Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આજના કવિવારના એપિસોડમાં કવિ દેવાંગ પરીખ `રસિક`ની રચનાઓ

કવિવાર : ઉદાસી મારી તો પ્યોર વેજ છે- દેવાંગ પરીખ

મુંબઈના શાયર દેવાંગ પરીખની કલમ સાથે આજે તમને પરિચય કરાવવો છે. દેવાંગભાઈ પોતે ગણિતના શિક્ષક છે. ગણિત સાથે સતત જીવતા આ કવિ ગઝલ પર પણ સુંદર કલાકારી કરી જાણે છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

19 August, 2025 10:51 IST | Mumbai | Dharmik Parmar
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બાળકોમાં વર્ષભર દેશભક્તિ જીવંત રહે એ માટે તમે શું કરો છો?

આજના સ્વાતંયદિનના નિમિત્ત પર મિડ-ડેએ કેટલાક પેરન્ટ્સને કર્યો આ સવાલ આજે સ્વતંત્રતાદિવસ છે ત્યારે દેશભક્તિનો જુસ્સો ચારે બાજુ જોવા મળી રહ્યો છે. આ દિવસે દરેક જગ્યાએ ફ્લૅગ લહેરાય છે, દેશભક્તિનાં ગીતો ગુંજતાં હોય છે અને બાળકો ઉત્સાહપૂર્વક યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે, પરંતુ શું આ દેશપ્રેમનો ભાવ વર્ષભર બાળકોના દિલમાં જીવંત રહે છે? બાળકોમાં દેશપ્રેમ કેવી રીતે વિકસાવી શકાય? આ પ્રશ્ન જ્યારે ‘મિડ-ડે’એ પેરન્ટ્સને પૂછ્યો ત્યારે સૌનો એક જ સૂર હતો કે દેશપ્રેમ એ એક દિવસની ઉજવણી નથી, આખા વર્ષ દરમ્યાન રોજિંદા જીવનમાં પણ સમાજસેવાનાં સારાં કામો કરવાથી અને દેશ માટે જવાબદારીભર્યું વર્તન કરવાથી દેશપ્રેમ જીવંત રહે છે.

16 August, 2025 07:17 IST | Mumbai | Urvi Shah Mestry
આજના કવિવારના એપિસોડમાં કવયિત્રી અંજના ભાવસાર `અંજુ`ની રચનાઓ

કવિવાર: તમારું સ્મિત મારી જિંદગીનો ઓક્સિજન લાગે! - અંજના ભાવસાર `અંજુ`

આજે કવિવારના એપિસોડમાં મુંબઈનાં કવયિત્રી અંજના ભાવસાર `અંજુ`ની કેટલીક રચનાઓ. અંજનાબહેનના માથે તો અનેક કળાના છોગાંવાળી પાઘડી છે. બેકિંગ હોય કે કથ્થક હોય તેઓ બધું જ કરી જાણે છે. તેમના હોઠે ભાષા પણ નૃત્ય કરે છે. તેમની રચનાઓ અનેક સામયિકો અને બ્લોગ્સમાં પ્રગટ થતી રહે છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

12 August, 2025 11:04 IST | Mumbai | Dharmik Parmar
શિવમંદિરો

તમે અમદાવાદમાં રહેતા હો તો પણ કદાચ આ શિવમંદિરો વિશે ન જાણતા હો એવું બની શકે છે

અમદાવાદમાં ભદ્રેશ્વરના આરાથી સપ્તર્ષિના આરા સુધીમાં અનેક પ્રાચીન દંતકથારૂપ શિવમંદિરો છે. કોઈ સાબરમતીના તટમાં ધરબાઈ ગયાં છે તો કોઈ છે અવાવરુ હાલતમાં. પાંચ પાંડવોએ સ્થાપેલાં શિવલિંગ, શિવજીનું ઋણ ઉતારવા રાજા ઇન્દ્રએ સ્થાપેલું શિવલિંગ, દધીચિ ઋષિનાં હાડકાંમાંથી ખડગ બનાવીને રાક્ષસનો નાશ કરી બનાવેલું શિવમંદિર અને એકસાથે બાર જ્યોતિર્લિંગ સાથેનું શિવાલય. ચાલો, શ્રાવણમાં ઐતિહાસિક શિવાલયોની સફરે ‘શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો...’ દેવાધિદેવ મહાદેવનાં શિવાલયોમાં આજકાલ અલખની આરાધનાનો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. શ્રાવણમાં શિવભક્તો ભોળા શંભુની પૂજાઅર્ચનામાં, ભજન-કીર્તનમાં લીન થઈ શિવજીને પ્રાર્થના કરી રહ્યા છે. ઘણા ભક્તો બાર જ્યોતિર્લિંગનાં કે પછી ભારતમાં આવેલાં પૌરાણિક શિવમંદિરોના દર્શને પણ નીકળતા હોય છે ત્યારે હેરિટેજ શહેર અમદાવાદમાં શિવાલયોનો ઇતિહાસ ધરબાયો છે. એક સમયે અમદાવાદ શહેરના કિલ્લાની બહારથી પસાર થતી સાબરમતી નદીના તટે અનેક શિવમંદિરોમાં ભક્તો પૂજાઅર્ચના કરવા આવતા. અમદાવાદમાં સાબરમતી નદીના તટે ભદ્રેશ્વરનો આરો, ભીમનાથનો આરો, દધીચિનો આરો, સોમનાથ ભુદરનો આરો અને સપ્તર્ષિ એટલે કે સાત ઋષિઓના આરા સહિત કેટલાય ઐતિહાસિક આરા આવેલા છે જ્યાં શિવમંદિરો સ્થપાયેલાં હતાં અને છે. ભદ્રેશ્વરના આરાથી લઈને સપ્તર્ષિના આરા સુધીમાં આવેલા અનેક પ્રાચીન શિવમંદિરો સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. પાંચ પાંડવોએ સ્થાપેલાં શિવલિંગ હોય કે પછી શિવજીનું ઋણ ઉતારવા રાજા ઇન્દ્રએ સ્થાપેલું શિવલિંગ હોય કે દધીચિ ઋષિનાં હાડકાંમાંથી ખડગ બનાવીને રાક્ષસનો નાશ કરી સ્થપાયેલું શિવલિંગ હોય કે એકસાથે બાર જ્યોતિર્લિંગ સાથેનું શિવમંદિર હોય, આ બધાં શિવાલયો અમદાવાદમાં કોટ વિસ્તાર તરફ નદીકિનારે આવેલાં છે, પણ કાળક્રમે કોઈ શિવમંદિર સાબરમતી નદીના ઘોડાપૂરમાં જમીનમાં ધરબાઈ ગયાં તો કેટલાંક શિવમંદિરો અવાવરું હાલતમાં મુકાઈ ગયાં છે તો કેટલાંક શિવાલયોમાં આજે પણ પૂજાઅર્ચના થઈ રહી છે. ઘણામ શિવાલયો પર હેરિટેજ સ્ટ્રક્ચરના સિમ્બૉલ પણ લગાવેલા છે. જોકે આજે તો સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનતાં શિવમંદિરો નદીકિનારાથી થોડાં દૂર થયાં છે.  પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સાબરમતીના તટે આવેલાં પૌરાણિક શિવાલયોની સફર કરીને ભોળા શંભુની ભક્તિ કરતાં શિવમંદિરો સાથે જોડાયેલી લોકવાયકાઓ-દંતકથાઓ મંદિરોના પૂજારીઓ, ટ્રસ્ટીઓ પાસેથી જાણીએ. તસવીરો : જનક પટેલ

10 August, 2025 04:54 IST | Ahmedabad | Shailesh Nayak
આજના કવિવારના એપિસોડમાં કવિ મનહર મોદીની રચનાઓ

કવિવાર : એક કે બે પળ થઇ જવાની વાત કરતા કવિ મનહર મોદી

મનહર મોદીનો જન્મ અમદાવાદમાં થયો. ભાષાનો લગાવ એમને અધ્યાપકની સુદીર્ઘ યાત્રા તરફ દોરી ગયો. બુધસભાએ તેમને છંદો પર પ્રભુત્વ અપાવ્યું. `રન્નાદે` પ્રકાશનસંસ્થા પણ ઊભી કરી. નિરીક્ષક, ઉદ્દગાર, પરબ જેવા સામયિકોના તંત્રીપદે પણ તેઓએ ભાષા-સાહિત્યના સંવર્ધનનું કામ કર્યું. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

06 August, 2025 06:55 IST | Mumbai | Dharmik Parmar
કચરાને કંચન બનાવવાનું આમની પાસેથી શીખીએ

કચરાને કંચન બનાવવાનું આમની પાસેથી શીખીએ

દેશભરમાં ગાર્બેજનો નિકાલ કરવામાં કેટલાંક ગામો અને શહેરોમાં અનુકરણીય કામ થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં જેમનો ઉલ્લેખ કર્યો છે એવા લોકો કઈ રીતે પર્યાવરણને જાળવવાની સાથે કમાણી પણ કરી રહ્યા છે એ જાણવા જેવું છે અનેક માણસો કોઈ આશય કે ઉદ્દેશ વિના ભેગા મળે તો એને ટોળું કહેવાય, પણ જો એ જ માણસો કોઈક સકારાત્મક ઉદ્દેશ સાથે ભેગા થાય તો એને સમૂહ કહેવાય છે. કંઈક એવું જ ઉદાહરણ ભારતનાં અલગ-અલગ રાજ્યોનાં કેટલાંક ગામડાંઓ ઊભું કરી રહ્યાં છે. કચરો. વિશ્વઆખામાં એકમાત્ર મનુષ્ય જ એવી પ્રજાતિ છે જે પર્યાવરણને હાનિ પહોંચાડે એવા કચરાનું સતત ઉત્પાદન કરતી રહે છે. સુખ અને સુવિધાના નામે આપણે હવે આ ધરતી પર એટલા મોટા પ્રમાણમાં કચરાની ઊલટીઓ કરવા માંડી છે કે આ પ્રકૃતિ માટે પણ હવે પરિસ્થિતિ અસહ્ય થતી જઈ રહી છે. ઘન કચરો, પ્રવાહી કચરો, વાયુ કચરો અને એવા તો કંઈકેટલાય કચરાનું પ્રમાણ દિવસે-દિવસે એટલું વધતું જઈ રહ્યું છે કે આ ધરા પર વિદ્યમાન પ્રાકૃતિક પર્વતો હવે ખનન અને વૃક્ષ કાપવાને લીધે ઘટતા જઈ રહ્યા છે અને એની સામે કચરાના પહાડો ઉત્તરોત્તર વધતા જ જઈ રહ્યા છે. જોકે જ્યાં એક તરફ આવી નિરાશાજનક અને કડવી વાસ્તવિકતા છે ત્યાં જ બીજી તરફ પ્રેરણાદાયક એવી સકારાત્મક બાબતો પણ ભારતનાં કેટલાંક નાનાં શહેરોમાં અને ગામડાંઓમાં જોવા મળતી થઈ છે. આપણા જેવા કેટલા માણસો એમાંથી કઈ રીતે પ્રેરણા લેશે એ તો ખબર નથી, પણ એટલું ચોક્કસ છે કે આવાં સકારાત્મક ઉદાહરણો માણસોનું ટોળું નહીં પરંતુ સમૂહ ઊભાં કરી રહ્યાં છે. કચરો બધા ફેલાવે છે છતાં કચરો લઈ જતી ગાડી બાજુમાંથી પસાર થાય ત્યારે આપણે નાક બંધ કરી લેતા હોઈએ છીએ ત્યારે આવા કચરાનો સકારાત્મક નિકાલ કઈ રીતે કરવો એ શીખવતાં કેટલાંક જીવંત ઉદાહરણો પણ છે. આજે હવે વાત નીકળી જ છે તો ચાલો ભારતભ્રમણ કરીએ એ જાણવા કે ક્યાં-ક્યાં લોકોએ કઈ-કઈ રીતે કચરાના સકારાત્મક નિકાલનો વિકલ્પ ઊભો કર્યો છે અને અસામાન્ય દૃષ્ટાંત ઊભાં કર્યાં છે. કોઈક એક શહેરની એક સોસાયટીથી આ સફર શરૂ કરીએ અને ત્યાંથી ગામડે અને ગામડેથી નગરપાલિકા અને પાલિકાથી શહેર સુધીની આજે લટાર મારી આવીએ. કરીએ થોડું આત્મમંથન હવે કચરો કે કચરાની ગાડી જોઈને આપણે નાકનું ટીચકું ચઢાવવા પહેલાં એટલો વિચાર જરૂર કરવો પડે કે આ કચરામાં કેટલોક હિસ્સો એવો પણ છે જે મેં પેદા કર્યો છે અને છતાં મારા એ વેસ્ટમાંથી કશુંક બેસ્ટ બનાવવા માટે હું કશું જ નથી કરી રહ્યો કે રહી. વિચારો કે આ બધાં પ્રેરણાત્મક ઉદાહરણોમાંથી કોઈક એક ઉદાહરણ પણ જો આપણે ઘરમાં કે સોસાયટીમાં અપનાવીએ તો કમસે કમ એટલો કચરો તો ડમ્પિંગ ગ્રાઉન્ડ જતાં અટકી જશે. પ્રકૃતિ પ્રસન્ન અને તંદુરસ્ત રહેશે તો જ આપણે અને આપણો સમાજ પણ પ્રસન્ન અને તંદુરસ્ત રહી શકીશું એટલો વિચાર આપણે બધાએ એક વાર કરવો રહ્યો.

03 August, 2025 05:38 IST | New Delhi | Aashutosh Desai
દાદર ખાતે આવેલ યોગીસભાગૃહમાં અભિવાદનસભા યોજાઈ હતી

આ બાલ-બાલિકાઓને સો-સો સલામ! સંસ્કૃત શ્લોકોનો કર્યો કંઠપાઠ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંકલ્પે મુંબઈનાં ૩૭૭ બાલ-બાલિકાઓએ સત્સંગ દીક્ષાના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો કંઠપાઠ કર્યો હતો. તેમની અભિવાદનસભાનું આયોજન તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું.

30 July, 2025 06:58 IST | Mumbai | Dharmik Parmar
આજનું આસ્થાનું એડ્રેસ છે પવઈ ખાતે આવેલું સુવર્ણ નાગ મંદિર

આસ્થાનું એડ્રેસ : પવઈના આ મંદિરમાં નાગદેવીની કરાય છે પૂજા

પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજનો દિવસ નાગપંચમી તરીકે પણ ઊજવાય છે. આજે તમને મુંબઈના એક એવા આસ્થાના એડ્રેસ પર લઇ જવા છે જ્યાં નાગદેવી બિરાજે છે. પવઈમાં આ મંદિર આવેલું છે. આમ તો, આ મંદિર જ્યાં સ્થિત છે તે પવઈ વિસ્તારનું નામ સુદ્ધા `પદ્માવતી` પરથી ઊતરી આવ્યું હોવાનું કહેવાય છે.  માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `આસ્થાનું એડ્રેસ` (Aastha Nu Address) જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જઈશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

30 July, 2025 06:57 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK