Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજથી કાળઝાળ ગરમીમાંથી થોડી મળી શકે છે રાહત

આજથી કાળઝાળ ગરમીમાંથી થોડી મળી શકે છે રાહત

Published : 28 February, 2025 08:48 AM | Modified : 28 February, 2025 02:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૮ કલાક માટે મુંબઈ સહિત રાયગડ અને રત્નાગિરિમાં હીટ વેટનું અલર્ટ જાહેર કર્યું હતું. જોકે હવે અલર્ટ પૂરું થઈ ગયું છે અને આજથી તાપમાન ૩૫ ડિગ્રી કે એનાથી ઓછું થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા ચાર-પાંચ દિવસથી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા મુંબઈગરાને આજથી થોડી રાહત મળવાની શક્યતા છે. સોમવારથી રોજ ૩૮ ડિગ્રીથી વધારે રહેલું તાપમાન આજે ૩૪થી ૩૫ ડિગ્રી રહેવાની આગાહી વેધશાળાએ કરી છે.


વેધશાળાના ડિરેક્ટર સુનીલ કાંબળેએ છેલ્લા ચાર દિવસના તાપમાન વિશે કહ્યું હતું કે ‘ફેબ્રુઆરીમાં તાપમાનમાં વધારો થવો અસામાન્ય નથી. આ પહેલાં પણ આ રીતે ટેમ્પરેચરમાં વધારો થયો છે. આ જ કારણસર અમે ૪૮ કલાક માટે મુંબઈ સહિત રાયગડ અને રત્નાગિરિમાં હીટ વેટનું અલર્ટ જાહેર કર્યું હતું. જોકે હવે અલર્ટ પૂરું થઈ ગયું છે અને આજથી તાપમાન ૩૫ ડિગ્રી કે એનાથી ઓછું થઈ શકે છે.



ક્યારે કેટલું તાપમાન હતું?


સોમવાર

સાંતાક્રુઝ : ૩૮.૪ ડિગ્રી


કોલાબા : ૩૬.૮ ડિગ્રી

મંગળવાર

સાંતાક્રુઝ : ૩૮.૭ ડિગ્રી

કોલાબા : ૩૪.૬ ડિગ્રી

બુધવાર

સાંતાક્રુઝ : ૩૮.૫ ડિગ્રી

કોલાબા : ૩૫.૩ ડિગ્રી

ગુરુવાર

સાંતાક્રુઝ : ૩૮.૪ ડિગ્રી

કોલાબા : ૩૪.૯ ડિગ્રી

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2025 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK