આવા જ વિચાર સાથે હું તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જય ખોડિયાર નાસ્તાગૃહ પર ઊભો રહ્યો અને પછી તો જાણે દોથો ભરીને ટેસડો પડી ગયો
ખાઈપીને જલસા
સંજય ગોરડીયા
હમણાં અમારા નાટકનો શો સુરતમાં હતો. અમદાવાદમાં તો શો ચાલુ જ હતા એટલે અમે અમદાવાદથી સવારે સુરત જવા રવાના થયા અને બપોરે દોઢ વાગ્યે સુરત પહોંચ્યા. આ સમય તો જમવાનો; પણ મેં નક્કી કરી લીધું હતું કે હું હોટેલ પર નહીં જમું, હું તમારી માટે સરસ આઇટમ શોધવા જઈશ. બન્યું એમાં એવું હતું કે અમદાવાદમાં મારી એ શોધ અધૂરી રહી ગઈ હતી. સારી આઇટમ શોધવા હું ગયો ચાર-પાંચ જગ્યાએ પણ સાલ્લું ક્યાંય મજા આવે નહીં અને કૉલમનો દિવસ એટલે કે શનિવાર નજીક આવતો હતો.