Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઈદની શુભેચ્છા આપવા આવેલા રાજ ઠાકરેને વળાવવા માટે ખુલ્લા પગે ઘરની બહાર આવી ગયો આમિર ખાન

ઈદની શુભેચ્છા આપવા આવેલા રાજ ઠાકરેને વળાવવા માટે ખુલ્લા પગે ઘરની બહાર આવી ગયો આમિર ખાન

Published : 22 March, 2026 10:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સફેદ કુરતા-પાયજામામાં આમિરનો આ સાદગીભર્યો અંદાજ તેના ફૅન્સને ખૂબ જ ગમ્યો છે.

ઈદની શુભેચ્છા આપવા આવેલા રાજ ઠાકરેને વળાવવા માટે ખુલ્લા પગે ઘરની બહાર આવી ગયો આમિર ખાન

ઈદની શુભેચ્છા આપવા આવેલા રાજ ઠાકરેને વળાવવા માટે ખુલ્લા પગે ઘરની બહાર આવી ગયો આમિર ખાન


ગઈ કાલે ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ  પ્રસંગે આમિર ખાનના ઘરે ખુશીની રોનક જોવા મળી હતી. ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે અનેક ફિલ્મી હસ્તીઓ અને ખાસ મહેમાનો આમિરના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. આ દરમ્યાન રાજ ઠાકરે પણ પોતાના પરિવાર સાથે આમિરને ઈદની શુભેચ્છા પાઠવવા તેના ઘરે ગયા હતા. રાજ ઠાકરે અને આમિરનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં રાજ ઠાકરે અને આમિર એકબીજાને ગળે મળીને શુભેચ્છા આપતા જોવા મળે છે. આ સિવાય રાજ ઠાકરે જ્યારે વિદાય લે છે ત્યારે આમિર તેને વળાવવા ખુલ્લા પગે ઘરની બહાર સુધી આવે છે. સફેદ કુરતા-પાયજામામાં આમિરનો આ સાદગીભર્યો અંદાજ તેના ફૅન્સને ખૂબ જ ગમ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK