Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


લેક તાહો અને પાનખની ઋતુ એટલે જાદુઇ રંગોની કલાકારી

Lake Tahoe: પાખરની ઋતુમાં ધરતી પર મેઘધનુષ રચતા દ્રશ્યો અહીં જોવા મળશે

પૂર્વીય સીએરા પર્વતોના હૃદયમાં સ્થિત, લેક તાહો એ પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસ શોધનારાઓ માટે સ્વર્ગ છે. આ અદ્ભુત તળાવ દરેક ઋતુમાં પોતાની રમણિયતાનો વૈભવ પ્રસરાવે છે, પરંતુ પાનખર ઋતુમાં તેનું સૌંદર્ય અસાધારણ બની જાય છે. સોનેરી અને લાલ રંગોમાં રંગાયેલા પર્વતો પેઇન્ટિંગ સમા લાગે છે. તે આકર્ષક દ્રશ્યો અને રોમાંચક મોસમી એક્ટિવિટી માટે પરફેક્ટ મંચ સાબિત થાય છે. આખું વર્ષ આમ તો અહીં ઘણું કરવાનુ હોય છે પણ પાનખરમાં લેક તાહોનો દક્ષિણ કિનારો પાનખર ઋતુમાં એક જાદુઈ રંગમંચ બની જાય છે.  (તસવીર સૌજન્ય Lake Tahoe Visitors Authority)

20 August, 2025 04:39 IST | Californial | Gujarati Mid-day Online Correspondent
વિશ્વમાં કેટલાંક એવાં સ્થળો કે ખૂણો જરૂર છે જ્યાં તમારું મૃત્યુ થાય કે માંદગી આવે તો એ ગેરકાનૂની છે.

યહાં મરના મના હૈ

વિશ્વનું એવું કોઈ સ્થળ કે કોઈ ખૂણો નથી કે જ્યાં મનુષ્ય મૃત્યુ નહીં પામતો હોય કે માંદગી નહીં આવતી હોય. પરંતુ વિશ્વમાં કેટલાંક એવાં સ્થળો કે ખૂણો જરૂર છે જ્યાં તમારું મૃત્યુ થાય કે માંદગી આવે તો એ ગેરકાનૂની છે. ખરેખર જ આવી અજીબોગરીબ બાબત માટે ત્યાં કાયદો બનાવવામાં આવ્યો છે. આપણે બધા અનેક વાર કહીએ છીએ અથવા સાંભળીએ છીએ કે ફરવા માટે યુરોપના દેશો ખૂબ સુંદર છે અને જીવનમાં ક્યારેક તો મોકો મળે તો યુરોપ ફરવા જવું જોઈએ. પરંતુ જ યુરોપનો એક દેશ છે સ્પેન. જ્યાંના શહેર ગ્રેનાડાના લાન્હારોન ગામમાં ૧૯૯૯ની સાલમાં તત્કાલીન મેયર જોસ રુબિયોએ એક કાયદો બનાવ્યો હતો જે અનુસાર લાન્હારોનમાં મરવું ગેરકાનૂની છે!

10 August, 2025 04:26 IST | Spain | Aashutosh Desai
પ્રતાપગડ કિલ્લો

શું ખાસ છે આ ૧૨ મરાઠા કિલ્લાઓમાં?

છત્રપતિ શિવાજી મહારાજના કાળના, મરાઠા મિલિટરી લૅન્ડસ્કેપના એક ડઝન કિલ્લાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યા છે ત્યારે આ ફોર્ટ્‍સ વિશે જાણીએ વિગતવાર મહારાષ્ટ્રની સરકાર દ્વારા થોડા દિવસ પહેલાં એક ગૌરવપ્રદ જાહેરાત કરવામાં આવી. મહાન મરાઠા શાસક જેમણે મોગલ આક્રાંતાઓને મહારાષ્ટ્રથી લઈને સમગ્ર દક્ષિણ ભારતનો કબજો મેળવતા રોક્યા હતા અને અનેક યુદ્ધોમાં તેમને પરાજયનો સામનો કરાવ્યો હતો એવા છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ હવે યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (UNESCO)ની હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રની રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત આવતા પુરાતત્ત્વ અને સંગ્રહાલય નિર્દેશાલય દ્વારા આ માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો અને શરૂ થયા આ ગૌરવાન્વિત સિદ્ધિ માટેના પ્રયત્નો. એના પરિણામસ્વરૂપ આખરે મહારાષ્ટ્રના ૧૧ અને તામિલનાડુનો એક કિલ્લો મળીને કુલ ૧૨ કિલ્લાઓને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સ્થાન મળ્યું. મહારાષ્ટ્રના રાયગડ, પ્રતાપગડ, પન્હાલા, શિવનેરી, લોહગડ, સાલ્હેર, સિંધુદુર્ગ, સુવર્ણદુર્ગ, વિજયદુર્ગ અને ખંડેરી સાથે તામિલનાડુનો જિંજીનો કિલ્લો આ યાદીમાં સ્થાન પામ્યા છે. યુનેસ્કોની હેરિટેજ સાઇટ્સની યાદીમાં સ્થાન પામવું એ કોઈ સામાન્ય ઘટના નથી. આ માટે અનેક માપદંડો અને સ્થળનું અસામાન્ય મહત્ત્વ જેવી કંઈકેટલીયે બાબતો સામેલ હોય છે. જેમ કે હમણાં જ સ્થાન પામેલા ૧૨ ઐતિહાસિક કિલ્લાઓની જ વાત કરીએ તો સૌથી મહત્ત્વનું પાસું એવું એમનું ઉત્કૃષ્ટ સાર્વભૌમિક મૂલ્ય છે જે એમને આ યાદીમાં સ્થાન અપાવી રહ્યું છે. એમાં એ સમયગાળામાં એનું સૈન્ય-મૂલ્ય અને સ્થાપત્યશૈલી સાથે જ સૌથી મોખરે એવો સાંસ્કૃતિક વારસો અને મહત્ત્વ સામેલ છે. આ કિલ્લાઓ કોઈ સ્થાપત્યનો બેનમૂન નમૂનો માત્ર નથી. આ તમામેતમામ કિલ્લાઓ મહારાષ્ટ્રની બહાદુરી, એક અજય હિન્દુ રાજવીના ઇતિહાસના સાક્ષી, એ સમયની ભારતની સ્થાપત્ય પરંપરા અને હિન્દુ સનાતન સ્વરાજ્યનું પ્રમાણ છે. મહારાષ્ટ્ર સરકારના પ્રયત્નોની શરૂઆત ૨૦૨૫ના ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રની રાજ્ય સરકારના સાંસ્કૃતિક બાબતો અને સૂચના પ્રધાન આશિષ શેલારના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળની રચના કરવામાં આવી. આ મંડળે ‘ભારતના મરાઠા સૈન્ય પરિદૃશ્ય’ની અવધારણા હેઠળ મહાન મરાઠા સામ્રાજ્યના રાજવી એવા છત્રપતિ શિવાજી મહારાજના તમામ કિલ્લાઓની એક યાદી તૈયાર કરી. એ યાદી અનુસાર એ તમામ કિલ્લાઓનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ શું છે એ વર્ણિત કરવામાં આવ્યું અને ત્યાર બાદ એ યાદી રજૂ કરવામાં આવી કેન્દ્ર સરકાર સમક્ષ. વડા પ્રધાનના કાર્યાલય દ્વારા ત્યાર બાદ મરાઠા સૈન્ય વાસ્તુકલાના એ પ્રસ્તાવને સમર્થન આપવામાં આવ્યું અને નક્કી થયું કે હવે પ્રસ્તાવ આગળ યુનેસ્કો સુધી લઈ જવામાં આવે. એમાં આર્કિયોલૉજીના જાણકાર અને આર્કિટેક્ટ ડૉ. શિખા જૈન અને આર્કિયોલૉજીના ડિરેક્ટર ડૉ. તેજસ ગર્ગ દ્વારા આ પ્રસ્તાવને યુનેસ્કોમાં રજૂ કરવાયોગ્ય બનાવવામાં આવ્યો અને ત્યાર બાદ કેન્દ્ર સરકાર સાથે મળીને આ યાદીમાં સામેલ એવા કિલ્લાઓને ‘યુનેસ્કો વિશ્વ ધરોહર’નો દરજ્જો અપાવવા માટેના પ્રારંભિક પ્રયત્નો શરૂ થયા. આશિષ શેલારના નેતૃત્વ હેઠળનું આ મંડળ ત્યાર બાદ આપણી ધરોહરના આ મહાન વારસાની વિગતો લઈને પૅરિસ ગયું અને ત્યાં યુનેસ્કો સામે રજૂ કરવામાં આવી તમામ વિગતો. ત્યાર બાદ યુનેસ્કો દ્વારા એ તમામ સાઇટ્સની વિઝિટ થઈ, એના ઐતિહાસિક મહત્ત્વ અને સાંસ્કૃતિક વારસાને સમજવામાં આવ્યાં. આખરે રાજ્ય સરકારને એ દરેક કિલ્લાને માત્ર મહારાષ્ટ્રના નહીં, માત્ર ભારતના પણ નહીં પરંતુ વિશ્વ ધરોહરમાં સ્થાન અપાવવામાં સફળતા મળી. મરાઠાઓ અને મહારાષ્ટ્ર માટે તો આ એક અત્યંત ગૌરવની બાબત છે જ, એની સાથે ભારત દેશના દરેક નાગરિક માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે આપણી ઐતિહાસિક ધરોહર હવે વિશ્વની ધરોહર તરીકે સ્થાન પામી છે. મહાન મરાઠા, અપ્રતિમ લડવૈયા અને જેમણે આખા વિશ્વને ગેરીલા યુદ્ધ જેવી અસામાન્ય રણનીતિનો વારસો આપ્યો તેમનાં પોતીકાં સ્થળોની મુલાકાત અને નોંધ હવે આખું વિશ્વ લેશે. ‘હિન્દવી સ્વરાજ્ય’ અર્થાત્ ‘સ્વશાસન’ના સંસ્કાર અને ખુમારી આ દેશને જેમણે આપી હતી એવા મહાન રાજવી અને તેમના સ્થાપત્યને સમર્થન મળ્યું છે, કારણ કે આ ૧૨ કિલ્લાઓ માત્ર કિલ્લાઓ કે સ્થાપત્યો જ નથી પરંતુ વિભિન્ન જાતિ અને સમુદાયના લોકોને એક એવા રાજ્યના નિર્માણ માટે એકજૂટ કર્યાની નિશાની છે જેણે પોતાના નાગરિકોના કલ્યાણ, સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી હતી. શા માટે મહત્ત્વના છે આ કિલ્લાઓ? ભારતના મહાન હિન્દુ સ્વરાજ્યના ઉદાહરણ સમા આ ૧૨ કિલ્લાઓ માત્ર કોઈ પથ્થરના અવશેષ નથી. આ તમામ કિલ્લાઓ મરાઠા સંપ્રભુતાની પણ નિશાની છે. સાથે જ સાબિતીઓ છે રણનીતિ કૌશલની, શક્તિશાળી સાંસ્કૃતિક વારસાની અને આ બધા સાથે આ કિલ્લાઓ તાદૃશ નમૂનો છે ભારતની બેનમૂન એન્જિનિયરિંગ અને સ્થાપત્યકલા અંગેના ગૂઢ જ્ઞાનનો. આ ૧૨ કિલ્લાઓમાં કોઈક કિલ્લો અત્યંત મુશ્કેલ ચડાઈવાળા પહાડો પર બન્યો છે તો કોઈક સમુદ્રકિનારે, કોઈક વળી સમુદ્રમાં જ ઊભરી આવેલા દ્વીપ પર બન્યો છે તો કોઈક પહાડો પર રચાયેલા મેદાની વિસ્તાર પર. આ દરેકેદરેક કિલ્લો ભારતના અને એ મહાન રાજવીના સૈન્યબળ અને સૈન્યયોજનાના કૌશલની, એ માટે જરૂરી ભૂગોળની ઊંડાણપૂર્વકની સમજની નિશાનીઓ છે. આથી જ યુનેસ્કો દ્વારા એમને માન્યતા મળી છે ત્યારે આ કિલ્લાઓ હવે માત્ર મહારાષ્ટ્રની કે ભારતની જ નહીં પરંતુ વિશ્વની મહાન રક્ષાત્મક સંરચનાઓમાં સ્થાન પામી ચૂક્યા છે. ભારતનાં એ એવાં દૂરંદેશી સ્થાપત્યો જેમણે રક્ષાત્મક કિલ્લાઓની સાથે જ શાસનનું કેન્દ્ર પણ બનીને બેવડી ભૂમિકા નિભાવી હતી. મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં આવેલા આ કિલ્લાઓ મહાન મરાઠા સામ્રાજ્યની અંતરદેશીય અને સમુદ્રતટીય વિરાસતને જોડતી કડીરૂપ છે. એટલું જ નહીં, આ કિલ્લાઓ અને આ વિરાસત આમંત્રણ છે ભારતના એક નિર્ણાયક યુગ વિશેની હજી વધુ ઘણી શોધ કરવા અંગેનું, આમંત્રણ છે એ અનેક રહસ્યોને ઉજાગર કરવાનું જે આ ધરોહરો સાથે ક્યાંક સાંસ્કૃતિક વારસા તરીકે દટાઈને પડ્યાં છે. કિલ્લાઓ હવે વિશ્વ ધરોહર ભારત માટે આ માત્ર એક સાંસ્કૃતિક ઉપલબ્ધિ નથી; પરંતુ એક દૃષ્ટિએ વિશ્વસ્તરે સ્વીકાર છે ભારતના અભેદ્ય વારસાનો, અપ્રતિમ સાહસ, કલા અને સૈન્યબળનો. પૅરિસમાં વિશ્વ ધરોહર સમિતિના ૪૭મા સત્રની શરૂઆત થઈ ત્યારે ભારત તરફથી પ્રસ્તુત એ કિલ્લાઓને માત્ર હેરિટેજ સાઇટ્સ તરીકેની નહીં પરંતુ એ વારસાને પણ માન્યતા મળી છે. ભારત હવે આ નવી યાદી સાથે પોતાના દેશમાં વિશ્વ ધરોહરની યાદીમાં કુલ ૪૪ સ્થળોને જોડી ચૂક્યું છે. ૧૭મી સદીથી લઈને છેક ૧૯મી સદી સુધીની મરાઠા સૈન્યશક્તિને તાદૃશ કરનારા આ ૧૨ કિલ્લાઓ સાધારણ કિલ્લેબંધી કે સૈન્ય-સંરચનાના બેનમૂન નમૂનાથી ક્યાંય અધિક છે. આ સંરચનાઓ મરાઠા સામ્રાજ્યની રક્ષાનીતિ, ભૂગોળ અને રાજનૈતિક રણનીતિ પર ઉત્કૃષ્ટ પકડને દર્શાવે છે. યુનેસ્કોમાં જ્યારે આ અંગે પ્રસ્તાવ રજૂ થયો એ પહેલાં અને ત્યાર પછી પણ ઇન્ટરનૅશનલ કાઉન્સિલ ઑન મૉન્યુમેન્ટ્સ ઍન્ડ સાઇટ્સ (ICOMOS) અને વૈશ્વિક ધરોહરનું આકલન કરતી સંસ્થાઓ દ્વારા ૧૮ મહિના સુધી એક-એક સ્થળનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. એમાં આજુબાજુનાં સ્થળોની ભૂગોળથી લઈને રણનીતિક દૂરદર્શિતા, એનાં સ્થાપત્યો સમયે કેવી-કેવી અને કેટલી મુશ્કેલીઓ નડી હશે, એવા સંજોગો સાથે એનું બાંધકામ કઈ રીતે અને કેવી રીતે કરવામાં આવ્યું હશે, કેટલા મજૂરો કે સૈન્યનો ઉપયોગ થયો હશે, આ માટે એ સમયની એન્જિનિયરિંગ સમજ અને કક્ષા કેવી હશે વગેરે જેવા તમામ આયામોનો અભ્યાસ કર્યા બાદ આજે હવે મહારાષ્ટ્ર અને તામિલનાડુના મળીને કુલ ૧૨ કિલ્લાઓ ભારતના પુરાતત્ત્વ વિભાગ અને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ધરોહર વિભાગ દ્વારા સંરક્ષિત એવા યુનેસ્કો હેરિટેજ સાઇટ્સના કિલ્લાઓ બની ચૂક્યા છે. ક્યાં છે અને કેવા છે આ કિલ્લાઓ? કિલ્લાઓ માત્ર કિલ્લાઓ નથી. એના બાંધકામના આધારે એ દરેકની અલગ-અલગ વિશેષતાઓ છે.

20 July, 2025 05:33 IST | Mumbai | Aashutosh Desai
`સંજાવ’ ફેસ્ટિવલની એક ઝલક

ગોવા ટુરિઝમનું ‘સંજાવ’ શિવોલી બોટ ફેસ્ટિવલ છે એડવેન્ચર અને પરંપરાઓનું મિશ્રણ

ગોવા સરકારના પર્યટન વિભાગ દ્વારા શિવોલી સંજાવ ટ્રેડિશનલ બોટ ફેસ્ટિવલ અને કલ્ચરલ સોસાયટીના સહયોગથી 24 જૂન 2025 ના રોજ શિવોલી ખાતે ‘સંજાવ 2025’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક બહુપ્રતિક્ષિત સાંસ્કૃતિક ઉત્સવ શિવોલીના નદી કિનારે આવેલા ગામમાં સેન્ટ એન્થોની ચર્ચની સામે યોજાશે, જે પરંપરા, રંગ અને સમુદાય એકતાનું પ્રતીક છે.

20 June, 2025 07:00 IST | Goa | Gujarati Mid-day Online Correspondent
ફિલાડેલ્ફિયાનો ઉનાળો અઢળક વિકલ્પોથી  ભરપૂર

Summer in Philadelphia: સંગીત, ખાણી-પીણી, રમત-ગમત અને રોમાન્સ, જે માગો એ હાજર

સાંસ્કૃતિક ઉજવણીઓ, યાદગાર તહેવારો અને મજેદાર પૉપ-અપ્સ એ ફિલાડેલ્ફિયાની સમર સિઝનનો અનુભવ લેવાની ઘણી બાબતોમાંના કેટલાક જાણીતા વિકલ્પો છે. ફિલાડેલ્ફિયા સમર માટે કેમ અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે એ જાણવા માટે હાજર છે શ્રેષ્ઠ વિકલ્પો આઉટડોર એક્ટિવિટીઝના. વાઇબ્રન્ટ આઉટડોર્સ – જ્યારે સુરજ પ્રકાશતો હોય ત્યારે આઉટડોર જવા માટે ફિલાડેલ્ફિયા બેસ્ટ છે. ફાઉન્ટેન શોઝ, મીની ગોલ્ફ, ડાન્સ લેસન્સ અને બીજી ફેમિલી ફ્રેન્ડલી એક્ટિવિટી તમે ફ્રેન્કલીન સ્ક્વેરમાં કરી શકશો. જૂનમાં શરૂ થતો વાર્ષિક ચાઇનિઝ લેન્ટર્ન ફેસ્ટિવલ સાંજે માણવાનું ચૂકતા નહીં જ્યારે એલઈડી લાઇટ્સથી સજાવેલા હજારો લેન્ટર્ન્સ ફ્રેન્કલીન સ્કેવરને ટેક્નિકલરમાં ફેરવી નાખે છે

14 May, 2025 07:02 IST | Philadelphia | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

કાશ્મીર જવું જોઈએ કે નહીં?

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી એક તરફ એવો મત વ્યક્ત થઈ રહ્યો છે કે ડર્યા વગર ફરવા માટે કાશ્મીર જઈને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ, તેઓ ઇચ્છે છે કે આપણે ત્યાં ન જઈએ અને કાશ્મીરનો વિકાસ ન થાય એટલે તેમના મનસૂબાઓ પર પાણી ફેરવીને બિન્દાસ ફરવું જોઈએ. બીજો મત એવો છે કે સ્થાનિક સપોર્ટ વગર આ ગજાનો આતંકવાદી હુમલો શક્ય જ નથી એટલે ભલે ડરતા ન હોઈએ તો પણ કાશ્મીરનો બૉયકૉટ કરવો જોઈએ. ‘મિડ-ડે’એ જુદા-જુદા ક્ષેત્રની સિદ્ધહસ્ત વ્યક્તિઓને આ બાબતે તેમનો મત પૂછી જોયો.

03 May, 2025 03:14 IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ફૂડ ફેસ્ટિવલ્સમાં સિગ્નેચર ડિશીઝથી માંડીને અનેક નવી વેરાયટીઝ માણી શકાય છે

ફેસ્ટિવ ફિએસ્ટાઃ લુઇઝિયાનાના સ્પ્રિંગ ફેસ્ટિવલ વિશે જાણવા જેવું

લુઇઝિયાનાને વિશ્વનું સૌથી વધુ તહેવારો ધરાવતું સ્ટેટ હોવાથી ફેસ્ટિવ કેપિટલ ઑફ ધી વર્લ્ડ કહી શકાય. અહીં 400થી વધુ તહેવારો ઉજવાય છે અને આખું વર્ષ કોઇને કોઇ ઉજવણી ચાલતી રહે છે. વસંત એટલે કે સ્પ્રિંગની ઋતુ આવે એટલે ખાણીપીણી, હેરિટેજ જેવી ઘણી બધી બાબતો માણી શકાય એવો માહોલ ખડો થાય છે. લોકો જોડાય છે, કોમ્યુનિટી સ્પિરિટ ઘડાય છે અને સૌ સમૃદ્ધ વારસો માણે છે. તસવીર સૌજન્ય - લુઇઝિયાના ઑફિસ ઑફ ટુરિઝમ

06 February, 2025 01:47 IST | Louisiana | Gujarati Mid-day Online Correspondent
ફિલાડેલ્ફિયામાં કપલ્સ માટે એક્ટિવિટીઝ અને અનુભવોનાં ઘણાં વિકલ્પો છે

રોમેન્ટિક ફિલાડેલ્ફિયાઃ કપલ્સ ડેટ પ્લાન કરવાના શ્રેષ્ઠ સ્પોટ્સ અને અનુભવો

ફિલાડેલ્ફિયા એક રોમેન્ટિક શહેર છે જેમાં કપલ્સ માટે અસંખ્ય અવિસ્મરણીય અનુભવો છે. લક્ઝરી હોટલોમાં કૉકટેલ પીવાથી લઈને સૂર્યાસ્ત સમયે રોમેન્ટિક પિકનિકનો આનંદ માણવા સુધી, આ શહેર હનીમૂન અથવા ડેટ પર યુગલો માટે શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરે છે. (તસવીર સૌજન્ય પીઆર)

31 January, 2025 01:20 IST | Philadelphia | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK