Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > લાંબા બ્રેક પછી હસન ઝૈદી હવે ટીવી પર

લાંબા બ્રેક પછી હસન ઝૈદી હવે ટીવી પર

20 July, 2021 04:54 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘ઝિંદગી મેરે ઘર આના’ શોમાં ચાર વર્ષ પછી ઍક્ટર દેખાશે

હસન ઝૈદી

હસન ઝૈદી


ટીવી-શો છોડીને હિન્દી ફિલ્મો તરફ વળી ગયેલો ઍક્ટર હસન ઝૈદી હવે ફરીથી ટીવી પર જોવા મળશે. સ્ટાર ટીવીના નવા શો ‘ઝિંદગી મેરે ઘર આના’ની સ્ટોરીલાઇન સાંભળીને હસને શો કરવા માટે હા પાડી. હસન કહે છે, ‘વાત ફૅમિલીની છે, પણ એમાં એક એવા બાળકની વાત છે જેનો હજી જન્મ નથી થયો. તેને જ ઝિંદગી કહેવામાં આવી છે અને આ જ ઝિંદગીની રાહ જોવામાં આવે છે. રાહ જોવાનું કામ સિરિયલમાં કોઈ એક વ્યક્તિ નથી કરતી, પણ ઘણા લોકો કરે છે. વાત 
મેં સાંભળી ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હું આ શો કરીશ. કમબૅક માટે આનાથી બેસ્ટ શો બીજો કોઈ હોઈ શકે જ નહીં.’
હસન ઝૈદીએ આ શો માટે ૧૪ કિલો વજન ઉતાર્યું હતું. હસન કહે છે, ‘જે પ્રકારનો રોલ છે એ જોતાં મારે માટે એ જરૂરી હતું.’
હસને આ સિરિયલ માટે એક વેબ-સિરીઝ પણ છોડી. હસન કહે છે, ‘એમાં મારે એ જ કરવાનું હતું જે હું કરતો આવ્યો છું, પણ આ સિરિયલમાં મને કશુંક નવું કરવા મળતું હોવાથી મેં એ સ્વીકારી લીધી.’


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2021 04:54 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK