Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઉદિતે કદી ખેતી નથી કરી, પરંતુ ટુવાલમાં ફરવું તેને ગમે છે : કુમાર સાનુ

ઉદિતે કદી ખેતી નથી કરી, પરંતુ ટુવાલમાં ફરવું તેને ગમે છે : કુમાર સાનુ

22 September, 2021 12:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં જ બન્ને ‘ધ કપિલ શર્મા શો’માં આવ્યા હતા

ઉદિત નારાયણ અને કુમાર સાનુ

ઉદિત નારાયણ અને કુમાર સાનુ


ઉદિત નારાયણને આજે પણ ઘરમાં ટુવાલમાં ફરવું ગમે છે એના પર કુમાર સાનુએ ટિખળ કરી હતી. તાજેતરમાં જ તે કુમાર સાનુ સાથે ‘ધ કપિલ શર્મા શો’માં આવ્યો હતો. એ દરમ્યાન તેને પૂછવામાં આવ્યું હતું કે તેના દીકરા આદિત્ય નારાયણનાં લગ્ન શ્વેતા અગરવાલ સાથે થયા બાદ આજે પણ તે ઘરમાં ટુવાલમાં જ ફરે છે? એનો જવાબ આપતાં ઉદિત નારાયણે કહ્યું હતું કે ‘હું આજે પણ ઘરમાં ટુવાલ જ પહેરીને ફરું છું. હું ખેડૂતનો દીકરો છું. આ ટેવ મારામાંથી કદી નહીં જાય.’

ઉદ‌િત નારાયણના આ જવાબ પર રિપ્લાય આપતાં કુમાર સાનુએ કહ્યું હતું કે ‘તે ખેડૂતનો દીકરો છે. તેને કદી પણ ખેતી ખેડતા નથી જોયો, પરંતુ ટુવાલની તેને પૂરી ખાતરી છે.’



યાદ રહે કે ઉદિત અને કુમાર બહુ સારા મિત્રો પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2021 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK