Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પૉશ્ચર ઠીક કરવા પિલાટેઝ બેસ્ટ એક્સરસાઇઝ છે

પૉશ્ચર ઠીક કરવા પિલાટેઝ બેસ્ટ એક્સરસાઇઝ છે

Published : 28 February, 2025 07:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પિલાટેઝ જેના પર કામ કરે છે એ છે તમારા કોર મસલ્સ. ભારતીય લોકોમાં કોર મસલ્સ નબળા હોય છે.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


હમણાં મારી પાસે ૧૨ વર્ષની દીકરીની મમ્મી આવેલી. એ છોકરીનું પૉશ્ચર ખૂબ જ ખરાબ હતું. તેને પૉશ્ચર ઠીક કરવા માટે યોગ કરવા મૂકી પણ એ તેને બોરિંગ લાગતું હતું. આમ શરીર ખડતલ હતું. છોકરી બાસ્કેટબૉલ પણ રમતી હતી. પણ ખૂંધ કાઢીને જ ચાલે. ખભા હંમેશાં નમેલા અને પીઠ ગોળાકાર. તેને કહો કે આ ટટ્ટાર કર તો ૧ મિનિટ જ તે પૉશ્ચર જાળવી રાખે, પાછી નમી જાય. મેં તેને કહ્યું કે આ છોકરીને પિલાટેઝ શીખવો. આજે ૩ મહિનામાં જ છોકરીમાં ઘણું સારી ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળી રહ્યું છે.


પિલાટેઝ જેના પર કામ કરે છે એ છે તમારા કોર મસલ્સ. ભારતીય લોકોમાં કોર મસલ્સ નબળા હોય છે. સમજવા જેવી વાત છે કે પિલાટેઝમાં મૂળભૂત રીતે જેના પર કામ કરવામાં આવે છે એ છે પેટના સ્નાયુઓ, જેને અંદર ખેંચવામાં આવે તો કરોડરજ્જુ આપોઆપ સીધી થઈ જાય છે. હિપ્સ પોતાની જગ્યા પર આવે છે અને ઘૂંટણ પર બિનજરૂરી સ્ટ્રેસ આવતું નથી અને પીઠ, ગરદન બધા જ સ્નાયુઓ વ્યવસ્થિત રહે છે કારણ કે એનાથી પૉશ્ચર સુધરી જાય છે. હું આ એક્સરસાઇઝનો ઉપયોગ પ્રિવેન્ટિવ ફિઝિયોથેરપીમાં કરું છું. આ એવી એક્સરસાઇઝ છે જેને કારણે વ્યક્તિ ઘણીબધી તકલીફોથી બચી શકે છે. સૌથી મોટો એનો ફાયદો એ છે કે એ પૉશ્ચર સુધારે છે અને પૉશ્ચર સુધરવાને લીધે બૅકપેઇન, ઘૂંટણનું પેઇન, સર્વાઇકલ પેઇન વગેરે ટાળી શકાય છે.



પિલાટેઝમાં શરીર પરનો કન્ટ્રોલ ખૂબ જ જરૂરી છે અને એમાં બ્રીધિંગનું પણ ઘણું મહત્ત્વ છે. ૮ વર્ષથી લઈને ૮૮ વર્ષ સુધીની વ્યક્તિ પિલાટેઝ કરી શકે છે પણ સાવ કોઈ દિવસ એક પણ એક્સરસાઇઝ ન જ કરી હોય એવા લોકો માટે પિલાટેઝ થોડો હેવી ડોઝ બની શકે છે. એટલે થોડું તો ફિટનેસ લેવલ હોવું જરૂરી છે. આમ જોઈએ તો આ ફૉર્મ યોગ જેવું જ છે. જે વ્યક્તિઓને યોગ કરવામાં મજા આવતી હોય તેમને પિલાટેઝમાં પણ ખૂબ મજા આવશે જ, પરંતુ સામાન્ય યોગ કરતાં આ એક્સરસાઇઝ થોડી કઠિન ગણી શકાય છે. જેમને બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ કે આર્થ્રાઇટિસ જેવા રોગોમાં પણ પિલાટેઝ કરી શકાય છે પરંતુ પહેલાં એ જોવું જરૂરી છે કે એ વ્યક્તિનું ઓવરઑલ ફિટનેસ લેવલ કેવું છે, તેણે ક્યારેય એક્સરસાઈઝ કરી છે કે નહીં એ જોઈને જ નિર્ણય લઈ શકાય છે. આમ જોઈએ તો ૨૦ વર્ષની ઉંમરે આ એક્સરસાઇઝ શરૂ કરી દેવી જોઈએ જેથી ૬૦ વર્ષની ઉંમર થઈ જાય તો પણ કોઈ જાતની તકલીફ ન રહે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2025 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK