Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ખબર છે કે આપણા શરીરના વિવિધ અવયવોના પણ વર્કિંગ અવર્સ હોય?

ખબર છે કે આપણા શરીરના વિવિધ અવયવોના પણ વર્કિંગ અવર્સ હોય?

Published : 04 June, 2025 02:44 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ઘણી સમસ્યાઓનું સમાધાન પણ મેળવી શકાય. કયા અવયવનો વર્કિંગ અવર કયો અને એને કઈ રીતે અનુસરો તો લાભ થાય એ જાણી લો

અવયવો અને ઘડિયાળ

અવયવો અને ઘડિયાળ


ચાઇનીઝ ઍક્યુપંક્ચર સાયન્સ મુજબ દરેક અવયવ દિવસનો અમુક સમય વિશેષ ઍક્ટિવ હોય છે. જેમ કે ફેફસાં સવારે ૩થી ૫ દરમ્યાન સૌથી વધુ સક્રિય હોય છે. તમે જો આ વર્કિંગ અવર્સને ધ્યાનમાં રાખીને કામ કરો, તમારું રૂટીન બનાવો તો ઘણા રોગોને આવતાં રોકી શકાય અને ઘણી સમસ્યાઓનું સમાધાન પણ મેળવી શકાય. કયા અવયવનો વર્કિંગ અવર કયો અને એને કઈ રીતે અનુસરો તો લાભ થાય એ જાણી લો


જીવન આખું એક રિધમ પર ચાલે છે. મહાન વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાએ એને ફ્રીક્વન્સી સાથે જોડ્યું. આખા બ્રહ્માંડની સાથે આપણું અસ્તિત્વ એક ફ્રીક્વન્સીથી જોડાયેલું છે. આજના જમાનામાં ફ્રીક્વન્સી વિજ્ઞાન ખૂબ જ ઇનથિંગ મનાઈ રહ્યું છે ત્યારે ચાઇનીઝ ટ્રેડિશનલ મેડિસિનનો ઑર્ગન-ક્લૉકનો કન્સેપ્ટ સમજવા જેવો છે. ઍક્યુપંક્ચર પદ્ધતિ જે ખૂબ જ પ્રાચીન ઉપચાર-પદ્ધતિમાંની એક છે અને જેના થકી અનેક અકસીર ઇલાજો સંભવ બન્યા છે એ વિજ્ઞાન બૉડી-ક્લૉકની નહીં પણ ઑર્ગન-ક્લૉકની વાત કરે છે. આપણા સૂવા-જાગવાના શરીરના સમયપત્રકથી પણ એક ડગલું આગળ આપણા શરીરનાં વિવિધ અંગોનું પણ એક સમયપત્રક છે અને એ સમયપત્રકમાં દિવસના જે-તે સમયે એ અવયવો વિશેષ સક્રિય હોય છે. જે જ્યારે સક્રિય હોય ત્યારે એની પાસે એની આવડતનું કામ લેવાય તો શ્રેષ્ઠ પરિણામ મળે એ આ વિવિધ અવયવોના વર્કિંગ અવર્સમાં પણ લાગુ પડે છે. શરીરના કયા અવયવોના વર્કિંગ અવર્સ કયા અને એનો બેનિફિટ કઈ રીતે લઈ શકાય એ વિષય પર ઍક્યુપંક્ચરિસ્ટ ડૉ. ઉષા જૈન સાથે વિગતવાર વાતો કરીએ. 




ઍક્યુપંક્ચરિસ્ટ ડૉ. ઉષા જૈન

અવયવો અને ઘડિયાળ 


વિવિધ અવયવોના વર્કિંગ અવર્સ વિશે વાત કરતાં ડૉ. ઉષા જૈન કહે છે, ‘ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિનના મૂળમાં ચાઇનીઝ ઑર્ગન-ક્લૉક આપવામાં આવી છે. ચોવીસ કલાકના ગાળામાં શરીરના મહત્ત્વના બાર અવયવોની સક્રિયતા બે કલાક પીક પર એટલે કે સર્વોપરી ક્ષમતામાં હોય છે અને એના વિપરીતના બે કલાક મિનિમમ સક્રિય હોય છે. આ સમયપત્રકની ખબર હોય અને તમે જો એને અનુરૂપ તમારું જીવન બનાવો તો શરીરના ઘણા રોગોને આવતા પહેલાં જ રોકી શકાય. જેમ કે સવારે સાતથી નવ દરમ્યાન આપણું પેટ સૌથી વધુ સક્રિય અવસ્થામાં હોય છે. આ સમયે જો તમે પેટ ભરીને ભોજન લો તો એનું પાચન પર્ફેક્ટ્લી થશે પરંતુ એની સામે સાંજે સાતથી રાતે નવ દરમ્યાન પેટ સૌથી ઓછું સક્રિય અવસ્થામાં હશે. આવા ટાઇમે ભોજન લેશો તો પાચનની સમસ્યા નિશ્ચિતપણે થશે. ઑર્ગનના ટાઇમ એ રીતે લાઇફસ્ટાઇલને વધુ બહેતર બનાવવાની બાબતમાં ગાઇડિંગ ફોર્સનું કામ કરી શકે એમ છે.’

ઊર્જાવિજ્ઞાનની વાત

ચાઇનીઝ બૉડી-ક્લૉકને સમજવા માટે સૌપ્રથમ તમારે ‘ચી’ (Qi)ના તત્ત્વને સમજવું જરૂરી છે એમ જણાવતાં ડૉ. ઉષા જૈન કહે છે, ‘ચાઇનીઝ મેડિસિન શાસ્ત્રમાં ‘ચી’ એ ઊર્જા માટે વપરાતો શબ્દ છે – માત્ર શારીરિક નહીં, પણ આધ્યાત્મિક, ભાવનાત્મક અને કુદરતી ઊર્જા માટે પણ. ધરતીમાં પણ ‘ચી’ છે, તમારા શરીરમાં પણ છે અને તમારા વિચારો અને લાગણીઓમાં પણ ‘ચી’ પ્રવાહિત થાય છે. ‘ચી’ સતત પરિવર્તનશીલ છે. એ સદાય ગતિમાં રહે છે — શરીરમાં, વ્યક્તિથી વ્યક્તિમાં કે વસ્તુઓ વચ્ચે. આ જ ‘ચી’ના વહેણના સિદ્ધાંત પર ચાઇનીઝ બૉડી-ક્લૉક આધારિત છે. ચીનાઓની પરંપરાગત દૃષ્ટિએ શરીરમાં ‘ચી’ દર ૨૪ કલાકમાં બે-બે કલાકના અંતરે અલગ-અલગ અંગપ્રણાલીઓમાં પ્રવાહિત થાય છે. જ્યારે તમે ઊંઘમાં હો ત્યારે ‘ચી’ અંદર તરફ ખેંચાય છે જેથી આખા શરીરની ઊર્જાને પુનઃસ્થાપિત કરી શકાય.’

કયા ઑર્ગનનો વર્કિંગ અવર કયો?

ફેફસાં : ૩થી વાગ્યે (સવારે)

આ સમયગાળામાં ફેફસાં એનર્જીથી ભરપૂર હોય છે. આ સમયે વ્યાયામ કરવાનું શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે ફેફસાં સ્વચ્છ હવામાં શ્વાસ લઈને શરીરમાં પ્રાણશક્તિથી ભરવાનું કાર્ય સારી રીતે કરી શકે છે. એટલે જ એક્સરસાઇઝ, પ્રાણાયામ, યોગ, રનિંગ, સાઇક્લિંગ વગેરે કરવા માટે આ શ્રેષ્ઠ સમય મનાય છે.

મોટું આંતરડું : પાંચથી વાગ્યે (સવારે)

આ સમય દરમ્યાન મોટા આંતરડાનું કાર્ય પોતાની સર્વાધિક ક્ષમતામાં હોય છે. શરીરમાંથી બિનજરૂરી તત્ત્વો બહાર કાઢવા માટેનો આ યોગ્ય સમય છે. જેમને પેટની સમસ્યા હોય, કબજિયાતની તકલીફ હોય તેઓ જો આ સમયે જાગી ગયા હોય તો ધીમે-ધીમે મોટા આંતરડાને સક્રિય કરીને એ સમસ્યા દૂર કરી શકાય.

પેટ : ૭થી વાગ્યે (સવારે)

સવારે એક્સરસાઇઝ થઈ ગઈ અને પેટ પણ સાફ થઈ ગયું એ પછી જ્યારે ભોજન લેવામાં આવે ત્યારે એનું પાચન થવાની સંભાવના વધી જાય છે. ચાઇનીઝ ટ્રેડિશનલ મેડિસિનની ઑર્ગન-ક્લૉકના હિસાબે સવારે સાત વાગ્યાથી નવ વાગ્યાનો સમય પાચન માટે શ્રેષ્ઠ સમય છે અને એટલે જ આ સમયે જો પચવામાં ભારે હોય એવો આહાર પણ બ્રેકફાસ્ટમાં લેવાય તો એનું પાચન ઝડપથી થશે. જોકે આ જ સમયગાળાનો સાંજનો ભાગ પકડીએ ત્યારે પાચન સૌથી નબળું હોય છે અને એટલે જ સાંજનું વાળુ સાતથી નવ વાગ્યા દરમિયાન ટાળવું
જોઈએ.

સ્પ્લીન (બરોળ) : ૯થી ૧૧ વાગ્યે (સવારે)

સ્પ્લીન પાચનક્રિયા સાથે સંકળાયેલી છે. ખાસ કરીને પાચનના પ્રથમ તબક્કા સાથે. આ સમયે સ્પ્લિન પાચન થયેલા પદાર્થોમાંથી પોષક તત્ત્વો શોષી શરીરમાં ઊર્જા ઊભી કરે છે.

હૃદય : ૧૧થી વાગ્યા સુધી (સવારે)

આપણું હૃદય શાંતિ અને માનસિક સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે. હૃદયના વર્કિંગ અવર્સમાં વ્યક્તિએ બને એટલા શાંત રહેવાની અને સ્ટ્રેસથી અંતર રાખવાની આવશ્યકતા હોય છે ક્રીએટિવિટી વધારવા માટે આ ઉપયોગી સમય મનાય છે.

નાનું આંતરડું : ૧થી વાગ્યે (બપોરે)

સ્પ્લિન એક વાર પોતાનું કામ પતાવી દે એ પછી પણ પાચનક્રિયામાં કેટલીક બાબતો બાકી રહે છે જેના માટે નાના આંતરડાની રચના થઈ છે. પોષક તત્ત્વો અને વેસ્ટ પ્રોડક્ટ ને જુદા કરીને પોષક તત્વોને શરીરમાં શોષવાનું કામ અને નકામા પદાર્થને શરીરમાંથી બહાર કાઢવાના કામમાં નાનું આંતરડું મદદ કરે છે. એટલે જ બપોરે ૧થી ૩નો ટાઇમ ભોજનનો નહીં પણ લીધેલા ભોજનમાંથી પોષક તત્ત્વોને શરીરના કોષો સુધી પહોંચાડવાનો સમય છે.

મૂત્રાશય : ૩થી પાંચ વાગ્યે (સાંજે)

બપોરે ત્રણથી સાંજે પાંચ વાગ્યા સુધી યુરિનરી બ્લૅડરના વર્કિંગ અવર્સ માનવામાં આવે છે ચાઇનીઝ મૅરિડિયન સાયન્સની દૃષ્ટિએ યુરિનરી બ્લૅડર આપણી લોઅરબૅક સાથે પણ સંકળાયેલો ભાગ છે. જેમને પણ કમરના દુખાવા હોય તેમને આ સમયે દુખાવાની તીવ્રતા વધુ હોય એવી શક્યતા રહે છે. આ સમયમાં ટ્રીટમેન્ટ કરવાથી રિલીફ મળવાની સંભાવના પણ વધી જાય છે. આ સમયે પાણી પીવું જોઈએ અને શરીરને આરામ આપવો જોઈએ.

કિડની : પાંચથી વાગ્યે (સાંજે)

યુરિનરી બ્લૅડરની જેમ જ કિડનીનો સમય શરૂ થાય છે, જે પણ શરીરની વેસ્ટ પ્રોડક્ટને બહાર ધકેલવાની દિશામાં આપણને મદદ કરે છે. સાંજે ૫ વાગ્યાથી લઈને ૭ વાગ્યા સુધીના સમયમાં કિડનીને મદદ કરે એવી એક્સરસાઇઝ કરવાથી પરિણામ વધુ સારું મળી શકે.

બ્રેઇન : ૭થી વાગ્યે (રાત્રે)

સાંજે સાત વાગ્યાથી લઈને રાતે નવ વાગ્યા સુધીનો સમય બ્રેઇનનો સમય માનવામાં આવે છે. બુદ્ધિ કસવી પડે એ પ્રકારની પ્રવૃત્તિઓ આ સમયમાં કરો તો મગજ જલદીથી એમાં પરોવાય અને બુદ્ધિપૂર્ણ કાર્યોમાં જલદી સફળતા પણ મળે. બ્રેઇનના સમયમાં ઘણા લોકો ભોજન વગેરે લેતા હોય છે, જે ઉચિત નથી. આપણે ત્યાં સાંજે સાત વાગ્યાનો સમય દીવાબત્તીનો પણ સમય માનવામાં આવે છે. એ પણ બ્રેઇનની ક્ષમતાને બહેતર બનાવવા માટે સારો પર્યાય બની શકે.

કરોડરજ્જુ : ૯થી ૧૧ વાગ્યે (રાત્રે)

કરોડરજ્જુ આપણા શરીરનો નૅશનલ હાઇવે મનાય છે. આખો દિવસ કરોડરજ્જુનો ભરપૂર ઉપયોગ કર્યા પછી આ સમય એવો હોય જ્યારે એને આરામ આપવાની દિશામાં સક્રિય થવું જોઈએ. રાતે ૯થી ૧૧ વાગ્યા સુધીના સમય દરમિયાન કરોડરજ્જુ સેલ્ફ-હીલિંગ મોડમાં હોય છે એટલે એ સમયે આપેલો આરામ આવનારા આખા દિવસ માટે ઊર્જા આપવાનું કામ કરે છે.

ગૉલ-બ્લૅડર : ૧૧થી વાગ્યે (રાત્રે)

આપણા શરીરમાં પાચનને લગતા વિવિધ એન્ઝાઇમ્સ બનાવવાનું, એને બ્રેકડાઉન કરીને પેટમાં પાચનને અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું અને કેટલાંક મહત્ત્વનાં પોષક તત્ત્વોને શોષવાનું કામ ગૉલ-બ્લૅડર થકી થાય છે. આ સમયે જો તમે બીજી કોઈ પણ ઍક્ટિવિટી ન કરો અને ગૉલ-બ્લૅડરને પોતાનું કામ કરવા દો તો તમારું પાચન વધુ બહેતર બની શકે અને એટલે જ આ સમયે ફોન, ટીવી વગેરેથી ડિસ્ટર્બ કર્યા વિના અથવા તો આ સમયે ભોજન લેવાનું અવૉઇડ કરીને ગૉલ- બ્લૅડરને એની ક્ષમતાનો આ શ્રેષ્ઠ સમય સારી રીતે ઉપયોગમાં લેવા દેવો જોઈએ.

લિવર : ૧થી વાગ્યે (રાત્રે)

આ સમયગાળા દરમિયાન યકૃતનો હાઇએસ્ટ ઍક્ટિવ હોવાનો સમય હોય છે. યકૃત લોહીને શુદ્ધ કરે છે અને શરીરમાં ઊર્જાનો પ્રવાહ સુનિશ્ચિત કરે છે. આ સમયે સૂઈ જવાથી લિવર પોતાનું કામ વધુ સારી રીતે કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2025 02:44 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK