Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આજનાં વન્ડર વુમન છે લજ્જા સંભવનાથ. (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Wonder Woman: ભારતીય કળાને વિદેશી સંસ્કૃતિ સાથે જોડી ઇતિહાસ રચ્યો લજ્જા સંભવનાથે

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે લજ્જા સંભવનાથ. લજ્જા સંભવનાથ એક એવાં કલાકાર છે જેમણે માત્ર ભારતમાં જ નહીં પણ પોર્ટુગલની ધરતી પર પણ ભારતીય સંસ્કૃતિ, પરંપરા એવા કથક નૃત્યનો ડંકો વગાડ્યો છે. જાણો તેમના વિશે વિગતે...

10 September, 2025 07:54 IST | Mumbai | Shilpa Bhanushali
આજના કવિવારના એપિસોડમાં કવિ દિલીપ રાવલની રચનાઓ

કવિવાર: એક છોકરો થયો છે સાવ ધેલો - કવિ દિલીપ રાવલ

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. કવિવારની સફરમાં આજે ફરી એકવાર મુંબઈ તરફ આવવું છે. બહુમુખી પ્રતિભા ધરાવતા દિલીપ રાવલની રચનાઓ તરફ જઈએ. છેલ્લાં ત્રીસ વર્ષથી તેઓ સાહિત્ય-સર્જન સાથે જોડાયેલા છે. ગઝલ, ગીતોના સર્જન ઉપરાંત તેઓ ગજબનું સંચાલન પણ કરી જાણે છે.

09 September, 2025 10:48 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં કવયિત્રી હર્ષવી પટેલની રચનાઓ

કવિવાર: કશુંયે દિલથી કહેવું હો, જીભે ગુજરાતી આવે છે- હર્ષવી પટેલ

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. ગાલિબના ઘર બલ્લીમારાંથી નીકળેલી ગુજરાતી ગઝલ બિલ્લીમોરા પાસે પણ આવી છે. આજે કવિવારમાં કવયિત્રી હર્ષવી પટેલની રચનાઓ તરફ જવું છે. તાજેતરમાં જ તેમને શયદા એવોર્ડથી નવાજવામાં આવ્યાં છે. તેમનો તાજેતરમાં જ પ્રકાશિત ગઝલસંગ્રહ `તારી ન હો એ વાતો`માંથી કેટલીક રચનાઓને મળીએ. બાકી, સર્જક તો કહે છે `તમે તમે ન હો તો મને મળી શકો નહીં`

02 September, 2025 07:35 IST | Mumbai | Dharmik Parmar
વારાણસી ઘાટ વચ્ચે શોભતા ગણેશજી

Ganeshotsav 2025: આ બહેને ઘરમાં જ બાપ્પા માટે વારાણસીના ઘાટ બનાવ્યા

Ganeshotsav 2025::પુણેમાં રહેતાં ફાલ્ગુની જાવળે છેલ્લાં સાત-આઠ વરસથી ગણેશ-ડેકોરેશન બનાવે છે. આ વર્ષે તેઓએ સ્વચ્છતા અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીએ વારાણસીના ઘાટનું મિનિએચર તૈયાર કર્યું છે. ફાલ્ગુનીબહેને ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે શેર કરેલી રસપ્રદ માહિતી વાંચો અહીં

01 September, 2025 10:36 IST | Mumbai | Dharmik Parmar
માત્ર ગલી-ગલીમાં જ નહીં ગ્લોબલી છવાયા છે ગણેશ

માત્ર ગલી-ગલીમાં જ નહીં ગ્લોબલી છવાયા છે ગણેશ

લંબોદરની ૭૦૦થી ૧૦૦૦ વર્ષ જૂની મૂર્તિઓની વાત હોય કે અતિપ્રાચીન મંદિરો અને માન્યતાની, સૌથી ઊંચી ગણરાયાની મૂર્તિની વાત હોય કે સૌથી મોટા આરામ ફરમાવતા ગણેશજીની મૂર્તિની, ભારત કરતાં વિશ્વના અન્ય દેશોમાં એની બોલબાલા વધુ છે. સનાતન ધર્મમાં પ્રથમ પૂજનીય ગણાતા ગજાનનનો મહાઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ડોકિયું કરીએ વિશ્વના એવા દેશોમાં જ્યાં વિઘ્નહર્તાની એટલી જ ભક્તિભાવ સાથે પૂજા થાય છે જેટલી આપણે ભારતમાં કરીએ છીએઆખાય વિશ્વમાં ધર્મ અને સંસ્કૃતિની બાબતમાં જેટલી વિવિધતા અને સમૃદ્ધિ ભારતમાં છે એટલી બીજે ક્યાંય નથી. અને એ પણ કેવા-કેવા વિપરીત સંજોગોનો સામનો કરવા છતાં આજ સુધી ન માત્ર ટકી રહી છે ઊલટાની વધુ ને વધુ ફેલાઈ રહી છે, ભારતમાં અને વિદેશોમાં પણ જે આપણા દરેક માટે અત્યંત ગૌરવ લેવા જેવી બાબત છે. શ્રી ગણેશજીના જન્મોત્સવના આ દિવસો દરમિયાન હમણાં કેટલાય એવા દેશો યાદ આવી રહ્યા છે જ્યાં ગણેશજીની પૂજા થાય છે. અને એ દરેક દેશ પાસે પોતાનાં અલગ-અલગ કારણો છે, શ્રીજીની ભક્તિ માટેનાં! પાસપોર્ટ લઈ લો હાથમાં અને વીઝા પણ મેળવી લો સાથમાં, ભરાવો બૅગ બાથમાં કે વિદેશ પ્રવાસ છે ગણેશજીના સાથમાં!મૂલતઃ ભારત સિવાય આપણે સાઉથ-ઈસ્ટ એશિયા તરફ જઈએ અને દક્ષિણ-પૂર્વના કોઈ પણ દેશમાં આંટો મારીએ તો એક યા બીજી રીતે આપણને ગણેશજી ભક્તિભાવપૂર્વક પૂજાતા હોવાના અનેક પુરાવાઓ મળે છે. મને લાગે છે કે એની પાછળનું એક મુખ્ય કારણ આ દેશો સાથે ઇતિહાસના પાને સ્થિત થયેલા ગણેશજી છે. ઇન્ડોનેશિયાથી લઈને થાઇલૅન્ડ, કમ્બોડિયા, જપાન આ દરેક દેશમાં આર્કિયોલૉજિસ્ટ્સને ભૂતકાળમાં ગણેશજી એક પવિત્ર દેવા તરીકે પૂજાતા હોવાના પુરાવા મળ્યા છે. કેટલાક દેશોમાં ગણપતિજીની પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે તો કેટલાક દેશોમાં રાજવીઓનો ઇતિહાસ કહેતા આર્કાઇવ્ઝમાં ગણેશજીનું પૂજન થતું હોવાની વાતોનાં ઉલ્લેખ અને વર્ણન મળ્યાં છે.આ સિવાય આફ્રિકા, અમેરિકા અને યુરોપના અનેક એવા દેશો છે જ્યાં ગણેશજી પૂર્ણ ભાવ અને ભક્તિ સાથે પૂજાય છે. આજે જાણીએ દેશ-વિદેશમાં અલગ-અલગ સ્વરૂપે ભક્તિભાવથી પૂજાતા ગણેશજીની કથાઓ વિશે.

01 September, 2025 06:55 IST | Mumbai | Aashutosh Desai
આજના કવિવારના એપિસોડમાં કવિ કુણાલ શાહની રચનાઓ

કવિવાર: સોડાપણું જ કાયમી રહેવાનું આપણું - કુણાલ શાહ

ગુજરાતી ભાષામાં સર્જન કરવા ઉત્સુક કોઈ નવો ચહેરો દેખાય કે એ ખુશ થવાની બાબત છે. એમાં પણ જ્યારે તે સર્જક સતત ખેડાઈ રહેલા `ગઝલ`નું સ્વરૂપ પકડે છે ત્યારે એની માટે એ જવાબદારી બને છે કે એણે એમાં કશુંક નવતર ઊપજાવવાનું હોય છે. આવા જ નવી પેઢીના અમદાવાદી સર્જક કુણાલ શાહ છે જેમણે ગીત અને ગઝલમાં નવતર મોલ ઉપજાવવામાં સફળતા મેળવી છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

26 August, 2025 10:06 IST | Mumbai | Dharmik Parmar
ગણેશમંદિરો

મહારાષ્ટ્રના અષ્ટવિનાયક વિશે તો જાણતા હશો, મધ્ય પ્રદેશના અષ્ટવિનાયકની માનસયાત્રા

અષ્ટવિનાયકની વાત આવે એટલે મહારાષ્ટ્રનાં ગણેશમંદિરો જ સાંભરે, પરંતુ ભારતનું સેન્ટર ગણાતા રાજ્યમાં પણ ગન્નુબાપ્પાનાં અનેક મંદિરો છે. કેટલાંક પ્રાચીન છે તો કેટલાંક અર્વાચીન છે. એ શૃંખલામાંથી આજે આપણે આઠ મહત્ત્વનાં મંદિરોની, ‘વિંધ્ય ભારતના અષ્ટવિનાયક’ની માનસયાત્રા કરીએ બાપ્પાની સવારી આવી રહી છે... એવો કયો સનાતની હશે જે ગણપતિજીને નહીં માનતો હોય? શૈવપંથી હોય, વૈષ્ણવ હોય, દેવીપૂજક, જૈન, સિખ કે પછી બૌદ્ધધર્મી; શુભ કાર્યોમાં પહેલું સ્મરણ તો દુંદાળા દેવનું જ કરે. અરે, ભારતીયો તો ઠીક વિદેશીઓ પણ આ એલિફન્ટ ગૉડને વિઘ્નહર્તા તેમ જ ગુડ ફૉર્ચ્યુનના દેવ માને છે. ચારે કોર બાપ્પાને આવકારવાનાં પડઘમ વાગી રહ્યાં છે એવા ટાણે આપણે જઈએ મધ્ય પ્રદેશ રાજ્યનાં આઠ ચુનંદા ગણપતિ મંદિરે જે વિશિષ્ટ છે, વિશેષતમ છે. આમ તો અષ્ટવિનાયકની વાત આવે એટલે મહારાષ્ટ્રના અષ્ટવિનાયક સાંભરે, પણ આપણી તીર્થાટન એક્સપ્રેસ ભારતના હૃદયની યાત્રાએ છે એટલે આપણે કરીએ આ રાજ્યનાં ફેમસ ગણેશ મંદિરોની યાત્રા. મહારાષ્ટ્રના અષ્ટવિનાયક ઉજ્જૈનમાં એક જ સંકુલમાં બિરાજે છે ઉજ્જૈન નજીક સન્વાર ખેડી ગામે તાજેતરમાં જ શ્રી અષ્ટવિનાયક મંદિર આકાર પામ્યું છે. આ અર્વાચીન મંદિર ભવ્ય હોવા સાથે સગવડયુક્ત અને બ્યુટિફુલ પણ છે. પાર્કિંગની સુવિધા, સરસ લૅન્ડસ્કેપ, પાર્ક, ફુવારાઓ ધરાવતા આ દેવાલયના દ્વારપાળ જ છે હાથી. બહારથી લાલ પથ્થર અને અંદર ધવલ આરસપહાણમાંથી નિર્મિત આ ટેમ્પલના મુખ્ય દેવ જ ગણપતિ છે. મધ્યમાં જાજરમાન ગણરાયાની આજુબાજુ મહારાષ્ટ્રના અષ્ટવિનાયકની અદ્દલોદ્દલ રેપ્લિકા જેવી જ બાપ્પાની મૂર્તિઓ છે. મંદિરમાં બહુ કોતરણી નથી પણ સિમ્પલ આર્કિટેક્ચર ધરાવતા આ દેવળમાં ચોખ્ખાઈ ભરપૂર છે. ૭ વીઘા જમીન પર ૫૧ કરોડના ખર્ચે બનેલા આ મંદિરનું ઓપનિંગ આ વર્ષે પ મેના જ થયું છે. મહાકાલેશ્વર ધામથી આ ટેમ્પલ ૧૨થી ૧૪ કિલોમીટરના અંતરે છે અને ત્યાંથી અહીં આવવા ટૅક્સી-રિક્ષા મળી રહે છે. પૉઇન્ટ્સ ટુ બી નોટેડ  ખજરાના ગણેશ મંદિર પરિસરમાં ૩૩ દેવી-દેવતાઓ પણ સ્થાપિત છે. આ શુભ્ર મંદિરની ખૂબસૂરતી તો દેખતે હી બનતી હૈ. કહેવાય છે કે દશભુજાધારી ગણપતિબાપ્પાનો ફોટો કે મૂર્તિ મોટી ફૅક્ટરી, વર્કશૉપમાં લગાડવો લાભકારી છે.  મહાદેવના દેરે જેમ તેમની સામે પોઠિયો હોય એમ જબલપુરના સુપ્તેશ્વર ગણેશની સામે હાથ જોડીને ઊભેલા મૂષક મામાની મોટી મૂર્તિ છે. આ મંદિરમાં અન્ય દેવી-દેવતાઓને પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે. ભક્તોની માનતા પૂર્ણ થતાં અહીં તેઓ કિલોના હિસાબે સિંદૂર ચડાવે છે.  મધ્ય પ્રદેશનાં મોટા ભાગનાં મંદિરોમાં ઊંધો સ્વસ્તિક કરવાની પ્રથા છે. ભાવિકો માનતા માનતી વખતે મંદિરની કોઈ દીવાલ પર હિટલરનું આ ચિહન બનાવે છે અને એષણા પૂર્ણ થતાં એ જ મંદિરે જઈ સીધો સ્વસ્તિક (સનાતન ધર્મનું શુભ ચિહન) બનાવી આવે છે. ગ્વાલિયરના મોટે ગણેશજી પણ ૫૦૦ વર્ષ પ્રાચીન અને સ્વયંભૂ છે. મેવાડ રાજ્યથી લવાયેલી આ મૂર્તિનું ઇન્દોરના બડે ગણપતિ જેવું જ મોટું સ્વરૂપ છે. લોકોનું માનવું છે કે પ્રથમ પૂજ્ય ગણેશનું મોટું સ્વરૂપ ભક્તોની દરેક સમસ્યા દૂર કરી તેમના જીવનમાં સમૃદ્ધિનો મોટાપો લાવે છે.

25 August, 2025 06:58 IST | Madhya Pradesh | Alpa Nirmal
આજના કવિવારના એપિસોડમાં કવિ દેવાંગ પરીખ `રસિક`ની રચનાઓ

કવિવાર : ઉદાસી મારી તો પ્યોર વેજ છે- દેવાંગ પરીખ

મુંબઈના શાયર દેવાંગ પરીખની કલમ સાથે આજે તમને પરિચય કરાવવો છે. દેવાંગભાઈ પોતે ગણિતના શિક્ષક છે. ગણિત સાથે સતત જીવતા આ કવિ ગઝલ પર પણ સુંદર કલાકારી કરી જાણે છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

20 August, 2025 06:55 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK