ગણપતિની ઉજવણીના અનેક વીડિયો વાયરલ થયા બાદ વિવાદ શરૂ થયો. એક વીડિયોમાં, અલી ચૂપચાપ ઊભો જોવા મળ્યો જ્યારે જાસ્મીન અને અન્ય લોકો "ગણપતિ બાપ્પા મોર્યા" ના નારા લગાવી રહ્યા હતા અને આરતી દરમિયાન ભક્તિમાં લીન હતા. જાસ્મીને અલીને આવું કરવા માટે કહ્યું.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
મુંબઈ સહિત દેશભરમાં ગણપતિ ઉજવણી થયા બાદ ગઈ કાલે બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું છે. દરમિયાન અનેક સેલેબ્સે પણ તેમના ઘરે બાપ્પાની સ્થાપના કરી હતી અને તેમના આરતી કરવાના વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતા. દરમિયાન એક સેલેબ્સ તેને લઈને કેટલાક ખોટા કારણને લીધે ચર્ચામાં આવ્યો હતો, જોકે તેણે આ અંગે આપેલા નિવેદનથી પણ તેની ટીકા થઈ રહી છે. ગર્લફ્રેન્ડ, અભિનેત્રી જાસ્મીન ભસીન સાથે "ગણપતિ બાપ્પા મોર્યા" ના નારા ન લગાવવા બદલ ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કર્યા બાદ અભિનેતા અને બિગ બૉસના ભૂતપૂર્વ સ્પર્ધક અલી ગોનીએ પોતાનું મૌન તોડ્યું છે.
Jasmine is asking Aly to chant with them but he is not doing so
— Hindutva Vigilant (@VigilntHindutva) September 2, 2025
As I always say, secularism is one sided. pic.twitter.com/IkCmhh28Bw
ADVERTISEMENT
તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન, અલી ગોનીએ કહ્યું હતું કે તેનું મૌન ઇરાદાપૂર્વકનું નહોતું પરંતુ મૂંઝવણ અને ધાર્મિક સીમાઓ પ્રત્યેના આદરથી ઉદ્ભવ્યું હતું. "મને ખ્યાલ પણ નહોતો. હું મારા વિચારોમાં ખોવાઈ ગયો હતો. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આવું કંઈક આટલો મોટો મુદ્દો ઊભું કરી શકે છે. ગણપતિ ઉજવણીમાં હાજરી આપવાનો આ મારો પહેલો પ્રસંગ હતો... હું સામાન્ય રીતે જતો નથી. મને ખબર નહોતી કે મારે ત્યાં શું કરવાનું છે, અને મને હંમેશા ચિંતા રહે છે કે હું અજાણતાં કંઈક ખોટું કરી શકું છું," અલીએ કહ્યું. તેણે ઉમેર્યું, "મારા ધર્મમાં તે માન્ય નથી, અમે પૂજા કરતાં નથી. આપણી એક માન્યતા છે, આપણે નમાઝ પઢીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અને આપણે બધા ધર્મોનો આદર કરીએ છીએ. કુરાનમાં લખેલું છે કે આપણે બધાનો આદર કરવો જોઈએ, અને હું કરું છું."
વિવાદ હતો વિવાદ?
ગણપતિની ઉજવણીના અનેક વીડિયો વાયરલ થયા બાદ વિવાદ શરૂ થયો. એક વીડિયોમાં, અલી ચૂપચાપ ઊભો જોવા મળ્યો જ્યારે જાસ્મીન અને અન્ય લોકો "ગણપતિ બાપ્પા મોર્યા" ના નારા લગાવી રહ્યા હતા અને આરતી દરમિયાન ભક્તિમાં લીન હતા. જાસ્મીન દ્વારા અલીને આવું કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હોવા છતાં, તેણે ટાળ્યું.
Another video of Aly Goni where everyone is saying `Ganpati Bappa Morya`, but he is silent https://t.co/R4MD3idAQ8 pic.twitter.com/BNbU7v0ecG
— Hindutva Vigilant (@VigilntHindutva) September 2, 2025
બીજા એક વીડિયોમાં, પરંપરાગત પોશાક પહેરેલા અલી, જાસ્મીન અને અભિનેત્રી નિયા શર્મા સાથે પાપારાઝી માટે પોઝ આપ્યો. જ્યારે ફોટોગ્રાફરોએ "ગણપતિ બાપ્પા" ના નારા લગાવ્યા, ત્યારે ભીડે "મોર્યા" સાથે જવાબ આપ્યો, પરંતુ અલી ફરી એકવાર મૌન રહ્યો. આ ક્ષણો ઝડપથી સોશિયલ મીડિયામાં શૅર થઈ ગઈ. કેટલાક યુઝર્સે અલીની ટીકા કરી, પ્રશ્ન કર્યો કે જો તે મંત્રોચ્ચાર કરવા માગતો ન હતો તો તે ઉત્સવમાં કેમ હાજરી આપી. જોકે, અન્ય લોકોએ તેનો બચાવ કરતા કહ્યું કે મુસ્લિમ તરીકે, તે તેની વ્યક્તિગત પસંદગી હતી અને તેણે ફક્ત હાજર રહીને આદર દર્શાવ્યો હતો. વિવાદ અને ચર્ચા વચ્ચે, અભિનેત્રી નિયા શર્માએ અલી માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો, અને ટ્રોલિંગને અન્યાયી અને બિનજરૂરી ગણાવ્યું હતું.

