Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


અનચાર્ટેડ સીઝમાં અદિતી મંગળદાસ ડાન્સ કંપની અને દ્રષ્ટિકોણ ડાન્સ ફાઉન્ડેશનના નૃત્યકારોની રજુઆત

અનચાર્ટેડ સીઝઃ જિંદગી નામે આશ્ચર્યની વાત કરતી અદિતી મંગળદાસની કથક પ્રસ્તુતિ

ગુરુ પૂર્ણિમા નિમિત્તે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર – (NMACC)માં પ્રતિષ્ઠિત કથક નૃત્યગુરુ અદિતી મંગળદાસ એક ખાસ પ્રસ્તુતિ કરશે. અદિતી મંગળદાસ ડાન્સ કંપની અને દ્રષ્ટિકોણ ડાન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “અનચાર્ટેડ સીઝ”નો કાર્યક્રમ NMACCના ધ ગ્રાન્ડ થિએટરમાં 11 જુલાઇએ સાંજે 7.30 વાગે થશે. આ પ્રસંગે ગુજરાતી મિડ-ડેએ અદિતી મંગળદાસ સાથે વિશેષ વાત-ચીત કરીને તેમના ગ્રાન્ડ પરફોર્મન્સ વિશે જાણ્યું.  તસવીર સૌજન્ય - Inee Singh

11 July, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં કવિ હેમેન શાહની રચનાઓ

કવિવાર: કોણ મૂરખ વર્ષાની કવિતા પુસ્તકમાં વંચાવે છે? - કવિ હેમેન શાહ

આજના કવિવારના એપિસોડમાં આપણે મળીશું મુંબઈના કવિ હેમેન શાહની રચનાઓને. વ્યવસાયે ડર્મેટોલોજિસ્ટ એવા આ કવિ શબ્દોની સારવાર પણ બખૂબી કરી જાણે છે. તેમના પિતા અમૂલ શાહ પણ વ્યવસાયે ડૉક્ટર હતા. હેમેન શાહે ગઝલોમાં વિશિષ્ટ કામ કર્યું છે. તે ઉપરાંત ગીતો અને બાળકાવ્યોમાં પણ પ્રદાન કર્યું છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

08 July, 2025 11:18 IST | Mumbai | Dharmik Parmar
આજનું આસ્થાનું એડ્રેસ છે વડાલામાં આવેલ પ્રતિપંઢરપુર મંદિર

આસ્થાનું એડ્રેસ: વડાલાનું આ `વિઠ્ઠલ-રુક્મિણી મંદિર` તો ૪૦૦ વર્ષ કરતાંય છે જૂનું!

આજનું આપણું આસ્થાનું એડ્રેસ છે વડાલામાં આવેલું વિઠ્ઠલ રુક્મિણી મંદિર. આ મંદિરનું મહાત્મ્ય ઘણું છે. કહે છે કે સંત તુકારામે લગભગ ૪૦૦ વર્ષ અગાઉ આ મંદિરનો પાયો નાખ્યો હતો. પંઢરપુરમાં જે વિઠ્ઠલ રુક્મિણી મંદિર છે તેનું આ પ્રતિપંઢરપુર મંદિર કહેવાય છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્રેસ’ (Aastha Nu Address) જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

07 July, 2025 06:56 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં કવિ રાજેન્દ્ર શુક્લની રચનાઓ

કવિવાર : પુષ્પનો પ્રવાસ ખેડતા કવિ રાજેન્દ્ર શુક્લ

કવિવારની આજની શબ્દયાત્રા રાજેન્દ્ર શુક્લ તરફની છે. `આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે, કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!` એમ કહેનારા આ કવિએ ભાષા પાસેથી બારીકાઇભર્યું કામ લેવડાવ્યું છે. જુનાગઢમાં કવિનો જન્મ. શૈક્ષણિક વ્યવસાયમાં આગળ વધ્યા. એમણે પોતાના ગઝલકર્મથી આગવી છાપ ઊભી કરી. ગીતો પણ સુંદર આપ્યાં છે. આજે તેમની કેટલીક જાણીતી રચનાઓનો આનંદ લઇએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

24 June, 2025 10:25 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં કવિ નીતિન વડગામાની રચનાઓ

કવિવાર: સ્હેજ જાગીને અમે રાજી થયા - કવિ નીતિન વડગામા

આજે કવિવારમાં તમને લઈ જવા છે નીતિન વડગામા પાસે, એમના શબ્દો પાસે. રાજકોટમાં જન્મેલા આ કવિએ ‘સ્વાતંત્ર્યોત્તર કવિતામાં કલ્પન’ જેવા નિરાળા વિષય પીએચડી પ્રાપ્ત કરી. અલબત તેમની રચનાઓમાં પણ આપણને વિષયવૈવિધ્ય અને જુદા અને નવા જ કલ્પનો મળી આવે છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

10 June, 2025 11:56 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં કવિ ખલીલ ધનતેજવીની રચનાઓ

કવિવાર : તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે- ખલીલ ધનતેજવી

વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય, ગુજરાતી નથી- આવું કહીને જે કવિએ ગુર્જર ભાષાને રળિયાત કરી છે એવા વડોદરાના જાણીતા શાયર ખલીલ ધનતેજવી સાહેબની રચનાઓ સાથે તમને વરસાદી માહોલમાં મળવું છે. ચોમેર વરસાદી માહોલ સરસ રીતે બંધાઈ ગયો છે ત્યારે આવો ખલીલ સાહેબની માવઠા જેવી નહીં પણ ધોધમાર વરસાદ જેવી રચનાઓ સાથે રૂબરૂ થઈએ.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

27 May, 2025 11:14 IST | Mumbai | Dharmik Parmar
ચારધામની યાત્રા

ચાલો ચારધામની શબ્દયાત્રા પર

ઉત્તરાખંડનાં ચાર ધામોનાં કપાટ ખૂલી ચૂક્યાં છે. જીવનમાં એક વાર તો આ ચારેય ધામોની યાત્રા કરવી જ જોઈએ એવું દરેક સનાતની વિચારે છે ત્યારે ચાલો આજે જાણીએ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ ધામો સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ અને એના માહાત્મ્ય વિશે ‘પ્રભુનાં કપાટ ખૂલ્યાં, મારા ભવોભવના આંટા ટળ્યા!’ જનસામાન્યમાં વર્ષોવર્ષથી એવી માન્યતા છે કે ચારધામની યાત્રા કરવાથી ભવોભવના આંટાફેરામાંથી મુક્ત થઈ જવાય છે. ખેર, કવિ જલન માતરી કહે છે એમ ‘શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી...’ આથી ચારધામની યાત્રા કરવાથી આપણે જન્મ-મરણના આ ફેરામાંથી મુક્ત થઈ શકીએ છીએ કે નહીં એ વિશે તો ટિપ્પણી નથી કરવી; પરંતુ આજે ચારધામનાં રહસ્યો, કહાણી અને વાસ્તવિકતા પરથી પડદો ઉઠાવીને સત્ય તરફની આ સફર એવી દિવ્ય અને અદ્ભુત કરવી છે જે આપણને રોમાંચની સાથે-સાથે અધ્યાત્મ તરફ એ રીતે તાણી જશે કે આપણને ખબર પણ નહીં રહે કે ‘હું ક્યારે શિવમય, શ્રીહરિમય થઈ ગયો! ક્યારે તેમની આટલી સમીપ પહોંચી ગયો.’ સો, ફાસન યૉર સીટબેલ્ટ ઍન્ડ બી રેડી ટુ ટ્રાવેલ ચારધામ વિથ અસ! મજા એ વાતની છે કે આ શબ્દસફર પર નીકળવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવાની, ગરમ કપડાં લેવાની કે ફલાઇટ બુકિંગ્સની કોઈ જરૂર નથી! બસ, આંખ ખોલો, શિવ અને શ્રીહરિનું નામ લો, શ્રદ્ધાના ઑક્સિજન સાથેનો એક ઊંડો શ્વાસ ભરો અને હાલો, નીકળી પડો અમારી સાથે રવિવારની આ સવારે ચારધામ યાત્રાએ. આજે કરીએ કંઈક એવી વાતો જે અજાણી છે અથવા ભુલાઈ ચૂકી છે. ઉત્તરાખંડના ચાર મુગટ એટલે ચારધામ આમ તો ચારધામ ભારતમાં ક્યાં આવેલાં છે એ કહેવાની જરૂર નથી. છતાં સાવ ટૂંકાણમાં જાણી લઈએ તો જે રાજ્યને ભારતની દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે એવા ઉત્તરાખંડના ગઢવાલ રીજનમાં આવેલા ઉત્તરકાશીમાં ૧૦,૮૦૪ ફુટ એટલે કે ૩૨૯૩ મીટરની ઊંચાઈએ આવેલું ભારતની બે મહાન નદીઓમાંની એક યમુનાજીનું ઉદ્ગમસ્થાન એટલે યમનોત્રી. ત્યાંથી આગળ વધીએ તો ઉત્તરકાશીમાં જ પણ મુખ્ય શહેરથી અંદાજે ૯૯ કિલોમીટર દૂર ગંગોત્રી નૅશનલ પાર્કમાં આવેલું છે આ ગંગોત્રી ગ્લૅસિયર્સ. એ ૧૧,૨૦૪ ફુટ એટલે કે ૩૪૧૫ મીટરની ઊંચાઈએ આવેલું પવિત્ર સ્થાન છે. ત્યાંથી આગળ દેવાધિદેવ મહાદેવનું સ્થાન, જે આપણાં ૧૨ જ્યોતિર્લિંગમાં પણ મુખ્ય ગણાય છે એવું કેદારનાથ બાબાનું સ્થળ રુદ્રપ્રયાગ ડિસ્ટ્રિક્ટમાં આવ્યું છે. ૧૧,૭૫૦ ફુટ એટલે કે ૩૫૮૦ મીટરની ઊંચાઈએ વસેલા બાબા કેદારનાથ આ ચારધામ યાત્રામાં સૌથી વિકટ અને સૌથી વધુ માર્ગ-પરીક્ષા કરનારું સ્થળ છે. શ્રીહરિ વિષ્ણુનું સાંનિધ્ય એટલે કે બદરીનાથ આવ્યું છે ઉત્તરાખંડના ચમોલી ડિસ્ટ્રિક્ટમાં. ૩૧૧ મીટરની ઊંચાઈએ આવેલું શ્રીહરિનું ધામ મા ગંગાનો જ બીજો પ્રવાહ એવી અલકનંદા નદીના કિનારે છે.

18 May, 2025 04:53 IST | Dehradun | Aashutosh Desai
આજના કવિવારના એપિસોડમાં કવિ વિનોદ જોશીની રચનાઓ

કવિવાર: સજન, પાંખો આપો તો અમે આવીએ... કવિ વિનોદ જોશી

કવિ વિનોદ જોશીનું નામ આવે એટલે લયનું આખેઆખું ગામ યાદ આવે. ભાતીગળ શબ્દાવલીઓથી તેઓનાં ગીતોએ ગુર્જર સાહિત્યને શોભાવ્યું છે. જન્મ ૧૩ ઓગસ્ટ, ૧૯૫૫ને દિવસે અમરેલીના ભોરીંગડા ગામે. ગુજરાતી સાહિત્યમાં સ્નાતક આ કવિએ `રેડિયો નાટકનું કલાસ્વરૂપ અને ગુજરાતીમાં તેનો વિકાસ’પર પીએચડી કર્યું. અનેક માતબર શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપનકાર્ય કર્યું. આજે એમની સદાબહાર રચનાઓ માણીએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

13 May, 2025 11:00 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK