Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પંકજ ધીરના પરિવારે દિવંગત ઍક્ટર માટે હૃષીકેશમાં કરી શાંતિ-પ્રાર્થના

પંકજ ધીરના પરિવારે દિવંગત ઍક્ટર માટે હૃષીકેશમાં કરી શાંતિ-પ્રાર્થના

Published : 26 October, 2025 10:58 AM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંકજ ધીર આ આશ્રમ સાથે ગાઢ જોડાણ અનુભવતા હતા અને તેમને અહીં ભારે શાંતિનો અનુભવ થતો હતો.

પંકજ ધીરનું ૬૮ વર્ષની વયે કૅન્સર સામેની લડાઈમાં ૧૫ ઑક્ટોબરે અવસાન થયું હતું.

પંકજ ધીરનું ૬૮ વર્ષની વયે કૅન્સર સામેની લડાઈમાં ૧૫ ઑક્ટોબરે અવસાન થયું હતું.


બી. આર. ચોપડાની ‘મહાભારત’માં કર્ણ તરીકે લોકપ્રિયતા મેળવનાર પંકજ ધીરનું ૬૮ વર્ષની વયે કૅન્સર સામેની લડાઈમાં ૧૫ ઑક્ટોબરે અવસાન થયું હતું. હવે પરિવારે તેમના આત્માની શાંતિ માટે હૃષીકેશના પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રદ્ધાંજલિ આપી હતી. પંકજનો દીકરો નિકિતિન ધીર, પત્ની અનીતા ધીર અને પરિવારના અન્ય સભ્યો હૃષીકેશ પહોંચીને આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળ્યાં હતાં. અહીં તેમણે શાંતિ-પ્રાર્થના કરી હતી અને ગંગા-આરતીમાં પણ ભાગ લીધો હતો. પરિવારે આપેલી માહિતી પ્રમાણે પંકજ ધીર આ આશ્રમ સાથે ગાઢ જોડાણ અનુભવતા હતા અને તેમને અહીં ભારે શાંતિનો અનુભવ થતો હતો. 

પંકજ ધીરના પરિવારે લીધેલી મુલાકાત વિશે વાત કરતાં સ્વામી ચિદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે ‘પંકજ ધીરે ‘મહાભારત’માં કર્ણના રૂપમાં યાદગાર પાત્ર ભજવ્યું હતું. જ્યારે પણ તેઓ પોતાના પરિવાર સાથે અહીં આવતા ત્યારે ગંગા ઘાટ પર ઘણો વખત વિતાવતા હતા. હવે તેમનો પરિવાર ફરી આવ્યો છે અને ઘાટ પર શાંતિ-પ્રાર્થના કરી છે. તેઓ ભારે મનથી આંખોમાં આંસુ લઈને આવ્યા હતા, પરંતુ અહીંથી હિંમત લઈને ગયા છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2025 10:58 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK