ કે અમને અમારા દેશની વિવિધતા, વારસા અને સત્ય પર ગર્વ છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2025 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK