Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > દિવાસ્વપ્નમાં રાચતી વ્યક્તિને ઇલાજની જરૂર છે?

દિવાસ્વપ્નમાં રાચતી વ્યક્તિને ઇલાજની જરૂર છે?

30 August, 2021 11:03 AM IST | Mumbai
Dr. Kersi Chavda

મારું મન તો સતત વિચારોમાં જ હોય છે. દિવાસ્વપ્નમાં હું રાચતો હોઉં એવું મેં અનુભવ્યું છે. મારા ઘરના લોકોએ મારો એક વિડિયો બનાવેલો જેમાં મારી આંખો ખુલ્લી છે, પણ હું જે જગ્યાએ જોઈ રહ્યો હતો એ વિશે મને કંઈ જ ખબર નથી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હું ૩૫ વર્ષનો છું અને છેલ્લાં બે વર્ષથી ઘરે જ છું. કામનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે. છેલ્લાં બે વર્ષથી ઘરે જ રહેવાને લીધે મારી અંદર ઘણાં પરિવર્તન આવ્યાં છે. આજકાલ ઘરના લોકો મારી સાથે વાત કરે તો મારું ધ્યાન જ નથી હોતું એવી તેમની ફરિયાદો છે. મારું મન તો સતત વિચારોમાં જ હોય છે. દિવાસ્વપ્નમાં હું રાચતો હોઉં એવું મેં અનુભવ્યું છે. મારા ઘરના લોકોએ મારો એક વિડિયો બનાવેલો જેમાં મારી આંખો ખુલ્લી છે, પણ હું જે જગ્યાએ જોઈ રહ્યો હતો એ વિશે મને કંઈ જ ખબર નથી. એ પછી મેં ખુદ પણ અનુભવ્યું કે મારી અંદર જાણે કે ફિલ્મો જ ચાલ્યાં કરે છે. એક પછી એક બનાવો, સપનાની જેમ મારી અંદર ચાલતા રહે છે. શું મને સાઇકિયાટ્રિસ્ટની હેલ્પની જરૂર છે?  

ડે-ડ્રીમિંગ લગભગ બધા જ લોકો કરતા હોય છે. ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હોય શકે જે ડે-ડ્રીમ નથી કરતી હોતી. ડે-ડ્રીમમાં તમે એ વિચારમાં એવા ખોવાણા હો કે તમને એ દૃશ્ય પણ દેખાય અથવા તો કહીએ કે તમે એમાં ઊંડા ઊતરી ગયા હો એટલે એ દૃશ્યની કલ્પના તમારી સમક્ષ આવી જાય. એનાં પાત્રો શું વાત કરશે એ ડાયલૉગની કલ્પના પણ તીવ્ર હોય છે કે તે વ્યક્તિના અવાજમાં એ સંભળાય પણ ખરી. દિવસે જોવામાં આવતાં સપનાંઓમાં મોટા ભાગે વ્યક્તિની ઇચ્છા કે આકાંક્ષા છુપાયેલી હોય છે જે ભવિષ્ય સાથે સંલગ્ન હોય છે.
ધ્યાન આપો તો દિવસે સપનાં જોવાનું કાર્ય એ જાત સાથેનું કમ્યુનિકેશન છે, જેના દ્વારા તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખી પણ શકો છો. વળી, જાત સાથેના કમ્યુનિકેશનની સાથે-સાથે એ એક થેરપીની જેમ પણ વર્તે છે, પરંતુ અહીં અમુક વસ્તુ મહત્ત્વની છે કે શું તમે નાનપણથી જ ડે-ડ્રીમર હતા? કે અચાનક ૩૫ વર્ષની ઉંમરે આ બધું તમારી સાથે થઈ રહ્યું છે? જો અચાનક આ ઉંમરમાં આ બધું થઈ રહ્યું હોય તો તમને એક વાર સાયકિયાટ્રિસ્ટને મળવાની જરૂર છે, કારણ કે એ નૉર્મલ તો ન કહી શકાય. બીજું એ કે જો નાનપણથી પણ એવું થતું હોય તો પણ એક વાર તમારે સાયકિયાટ્રિસ્ટને મળવું જોઈએ, કારણ કે તમારી આ આદત તમારા રૂટીનને, તમારી આસપાસના લોકોને તકલીફ આપી રહી છે. આ આદત સાથે કોઈ નીચે ધરબાયેલી માનસિક અવસ્થા તો જવાબદાર નથી એ એક વાર ચકાસી લો. 


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2021 11:03 AM IST | Mumbai | Dr. Kersi Chavda

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK