Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આજનાં વન્ડર વુમન છે પેલવા નાયક (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વન્ડર વુમન : ધ્રુપદ થકી વિશ્વભરમાં વિહરતાં ગાયિકા એટલે પેલવા નાયક

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. ભારતની જૂની અને ગૌરવશાળી શાસ્ત્રીય ગાયન પરંપરામાં ધ્રુપદ પણ એક મહત્વનો ભાગ છે. આજે આપણે અમદાવાદનાં જાણીતાં શાસ્ત્રીય ગાયિકા પેલવા નાયક સાથે વાત કરવાના છીએ અને જાણીશું તેમની પાસેથી તેમની સંગીતસફર વિષે અને શાસ્ત્રીય ગાયનપરંપરા સાથે જોડાયેલા તેમના અંતરમનના ભાવો.

08 October, 2025 11:12 IST | Ahmedabad | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં કવિ કૃષ્ણ દવેની રચનાઓ

કવિવાર: વાંસલડી ડૉટ કૉમ.... મોરપિચ્છ ડૉટ કૉમ -કૃષ્ણ દવે

ગુજરાતી ભાષાનું જાણીતું નામ એટલે કવિ કૃષ્ણ દવે. પોતાની આગવી પઠનશૈલીથી ભાવકોના હ્રદયમાં અનન્ય સ્થાન મેળવનાર કૃષ્ણ દવેનો જન્મ અમરેલીના ગામ ધારીમાં થયો હતો, જ્યાં પ્રારંભિક શિક્ષણ લઇને સુતારીકામના વ્યવસાયમાં તેઓ જોડાયા. ભાષાના લગાવે તેમને બીએ કરવાની ધૂન લગાવી. તેઓ શબ્દો પર પણ એટલી જ સુંદર કારીગરી કરી જાણે છે. તેમની આ રચનાઓ પરથી જ તમને ખ્યાલ આવશે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

07 October, 2025 10:19 IST | Mumbai | Dharmik Parmar
રાવણ

રાવણ : માત્ર વિલન નહીં, એક વિરાટ વ્યક્તિત્વ પણ

દશેરા અસત્ય પર સત્યની, અંધકાર પર પ્રકાશની અને અહંકાર પર વિનમ્રતાની વિજયગાથા છે. આ ગાથાના વિલન રાવણમાં જ્ઞાન, ભક્તિ અને પરાક્રમનો અનોખો સંયોગ હતો. જોકે રાવણ માત્ર રામકથાનો વિલન નહોતો; દશમુખી જ્ઞાનસિંધુ, સંગીતનો મહાન આચાર્ય, આયુર્વેદનો પારંગત વૈદ્ય અને મહાદેવનો પરમ ભક્ત હતો. શિવતાંડવ સ્તોત્ર જેવી દિવ્ય રચના તેની ભક્તિ અને કાવ્યપ્રતિભાનો અદ્ભુત દાખલો છે. વિશ્વના અનેક પ્રદેશોમાં આજે પણ તેને જ્ઞાની, શૂરવીર અને શિવભક્ત રૂપે આદર અપાય છે. મધ્ય પ્રદેશમાં તેને જમાઈજી માનવામાં આવે છે, રાજસ્થાનમાં કેટલાક વંશો પોતાને તેના વંશજ ગણે છે અને લંકામાં તેને સુવર્ણ યુગના સમૃદ્ધ રાજા તરીકે યાદ કરવામાં આવે છે. આથી દશેરા માત્ર રાવણદહનની પરંપરા નથી પરંતુ એ પણ યાદ અપાવે છે કે દરેક આત્મામાં પુણ્ય અને પ્રતાપનો પ્રકાશ રહેલો છે. રાવણ આપણને શીખવે છે કે જ્ઞાન, શક્તિ અને ભક્તિનો ગર્વ જો અહંકારમાં ફેરવાય તો પતન થાય છે, પરંતુ તેની જ્ઞાની અને ભક્તિમય છબીમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ છીએ. આજની પેઢી રાવણના સારા ગુણોથી પ્રેરિત થઈ રહી છે ત્યારે ભારતનાં વિવિધ રાજ્યોમાં અને બીજા દેશોમાં જ્યાં રાવણનાં મંદિરો બન્યાં છે અને તેની પૂજા થાય છે એ પાછળની કથા જાણીએ. આ કથાઓના કોઈ પ્રમાણ કે પુરાવા નથી પરંતુ લોકવાયકા અને માન્યતા આધારિત છે. 

02 October, 2025 02:40 IST | Mumbai | Laxmi Vanita
આજના કવિવારના એપિસોડમાં કવયિત્રી જયા મહેતાની રચનાઓ

કવિવાર: સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે - જયા મહેતા

નોરતાં ચાલી રહ્યાં છે. ઠેરઠેર શક્તિસ્વરૂપની આરાધના થઇ રહી છે ત્યારે આજે આઠમે નોરતે કવિવારના આજના એપિસોડમાં મુંબઈનાં કવયિત્રીની બળૂકી કલમનો તમને પરિચય કરાવવો છે. કવયિત્રી, અનુવાદક અને સારાં વિવેચક તરીકે જયા મહેતાનું નામ જાણીતું છે. ભાવનગરના કોળિયાકમાં જન્મેલાં જયાબહેને મુંબઈની એસએનડીટી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે પણ કામગીરી બજાવેલ. સ્વરચિત કાવ્યોપરાંત અનેક અન્ય ભાષાનાં કાવ્યોનો તેમણે અનુવાદ પણ આપ્યો છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

30 September, 2025 12:25 IST | Mumbai | Dharmik Parmar
માનતાના આ ગરબા જોવા આસપાસનાં ગામોના લોકો થાય છે એકઠા

આ ગામ વિખ્યાત છે દશેરાની રાતના માટલી ગરબા માટે

વિજયાદશમીએ પંચમહાલના ડેરોલ ગામના ચોકમાં બે હજારથી વધુ માટલી ગરબા માથે મૂકીને ગરબે ઘૂમે છે બહેનો-ભાઈઓ : ગામમાં ઘરદીઠ નીકળે છે એક ગરબો: માતાજીની કૃપાથી હજી સુધી કોઈ ગરબો ખંડિત થયો નથી (તમામ ફોટો ગયા વર્ષે દશેરાની રાતે યોજાયેલા માટલી ગરબાના છે.)

28 September, 2025 12:30 IST | Sabarkantha | Shailesh Nayak
ગાંધીનગર કલ્ચરલ ફોરમે પાડી છે ગરબામાં અનોખી ભાત : દર વર્ષે નવરાત્રિની આઠમે મહાઆરતીમાં કરવામાં આવે છે આધ્યાત્મિક ફૉર્મેશન જેમાં હજારો ખેલૈયાઓ અને માઈભક્તો દીવડાથી આરતી ઉતારે છે ત્યારે રચાય છે અનોખી આકૃતિ

દીવડાઓની ઝળહળતી જ્યોતથી જ્યાં રચાય છે આદ્યશક્તિની અલૌકિક આકૃતિઓ

છેલ્લાં કેટલાંક વર્ષોથી નવરાત્રિમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ધાર્મિકજનો આદ્યશક્તિની આઠમની રાહ જોતા હોય છે. લોકોના મનમાં એક પ્રકારે કુતૂહલ હોય છે કે આ વખતે કઈ આકૃતિ રચાશે અને કેવી દિવ્યતાનાં દર્શનનો લહાવો મળશે. આ કુતૂહલ થવું એટલા માટે હવે સ્વાભાવિક થઈ ગયું છે કેમ કે ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રિના ગરબામાં અનોખી ભાત પાડી છે. આઠમની રાતે  હજારો ખેલૈયાઓ તેમ જ માઈભક્તો હાથમાં કોડિયાં રાખીને એમાં દીવો પ્રગટાવે છે અને એકસાથે હજારો દીવડાઓની ઝળહળતી જ્યોતથી આદ્યશક્તિનું અલૌકિક ફૉર્મેશન રચાય છે જેના પગલે વાતાવરણમાં પવિત્રતાની સાથે જાણે માતાજીનાં સ્પંદનોની અનુભૂતિ થતી હોય એવો અહેસાસ તેમ જ દિવ્યતાનાં દર્શન થાય છે.

28 September, 2025 11:18 IST | Gandhinagar | Shailesh Nayak
આજના કવિવારના એપિસોડમાં કવયિત્રી અંજના ગોસ્વામી `અંજુમ આનંદ`

કવિવાર: રોજ તારી યાદને ખોતરવી તો અમને ન ફાવે -અંજના ગોસ્વામી `અંજુમ આનંદ`

આજે તમને કવિવારની સફરમાં ભાવનગર લઇ જવા છે. ભાવનગરનાં કવયિત્રી અંજના ગોસ્વામી બહુઆયામી પ્રતિભા છે. તેઓની ગઝલને મનહર ઉધાસજીએ પણ સ્વરબદ્ધ કરીને પોંખી છે. અંજનાબહેન `અંજુમ આનંદ`ના તખલ્લુસથી સર્જન કરે છે. આજે તેમની કેટલીક રચનાઓ... ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

23 September, 2025 10:43 IST | Mumbai | Dharmik Parmar
નવરાત્રીને ધૂમ મચાવનારા ગુજરાતી લોકગીતોના રિમેક (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

નવરાત્રી 2025 ગરબા પ્લેલિસ્ટ: નવરાત્રીમાં ધૂમ મચાવનારા ગુજરાતી લોકગીતોના રિમેક

નવરાત્રી એટલે માત્ર ઉપાસના કે નૃત્ય નહીં, પરંતુ ગુજરાતના લોકસંગીતની આત્માને અનુભવાની અનોખી ક્ષણ. નવરાત્રી એટલે લોકસંગીતનો જીવંત મેળો. ગુજરાતના દરેક ખૂણે ગવાતા ગરબા અને લોકગીત પેઢી-દર-પેઢી આગળ વધેલી પરંપરા છે, જેને આજની યુવા પેઢી ડીજે બીટ્સ, સોશિયલ મીડિયા રીલ્સ અને બૉલિવૂડના મંચ પર નવા રંગે માણે છે. જૂના ગુજરાતી લોકગીતો આજકાલ નવી પેકેજિંગ, ફિલ્મી ધૂન કે ડીજે મિક્સ સાથે ફરીથી લોકપ્રિય બન્યા છે. ગુજરાતી લોકગીતોની વિશેષતા એ છે કે તે સમય સાથે જૂનાં નથી થતા, પણ નવા સંગીતકારો અને ફિલ્મો તેમને નવી રીતે રજૂ કરે છે. આ રીમેક ગીતો પરંપરાનો સ્વાદ જાળવી રાખીને આધુનિક તાલ સાથે લોકોને ઝૂમવા મજબૂર કરે છે. ગુજરાતના ખૂણે-ખૂણે ગવાતા લોકગીતો, ભજન અને ગરબા માત્ર પ્રાદેશિક નહીં, પરંતુ હવે નેશનલ પૉપ-કલ્ચરના ભાગ બની ગયા છે. બૉલિવૂડે પણ આ પરંપરાને આત્મસાત કરી અનેક ગીતોમાં ગુજરાતી સ્વાદ ભરી દીધો છે. પરિણામે, આજે નવરાત્રીમાં સાંભળાતા મોટા ભાગના ગરબા ગીતોમાં કે તો સીધો લોકગીતનો પ્રભાવ જોવા મળે છે અથવા તો તેનો રીમેક. ચાલો જાણીએ એવા કેટલાક ગીતો વિશે, જે આ નવરાત્રીમાં તમને ઝૂમવા મજબૂર કરી દેશે.

23 September, 2025 09:57 IST | Mumbai | Hetvi Karia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK