Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ગોવર્ધનનાથજીની હવેલી (મહાવીરનગર,કાંદિવલી)

આસ્થાનું એડ્રેસ: વ્હાલાને વિવિધ હિંડોળે ઝૂલવવા પહોંચી જજો મહાવીરનગરની આ હવેલીમાં

મુંબઈમાં વિવિધ જગ્યાએ પુષ્ટિમાર્ગીય હવેલી આવેલી છે. અનેક વૈષ્ણવોનું આસ્થાનું એડ્રેસ રહેલી આ હવેલીઓ મુંબઈનું અનેરું નજરાણું છે. આજે કાંદિવલી પશ્ચિમમાં આવેલી મહાવીર નગર સ્થિત ગોવર્ધનનાથજીની હવેલીની મુલાકાતે તમને લઈ જવા છે. કાંદિવલીનાં આશરે ૩૦૦થી ૪૦૦ જેટલા વૈષ્ણવો નિત્ય આ હવેલીનાં દર્શને આવતાં હોય છે. ખાસ તો આ હવેલી સ્કૂલની બાજુમાં આવેલી હોવાથી યંગ જનરેશનને પોતાના ધર્મ તરફ વાળે છે. મમ્મીઑ પોતાનાં બાળકને સ્કૂલ પહેલા અહીં પ્રભુના દર્શને મોકલે છે. ત્યારે આવો આજે આ હવેલીની રસપ્રદ વાતો કરીએ. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

23 July, 2024 11:01 IST | Mumbai | Dharmik Parmar
ભગવતીકુમાર શર્મા

કવિવાર: અમે આંધી વચ્ચે તણખલાંના માણસ... કવિ ભગવતીકુમાર શર્મા

હરગોવિંદભાઈ અને હીરાબહેનનાં આંગણિયે જન્મેલા સુરતનાં કવિ ભગવતીકુમાર શર્માને કોણ ન ઓળખે? સાહિત્યક્ષેત્ર સિવાય તેઓનું પત્રકારત્વ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ધાર્મિક વાતાવરણમાં ઉછરેલા આ કવિની અનેક રચનાઓમાં હરિ પ્રત્યેની પ્રીતિની પ્રતીતિ થાય છે. અનેક કવિતાઓ સાથે તેમની પાસેથી ‘ઉધ્વમૂલ’ તેમ જ ‘અસૂર્યલોક’જેવી નવલકથાઓ પણ મળે છે. પ્રૂફરીડરથી પત્રકાર અને એ પછી તો અનેક મુકામો શબ્દની આરાધના થકી મેળવ્યા હતા. આજે કવિવારમાં તેમની જ સદાબહાર રચનાઓ માણીશું ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ. 

16 July, 2024 10:30 IST | Mumbai | Dharmik Parmar
34મા રેનડ્રોપ્સ ફેસ્ટિવલમાં મુંબઈ સહિત વિવિધ રાજ્યના કુલ આઠ કલાકારોનું પરફોર્મન્સ જોવા મળશે. તસવીર સૌજન્ય - સામવેદ સોસાયટી ફોર પરફોર્મિંગ આર્ટ્સ

34મા રેનડ્રોપ્સ ફેસ્ટિવલમાં જોઇ શકશો ઉત્કૃષ્ટ શાસ્ત્રીય નૃત્યકલા

34મા રેનડ્રોપ્સ (Raindrops Festival) ફેસ્ટિવલને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જાણીએ કે મુંબઈના સંસ્કૃતિક પરિદ્રશ્યમાં નૃત્યના રંગ ભરનારા આ ફેસ્ટિવલમાં આ વર્ષે કયા કલાકારો ભાગ લેશે. આ ફેસ્ટિવલ સામવેદ સોસાયટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ (Samved Society for Performing Arts)દ્વારા યોજવામાં આવે છે જેના સ્થાપક સંગીત નાટક અકાદમી પુરસ્કાર વિજેતા કથક નૃત્યાંગના અને વિદુષી ઉમા ડોગરા  (Uma Dogra) છે. દર વર્ષે જુલાઇમાં બે દિવસીય નૃત્ય સમારોહમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યકારો પોતાની કલાની રજુઆત કરે છે. આ વર્ષે 26 અને 27મી જુલાઇના રોજ  SPJIMR ઓડિટોરિયમ, ભવન્સ કૉલેજ કેમ્પસ, અંધેરી વેસ્ટ (Andheri West) ખાતે યોજાનારા ફેસ્ટિવલમાં કથક, ભરતનાટ્યમ, ઓડિસી અને કુચીપડી જેવાં શાસ્ત્રીય નૃત્યનો આસ્વાદ કરવા મળશે.

15 July, 2024 04:51 IST | Mumbai | Chirantana Bhatt
સાકીનાકામાં સ્થિત શ્રી જગન્નાથ મંદિર

ઓડિશાના પુરીમાં ન જઈ શકો તો સાકીનાકાના પ્રાચીન જગન્નાથ મંદિરમાં જઈ આવજો

માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. બે દિવસ પહેલા જ સમગ્ર ભારતભરમાં જગન્નાથ ભગવાનની રથ યાત્રાની અતિ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને જગન્નાથ રથયાત્રાનું મહત્વ ઓડિશાના જગન્નાથપુરીમાં હોય છે. આ દિવસે ભગવાન તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની નાની બહેન સુભદ્રા સાથે રથમાં બેસીને લગભગ ત્રણ કિલોમીટર દૂર ગુંડીચા ખાતેની તેમની માસીના ઘરે જાય છે. ઓડિશાના પૂરીમાં જેવુ મંદિર છે તેવું જ મુંબઈમાં પણ અંધેરી પૂર્વના સાકીનાકામાં આવેલું છે. હા, સાકીનાકામાં આવેલ ભગવાન જગન્નાથના સૌથી જૂના મંદિરમાં આજે પણ રથયાત્રાનું આયોજન થાય છે. આવો, આ જગન્નાથ મંદિરની મુલાકાતે અને દર્શને જઈએ!

09 July, 2024 10:00 IST | Mumbai | Dharmik Parmar
કવિ બાલમુકુંદ દવે

કવિવાર: એક ક્યારામાં ચંપો ને કેળ ઝૂલવતા કવિ બાલમુકુંદ દવે

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ. આજે ગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા અને માનીતા કવિ બાલમુકુંદ દવેની રચનાઓમાંથી પસાર થવાનું છે. મૂળ વ્યવસાયે પત્રકારત્વનો નાટો ધરાવતા આ કવિ એટલે કુમારની બુધસભાનું ફળ. વળી, ગુજરાતી કાવ્ય જગતને સમૃદ્ધ કરવાને અર્થે તેઓને ‘કુમાર’ ચંદ્રકથી પણ નવાજવામાં આવ્યા છે. બાલમુકુંદનું નામ લઈએ એટલે તરત હોઠો પર આવતા શબ્દો એટલે ‘જૂનું ઘર ખાલી કરતાં’ આવો, આવી મધુર રચનાઓનો રસાસ્વાદ કરીએ

02 July, 2024 09:01 IST | Mumbai | Dharmik Parmar
કવિ હર્ષદ ચંદારાણા

કવિવાર: ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી.... અલવિદા કવિ હર્ષદ ચંદારાણા

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ. તાજેતરમાં ગુજરાતી ભાષાએ અને અમરેલી પંથકે ગુમાવેલા સાહિત્યકાર હર્ષદ ચંદારાણાની કેટલીક સદાબહાર રચનાઓ સાથે તેમને ભાવાંજલિ અપીવી છે. ચલાલામાં જન્મેલા આ કવિએ સાયન્સ શાખામાં ગ્રેજ્યુએશન કર્યું હતું. આશા ટ્રેડિંગ કંપનીના બિઝનેસમેન એવા હર્ષદભાઈએ તો કવિતાઑમાં આશાનો સૂરજ જોયો અને એ પ્રતાપે આપણને મળ્યા ફીણ-મોજા, નદીને મળ્યા પછી, કલરવનું ઘર, હાથની હોડી, પંખો, પવન ને પતંગિયું, મહેકનો અભિષેક, સમુદ્ર છલકે છે, કિરણોની પોટલી, દિવસોએ પાંખો પહેરી છે, મારાં મોરપિચ્છ, મહેકનો અભિષેક જેવા માતબર સંગ્રહો. વળી, લીલીછમ વેલી અમરેલી, ગિરા નદીને તીર, અમરેલ્લીલ્લીલ્લી જેવાં કેટલાક સંપાદનો પણ એમણે આપ્યા છે.

18 June, 2024 09:00 IST | Mumbai | Dharmik Parmar
બોરિવલીમાં આવેલું `ત્રિમંદિર`

આસ્થાનું એડ્રેસ: જૈન-વૈષ્ણવ-શૈવ સંપ્રદાયનું ત્રિવેણી સંગમ છે મુંબઈનું ત્રિમંદિર!

માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. આજે આપણે વાત કરવાની છે મુંબઈમાં આવેલા ત્રિમંદિરની. લીલોતરીથી છવાયેલા બોરીવલી પૂર્વના અભિનવનગર રોડ પર ઋષિવન કાજુપાડા ખાતે આવેલું આ ભવ્ય મંદિર એટલે પરમ પૂજ્ય દાદાશ્રીની પ્રેરક પ્રેરણા અને આશીર્વાદથી ઊભું થયેલું આસ્થાનું અને સંસ્કારનું કેન્દ્ર! નેશનલ પાર્કની નજીક આવેલ આ નિષ્પક્ષપાતી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ૨૦૧૯માં કરવામાં આવી હતી.

11 June, 2024 09:25 IST | Mumbai | Dharmik Parmar
પ્રદીપ શાહ ગ્રો-ટ્રીઝ ડોટ કોમના સહસ્થાપક છે, તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ ઈન્ટરવ્યૂમાં કેટલાક એવા ખુલાસા કર્યા છે જે જાણીને તમે પણ ચોંકી જશો.

વિશ્વ પર્યાવરણ દિવસ 2024: પ્રદીપ શાહ જેમણે દેશને લીલોછમ બનાવવાનું ઝડપ્યું બીડું

પ્રકૃતિના સાંનિધ્યમાં, કુદરતના ખોળે લગભગ દરેકને રહેવું ગમતું હોય છે, લોકો બીચ પર, જંગલમાં તેમજ કોઈક શાંત સ્થલે હોલીડે પ્લાન કરે છે, રજાઓમાં પ્રકૃતિના સાંનિધ્યમાં જવાનું પસંદ કરે છે, પણ જો એ માનવીઓને વૃક્ષારોપણ કરવાનું કહેવામાં આવે તો તેમને મનમાં ક્યાંક ખચવાટ રહી જાય છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે મળીએ એવા ભારતીયને, જેમણે છેલ્લા 10 વર્ષમાં 21 મિલિયન વૃક્ષારોપણ કરાવ્યા છે. તેમને આ વૃક્ષારોપણ કરાવવાની ભાવના કેવી રીતે જાગી, કેવી રીતે તેમણે પોતાની ફર્મ શરૂ કરી અને તેમને આવું કરવાની પ્રેરણા ક્યાંથી મળી આ વિશે બધું જ. 

05 June, 2024 01:43 IST | Mumbai | Shilpa Bhanushali

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK