Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અનુજ ‘અનુપમા’ને કહેશે અલવિદા? ગૌરવ ખન્નાએ આખરે તોડી ચુપકીદી

અનુજ ‘અનુપમા’ને કહેશે અલવિદા? ગૌરવ ખન્નાએ આખરે તોડી ચુપકીદી

21 April, 2024 05:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Anupamaa Updates: એક તરફ લોકો અનુજ અને અનુપમાને એકસાથે જોવા માટે રાહ જોઈ રહ્યાં છે, તો બીજી તરફ એવા સમાચાર છે કે ગૌરવ ખન્ના શો છોડી રહ્યો છે. હવે જાણો શું છે સત્ય...

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


સ્ટાર પ્લસ (Star Plus) ની સિરિયલ ‘અનુપમા’ (Anupamaa) છેલ્લા ચાર વર્ષથી ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ - ટીઆરપી (Television Rating Point - TRP) લિસ્ટમાં ટોપ પર છે. રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) પછી, જે વ્યક્તિએ આ શો દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે તે છે ગૌરવ ખન્ના (Gaurav Khanna). અનુપમા જોષી (Anupamaa Joshi) અને અનુજ કાપડિયા (Anuj Kapadia) ની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અત્યારે સિરિયલમાં જુદા-જુદા ટ્વિસ્ટ ચાલી રહ્યાં છે તયારે એવી વાત છે કે, અનુજ કાપડિયા એટલે કે, ગૌરવ ખન્ના સિરિયલ છોડીને (Anupamaa Updates) જવાનો છે. ત્યારે એક્ટરે આ વાતે ચુપકીદી તોડીને જવાબ આપ્યો છે.

‘અનુપમા’માં અનુજ અને અનુપમા એટલે કે ગૌરવ ખન્ના અને રુપાલી ગાંગુલીની જોડી લોકો ખુબ પસંદ કરે છે. જ્યારથી ગૌરવ ખન્નાએ અનુજ તરીકે શોમાં પ્રવેશ કર્યો તે ક્ષણથી જ તે શોનો જીવ બની ગયો હતો અને દર્શકોના દિલ જીતી લીધા હતા. અનુપમા અને અનુજની જોડી એટલી પસંદ કરવામાં આવી છે કે દર્શકો તેમને સાથે જોવા માટે ઉત્સુક છે. આ દિવસોમાં શોમાં અનુપમા અને અનુજના અલગ થવાની વાત બતાવવામાં આવી રહી છે. પરંતુ તાજેતરના ટ્રેકને જોતા, તેઓને આશા હતી કે કદાચ તેમની પ્રિય જોડી ફરી એક થઈ જશે. વાસ્તવમાં, શ્રુતિને ગોળી માર્યા પછી, એવું કહેવામાં આવી રહ્યું છે કે કદાચ તેનો ટ્રેક સમાપ્ત થઈ જશે અને અનુપમા ફરીથી અનુજના જીવનમાં પ્રવેશ કરશે (Anupamaa Updates). પરંતુ ગૌરવ ખન્નાના શો છોડવાના સમાચારથી લોકો ખૂબ નારાજ હતા.



ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે ગૌરવ ખન્ના અનુપમા શો છોડી રહ્યા છે. હવે ગૌરવ ખન્નાએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. એક પોર્ટલ સાથે વાતચીત કરતા ગૌરવ ખન્નાએ કહ્યું કે, મને ખબર નથી કે તે ક્યાંથી આવ્યું છે. મને આમાં કોઈ સત્ય દેખાતું નથી, કારણ કે હું મારા શો માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. મને હજુ સુધી આવી કોઈ વાતની ખબર નથી. આ સમાચારનો કોઈ આધાર નથી. આ દિવસોમાં ઘણા નકલી સમાચાર ઓનલાઈન દેખાય છે. હું સમજું છું કે જ્યારે લોકોને શો ગમે છે ત્યારે તેઓના પોતાના મંતવ્યો હોય છે, પરંતુ આ સમાચાર બિલકુલ સાચા નથી.


શો છોડવાની અફવાઓ પર, ગૌરવ ખન્નાએ ચાહકોને સોશ્યલ મીડિયા  (Social Media) પર ફેલાવાતા સમાચારો પર વિશ્વાસ ન કરવાની વિનંતી કરી  છે કારણકે તે આ શો માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે.

જ્યારે અભિનેતાને આગળ પૂછવામાં આવ્યું કે શું આવી અફવાઓ તેના પર અસર કરે છે. આ અંગે ગૌરવ ખન્નાએ કહ્યું કે, તે લાંબા સમયથી ટેલિવિઝન પર છે અને ફેક ન્યૂઝનો સામનો કેવી રીતે કરવો તે જાણે છે. અભિનેતા માને છે કે આવા સમાચાર પર પ્રતિક્રિયા ન આપવી તે વધુ સારું છે. જો કે, આ વખતે અભિનેતાએ અટકળોને સંબોધિત કરી કારણ કે તે ઇન્ટરનેટ પર હવાની જેમ ફેલાય છે.


‘અનુપમા’ દરરોજ દસ વાગે સ્ટાર પ્લસ પર આવે છે અને ડિઝની પ્લસ હૉટસ્ટાર (Disney+ Hotstar) પર સ્ટ્રીમ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

21 April, 2024 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK