આજે ફરી એકવાર કવિવારના એપિસોડમાં ગુજરાતની યુવા કલમ તરફ જવું છે. માળિયા હાટીનાના યુવાકવિ જયદીપ મહેતા જે `સૂર` અને `આરદીપ` ઉપનામથી સર્જન કરે છે. પોતે સરસ કંઠ પણ ધરાવે છે એટલે પોતાની ગઝલો, ગીતોને સોશિયલ મીડિયા પર ગાઈને વહેતી પણ મૂકે છે. ઊનામાં જન્મેલ આ યુવાકવિનો જન્મ ૨૪-૨-૯૮ના રોજ થયેલો. જયદીપે ૨૦૨૦થી સાહિત્યસર્જનમાં પગરણ માંડ્યા છે. ત્યારે આવો આ યુવા અવાજને માણીએ...
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
04 November, 2025 10:03 IST | Mumbai | Dharmik Parmar