Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું આદરણીય કનુભાઈ સૂચકને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: મુંબઈમાં પોતાના ઘરને `સાહિત્યનો ચોરો` બનાવનાર સાહિત્યપ્રેમી કનુ સૂચક

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક.` આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. આજે આપણે વાત કરવાની છે આદરણીય કનુભાઈ સૂચક અને તેમણે મુંબઈમાં આગળ ધપાવેલી શુદ્ધ સાહિત્યિક સંસ્થા `સાહિત્ય સંસદ, સાંતાક્રુઝ`ની. છેલ્લા ૨૫ વર્ષથી અવિરત ચાલી રહેલી આ સંસ્થાનો ઇતિહાસ, તેની કાર્યપ્રણાલી અને કનુભાઈ સૂચકની નેતૃત્વશક્તિની વાતો, આપણને સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવનારી છે. તો આવો, કનુભાઈએ ખાસ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાગોળેલી વાતોનાં સંસ્મરણોને મમળાવીએ.

19 March, 2025 02:28 IST | Mumbai | Dharmik Parmar
કવિ રિષભ મહેતા

કવિવાર: ભરઉનાળે વરસાદમય કરતી કવિતાઓના સર્જક- રિષભ મહેતા

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. આજે આપણે જે સર્જક સુધી પહોંચવાનું છે તે છે રિષભ મહેતા. ગુજરાતી ગઝલમાં જેણે પરંપરા સાથે આધુનિકતાનો રંગ ઉમેરીને નવા કલ્પનો રજૂ કર્યા. તેમની રચનાઓમાં માનવી સંવેદના, લાગણીઓને બખૂબી રીતે ઝીલવામાં આવી છે. ગઝલોમાં નવા પ્રયોગો પણ જોવા મળે છે.

18 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmar
આજનાં વન્ડર વુમન છે ડૉ. પ્રો. પારુલ શાહ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

કૅન્સર સામે જીત મેળવી 73ની વયે પણ ભરતનાટ્યમ માટે જીવન સમર્પિત કર્યું પારુલ શાહે

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. ભારત તેના સાંસ્કૃતિક વારસા અને  ઇતિહાસ માટે જાણીતો છે. નૃત્યની કલા હોય કે પછી શાસ્ત્રીય ગાયન દરેકની પરંપરાઓ અનેક સદીઓથી ચાલતી આવી રહી છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરાઓ અને કલામાં વ્યવસાયીકરણ આવ્યું છે, ક્યારેક લાગે કે કલા ભૂંસાઈ રહી છે અથવા તો તેમાં માત્ર પ્રયોગાત્મક કામ થાય છે. જો કે સદનસીબે સાવ એવું નથી. ભારતમાં સાત શાસ્ત્રીય નૃત્ય છે અને તેમાં ‘ભરતનાટ્યમ’સૌથી જુનું ગણાય. દેવદાસીની પ્રથામાંથી મંચ સુધી પહોંચેલા આ નૃત્યની સફર કમાલની છે. આમ તો દેશમાં ભરતનાટ્યમના ઘણાં એક્સપોનન્ટ્સ છે, દરેકની આગવી જર્ની પણ છે પણ આજે આપણે વાત કરીશું ડૉ. પારુલ શાહની, જેમણે ભરતનાટ્યમમાં પીએચડી કર્યું, તેનું શિક્ષણ આપ્યું અને આજે રિટાયરમેન્ટને એક દાયકા કરતાં વધુ સમય થયો હોવા છતાં કલા સેવાને અટકાવી નથી. તેમના જીવનમાં કેન્સર જેવો મોટો અવરોધ આવ્યો અને જિંદગીનો તાલ બેતાલો થયો છતાં પણ તેમની હિંમત અને નિશ્ચય શક્તિ લેખે લાગી. તે એક એવાં વન્ડર વુમન છે જેઓ  સતત ‘ભરતનાટ્યમ’સાથે વધુમાં વધુ લોકો સાથે જોડવાનો કાર્યશીલ છે. ગુજરાતના એક અપર મિડલક્લાસ ફૅમિલીમાં જન્મેલા ડૉ. પ્રો. પારુલ શાહ જેઓ 75 ની વયે પણ ફિટ રહેવાની સાથે ભરતનાટ્યમના પ્રશિક્ષણ કલાને આગળ વધારી રહ્યાં છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Viren Chhaya
સંતોષી માતાજીનું મંદિર (ઘાટકોપર, પશ્ચિમ)

આસ્થાનું એડ્રેસ : ઘાટકોપરનાં સંતોષી માતાને રંગો લગાડીને ઊજવાય છે ધૂળેટી

આજે આપણે વાત કરવાના છીએ ઘાટકોપર વેસ્ટમાં સ્થિત સંતોષી માતાનું મંદિરની. વર્ષ ૧૯૭૩ના દિવસે આ મંદિરનો પાયો નખાયો હતો. વળી, આ દિવસે શિવરાત્રીનો પરમ પાવન દિવસ પણ હતો. આજે દવે પરિવારની ચોથી પેઢી માતાજીની પૂજા કરે છે. હાલ સેવા આપતાં જિતેન્દ્ર દવેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલી આ ખાસ માહિતી પ્રસ્તુત છે અહીં.  માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

11 March, 2025 11:57 IST | Mumbai | Dharmik Parmar
કવિ અનિલ જોશી

કવિવાર: સૈ! પાણીમાં ગાંઠ પડી... પાનખર બેઠી... કવિ અનિલ જોશીની આ રચનાઓ વાંચી છે?

તાજેતરમાં જ ભાષાનો એક અનિલ નામનો ટહુકો પીગળી ગયો. જેની ડાળખી સતત ગીતો અને કવિતાઓથી મઘમઘતી રહી એવા અનિલભાઈને આજે તેમની જ રચનાઓ થકી યાદ કરવા છે. મૂળ ગોંડલમાં જન્મ. શિક્ષણ મોરબી અને પછી વાટ પકડી મુંબઈની. મ્યુનિસિપલ કોર્પોરેશનના ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે પણ તેઓએ ફરજ બજાવી. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

05 March, 2025 07:03 IST | Mumbai | Dharmik Parmar
આ કાર્નિવલ 1 માર્ચે શરૂ થયો હતી અને 4 માર્ચ 2025 સુધી ચાર દિવસ શરૂ રહેશે.

ગોવા કાર્નિવલ 2025: દુનિયાભરના પર્યટકોને આકર્ષતા તહેવારની શરૂઆત, જુઓ તસવીરો

ગોવાના સૌથી વધુ રાહ જોવાતા ઉત્સવ, ‘ગોવા કાર્નિવલ 2025’ની ગઈ કાલે માનનીય મુખ્ય પ્રધાન ડૉ. પ્રમોદ સાવંત, પર્યટન મંત્રી રોહન એ. ખાંટે, પર્યટન નિયામક કેદાર નાઈક, જીટીડીસીના મેનેજિંગ ડિરેક્ટર કુલદીપ અરોલકર, પણજીમના મેયર રોહિત મોન્સેરેટ, પણજી કાર્નિવલ સમિતિ અને અભિનેત્રી વર્ષા ઉસગાંવકર દ્વારા એક ભવ્ય સમારોહમાં સત્તાવાર રીતે લીલી ઝંડી બતાવી શરૂઆત કરવામાં આવી હતી. સુપ્રસિદ્ધ રાજા મોમોએ તેમનું પ્રખ્યાત હુકમનામું - "ખાઓ, પીઓ અને આનંદ કરો પરંતુ જવાબદારીપૂર્વક" જાહેર કરીને - ઉજવણી શરૂ કરી.

03 March, 2025 07:07 IST | Panaji | Gujarati Mid-day Online Correspondent
કવિ અનિલ જોશીની તસવીરોનો કૉલાજ

શબ્દની અનેક ઉપમાઓથી નવાજિત અનિલ જોશીને સાહિત્યકારોની શબ્દાંજલિ

કોઈને મન ગુજરાતી કવિઓમાં કરોડરજ્જુ તો કોઈને મન બરફનું પંખી કાવ્યસંગ્રહ લખનાર કવિ તેમના શબ્દે શબ્દે ટહુકશે તો કોઈને તેમના નિધનથી ગુજરાતી ગીત વિશ્વ સૂનું પડી જવાનો આભાસ થઈ આવ્યો એવા જાણીતા ગુજરાતી સાહિત્યકારોએ આજે જ્યારે કવિ, નિબંધકાર અનિલ જોશીને વિદાય આપતાં શબ્દાજંલિ અર્પણ કરી છે. આ દરેક સાહિત્યકારે અનિલ જોશી માટેના પોતાના ભાવ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કર્યા છે તો અહીં જુઓ કવિ અનિલ જોશીની તસવીરો સાથે તેમના વિશેની ભાવાંજલિ....

27 February, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કવિ માધવ રામાનુજ

કવિવાર : જેની અંદર રમે છે શબ્દોનું અજવાળું - કવિ માધવ રામાનુજ

ગુજરાતી કવિતાસર્જનમાં મોખરે રહેલું નામ એટલે માધવ રામાનુજ. પાઠ્યપુસ્તકમાં એમની બે જ પંક્તિઓ `એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…`થી એમની કવિતાના પ્રેમમાં પડનાર હું. ચાલો, આજે એમની કેટલીક કવિતાઓ તરફ અજવાળું કરીએ. આ તો અજવાળાંના કવિ છે. ચોમેર શબ્દોથી જેણે આજવાળાં પાથર્યા છે. તળપદા ગ્રામ્યજીવનને લય આપતા આ કવિની કલમમાં હિલ્લોળા લેતો લય તો છે જ. સંવેદનને વ્યક્ત કરવાની નાજુક પીંછી પણ છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.

26 February, 2025 07:11 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK