અષ્ટવિનાયકની વાત આવે એટલે મહારાષ્ટ્રનાં ગણેશમંદિરો જ સાંભરે, પરંતુ ભારતનું સેન્ટર ગણાતા રાજ્યમાં પણ ગન્નુબાપ્પાનાં અનેક મંદિરો છે. કેટલાંક પ્રાચીન છે તો કેટલાંક અર્વાચીન છે. એ શૃંખલામાંથી આજે આપણે આઠ મહત્ત્વનાં મંદિરોની, ‘વિંધ્ય ભારતના અષ્ટવિનાયક’ની માનસયાત્રા કરીએ
બાપ્પાની સવારી આવી રહી છે...
એવો કયો સનાતની હશે જે ગણપતિજીને નહીં માનતો હોય? શૈવપંથી હોય, વૈષ્ણવ હોય, દેવીપૂજક, જૈન, સિખ કે પછી બૌદ્ધધર્મી; શુભ કાર્યોમાં પહેલું સ્મરણ તો દુંદાળા દેવનું જ કરે. અરે, ભારતીયો તો ઠીક વિદેશીઓ પણ આ એલિફન્ટ ગૉડને વિઘ્નહર્તા તેમ જ ગુડ ફૉર્ચ્યુનના દેવ માને છે.
ચારે કોર બાપ્પાને આવકારવાનાં પડઘમ વાગી રહ્યાં છે એવા ટાણે આપણે જઈએ મધ્ય પ્રદેશ રાજ્યનાં આઠ ચુનંદા ગણપતિ મંદિરે જે વિશિષ્ટ છે, વિશેષતમ છે. આમ તો અષ્ટવિનાયકની વાત આવે એટલે મહારાષ્ટ્રના અષ્ટવિનાયક સાંભરે, પણ આપણી તીર્થાટન એક્સપ્રેસ ભારતના હૃદયની યાત્રાએ છે એટલે આપણે કરીએ આ રાજ્યનાં ફેમસ ગણેશ મંદિરોની યાત્રા.
મહારાષ્ટ્રના અષ્ટવિનાયક ઉજ્જૈનમાં એક જ સંકુલમાં બિરાજે છે
ઉજ્જૈન નજીક સન્વાર ખેડી ગામે તાજેતરમાં જ શ્રી અષ્ટવિનાયક મંદિર આકાર પામ્યું છે. આ અર્વાચીન મંદિર ભવ્ય હોવા સાથે સગવડયુક્ત અને બ્યુટિફુલ પણ છે. પાર્કિંગની સુવિધા, સરસ લૅન્ડસ્કેપ, પાર્ક, ફુવારાઓ ધરાવતા આ દેવાલયના દ્વારપાળ જ છે હાથી. બહારથી લાલ પથ્થર અને અંદર ધવલ આરસપહાણમાંથી નિર્મિત આ ટેમ્પલના મુખ્ય દેવ જ ગણપતિ છે. મધ્યમાં જાજરમાન ગણરાયાની આજુબાજુ મહારાષ્ટ્રના અષ્ટવિનાયકની અદ્દલોદ્દલ રેપ્લિકા જેવી જ બાપ્પાની મૂર્તિઓ છે. મંદિરમાં બહુ કોતરણી નથી પણ સિમ્પલ આર્કિટેક્ચર ધરાવતા આ દેવળમાં ચોખ્ખાઈ ભરપૂર છે. ૭ વીઘા જમીન પર ૫૧ કરોડના ખર્ચે બનેલા આ મંદિરનું ઓપનિંગ આ વર્ષે પ મેના જ થયું છે. મહાકાલેશ્વર ધામથી આ ટેમ્પલ ૧૨થી ૧૪ કિલોમીટરના અંતરે છે અને ત્યાંથી અહીં આવવા ટૅક્સી-રિક્ષા મળી રહે છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
ખજરાના ગણેશ મંદિર પરિસરમાં ૩૩ દેવી-દેવતાઓ પણ સ્થાપિત છે. આ શુભ્ર મંદિરની ખૂબસૂરતી તો દેખતે હી બનતી હૈ.
કહેવાય છે કે દશભુજાધારી ગણપતિબાપ્પાનો ફોટો કે મૂર્તિ મોટી ફૅક્ટરી, વર્કશૉપમાં લગાડવો લાભકારી છે.
મહાદેવના દેરે જેમ તેમની સામે પોઠિયો હોય એમ જબલપુરના સુપ્તેશ્વર ગણેશની સામે હાથ જોડીને ઊભેલા મૂષક મામાની મોટી મૂર્તિ છે. આ મંદિરમાં અન્ય દેવી-દેવતાઓને પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે. ભક્તોની માનતા પૂર્ણ થતાં અહીં તેઓ કિલોના હિસાબે સિંદૂર ચડાવે છે.
મધ્ય પ્રદેશનાં મોટા ભાગનાં મંદિરોમાં ઊંધો સ્વસ્તિક કરવાની પ્રથા છે. ભાવિકો માનતા માનતી વખતે મંદિરની કોઈ દીવાલ પર હિટલરનું આ ચિહન બનાવે છે અને એષણા પૂર્ણ થતાં એ જ મંદિરે જઈ સીધો સ્વસ્તિક (સનાતન ધર્મનું શુભ ચિહન) બનાવી આવે છે.
ગ્વાલિયરના મોટે ગણેશજી પણ ૫૦૦ વર્ષ પ્રાચીન અને સ્વયંભૂ છે. મેવાડ રાજ્યથી લવાયેલી આ મૂર્તિનું ઇન્દોરના બડે ગણપતિ જેવું જ મોટું સ્વરૂપ છે. લોકોનું માનવું છે કે પ્રથમ પૂજ્ય ગણેશનું મોટું સ્વરૂપ ભક્તોની દરેક સમસ્યા દૂર કરી તેમના જીવનમાં સમૃદ્ધિનો મોટાપો લાવે છે.
25 August, 2025 06:58 IST | Madhya Pradesh | Alpa Nirmal