Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ફોર્ટ પેઇન

સાઉથ અમેરિકાનો મિજાજ જાણવા માટે અલાબામાની રોડ ટ્રિપ જરૂરી

અમેરિકાના દક્ષિણમાં આવેલું અલાબામા એ એવું રાજ્ય છે જ્યાં પ્રવાસ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનો નથી, પરંતુ રસ્તામાં મળતા ઇતિહાસ, કુદરતી સૌંદર્ય, સ્થાનિક સંસ્કૃતિ અને લોકોની આત્મીયતા સાથે ધીમે-ધીમે ગાઢ બનતો અનુભવ છે. ફોર્ટ પેઇનથી મોબાઇલ સુધીનો લગભગ ચાર દિવસનો આ રોડ ટ્રિપ ધોધ, પહાડો, અંતરિક્ષ વિજ્ઞાન, સિવિલ રાઇટ્સનો ઇતિહાસ, વિશ્વસ્તરીય ભોજન અને મેક્સિકોના અખાતના મનોહર દરિયાકિનારાને એક જ પ્રવાસમાં સમાવી લે છે. કોઈ આ સફર બાઇક પર એકલા કરે છે, તો કોઈ પરિવાર કે મિત્રોની સાથે કારમાં. પરંતુ મુસાફરી પૂરી થયા પછી દરેક પ્રવાસી સાથે લઈ જાય છે નવી શોધની ખુશી અને જીવનભર યાદ રહે એવી ક્ષણો. ફોર્ટ પેઇનઃ જ્યાંથી કુદરતના અજાયબીઓની શરૂઆત થાય છે અલાબામાના ઉત્તર-પૂર્વમાં આવેલું ફોર્ટ પેઇન એટલાન્ટાથી લગભગ 100 કિલોમીટર દૂર છે. ધોધો, ઊંડી ખીણો અને એપાલેચિયન પર્વતોની સંસ્કૃતિ માટે જાણીતો આ વિસ્તાર કુદરતપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીં આવેલું લિટલ રિવર કેન્યન નેશનલ પ્રિઝર્વ લુકઆઉટ માઉન્ટનને ચીરીને પસાર થતી અદભુત ખીણ માટે પ્રસિદ્ધ છે. અહીંના ટ્રેલ્સ પરથી વહેતા ઝરણાં અને ખળખળતા રેપિડ્સના નજારા મન મોહી લે છે. સાહસિક પ્રવાસીઓ માટે નજીકનું ડિસોટો સ્ટેટ પાર્ક લગભગ 70 કિલોમીટર લાંબા હાઇકિંગ અને માઉન્ટેન બાઇકિંગ ટ્રેલ્સ, ઝિપલાઇન અને ઇન્ડિયન ફોલ્સ જેવા સુંદર ધોધો માટે જાણીતું છે. સાંજ પડે ત્યારે બક્સ પોકેટ સ્ટેટ પાર્કનું જિમ લિન ઓવરલુક સૂર્યાસ્ત નિહાળવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. જ્યારે દિવસનો અંત ડેકાલ્બ કાઉન્ટી પબ્લિક ફિશિંગ લેક ખાતે માછીમારી કરીને કરી શકાય. રાત્રિ રોકાણ માટે ડિસોટો સ્ટેટ પાર્કની પહાડી કેબિન અથવા શેલેટ્સ પ્રવાસને વધુ યાદગાર બનાવે છે. ફોર્ટ પેઇન અને આગામી શહેર હન્ટ્સવિલ વચ્ચે આવેલું સ્કોટ્સબોરોનું Unclaimed Baggage પણ એક અનોખું આકર્ષણ છે. ખોવાઈ ગયેલા સામાનની ખરીદી-વેચાણ માટે જાણીતું આ સ્ટોર પ્રવાસીઓને અચાનક મળતી રસપ્રદ વસ્તુઓથી આશ્ચર્યચકિત કરી દે છે.

16 July, 2026 03:44 IST | Alabama | Gujarati Mid-day Online Correspondent
 કેન્યામાં તમે ક્યાં રોકાઓ છો, એ માત્ર પ્રવાસનો એક ભાગ નથી રહેતો, પરંતુ આખી સફરની સૌથી યાદગાર બાબત બની જાય છે

ટ્રીહાઉસથી બીચ વિલા સુધી: કેન્યાના સૌથી અનોખા રહેવાના અનુભવો

કેન્યાનું નામ સાંભળતાં જ સૌથી પહેલાં સફારી યાદ આવે. સિંહનું અચાનક દર્શન, ધીમી મસ્તીમાં રસ્તો ઓળંગતો હાથીઓનો ઝુંડ કે પછી પોતાની આંખે જોતા પણ સ્વપ્ન જેવું લાગતું `ગ્રેટ માઇગ્રેશન`. પરંતુ જે લોકો ખરેખર કેન્યાની સફર કરીને આવ્યા છે, તેમને પૂછો કે સૌથી લાંબા સમય સુધી તેમની યાદમાં શું રહ્યું? તો જવાબ ઘણી વાર સફારી નહીં, પરંતુ ત્યાં વિતાવેલી ક્ષણો હશે.સવારની કૉફી પીતા-પીતા સામે નિર્ભયતાથી પસાર થતું જિરાફ, કેનવાસ ટેન્ટની અંદર સૂતી વખતે દૂરથી સંભળાતો હાયનાનો અવાજ, શહેરના હોર્નને બદલે પક્ષીઓના કલરવ વચ્ચે વૃક્ષ પરના ઘરમાં ખુલતી સવાર અથવા પછી સફારી જીપને બદલે સ્વાહિલી કિનારે પરંપરાગત ધાઉ (Dhow) નૌકામાં પસાર કરેલી સાંજ. આ રહી એવી સાત અનોખી જગ્યાઓ, જે સાબિત કરે છે કે કેન્યાની પરોણાગત માત્ર સફારી લૉજ સુધી સીમિત નથી.

15 July, 2026 05:58 IST | Kenya | Gujarati Mid-day Online Correspondent
સેશેલ્સમાં ઘણા દરિયા કિનારાઓ છે જ્યાંથી સૂર્યાસ્ત એક કાયમી યાદગીરી બની શકે છે

ગોલ્ડન અવરના જાદુને માણવા વિશ્વનાં આ અદ્ભુત સ્થળો

આજના સમયમાં પ્રવાસ માત્ર એક જગ્યાએ જઈ આવવાનું નામ નથી રહ્યું. સોશિયલ મીડિયાના યુગમાં ટ્રિપનું આયોજન શરૂ થાય ત્યારથી જ મનમાં ફોટોગ્રાફ્સ, રીલ્સ અને યાદગાર પળોની આખી સ્ક્રિપ્ટ તૈયાર થવા લાગે છે. કયો સૂર્યોદય કેમેરામાં કેદ કરવો, કયા કેફેમાં બેસવું અને કયો સૂર્યાસ્ત સોશિયલ મીડિયા પર શેર કરવો, આ બધું મુસાફરી પહેલાં જ નક્કી થઈ જાય છે. આ બધી દોડધામ વચ્ચે એક એવી ક્ષણ આવે છે, જેના માટે થોડું થોભી જવું જરૂરી બને છે. સૂર્યોદય પછીની અને સૂર્યાસ્ત પહેલાંની થોડી મિનિટો, એટલે કે ગોલ્ડન અવર. આ સમયે પ્રકાશ નરમ હોય છે, આકાશ રંગ બદલતું રહે છે અને કુદરત જાણે પોતાની સૌથી સુંદર છબી રજૂ કરતી હોય એવો અહેસાસ થાય છે. જો તમે પણ એવા પ્રવાસના શોખીન હો, જેમને માત્ર સ્થળ નહીં પરંતુ તેની સૌથી સુંદર ક્ષણને પણ માણવી ગમતી હોય, તો વિશ્વનાં આ સ્થળોને તમારી આગામી ટ્રાવેલ લિસ્ટમાં ચોક્કસ સ્થાન આપજો.  સેશેલ્સ: જ્યાં દરેક બીચ સૂર્યાસ્તની અલગ વાર્તા કહે છે સેશેલ્સમાં ગોલ્ડન અવર માણવા માટે કોઈ ખાસ આયોજન કરવાની જરૂર નથી. બસ દરિયાકિનારે નીકળી પડો. લા દિગ્વે (La Digue) પર આવેલો એન્સ સોર્સ ડી આર્જેન્ટ (Anse Source d`Argent) બીચ દુનિયાના સૌથી વધુ ફોટોગ્રાફ થતા સૂર્યાસ્ત માટે જાણીતો છે. સાંજના સોનેરી પ્રકાશમાં વિશાળ ગ્રેનાઇટના ખડકો ચમકી ઊઠે છે અને તેમની વચ્ચેનું છીછરું ફિરોઝી પાણી આકાશના બદલાતા રંગોને એટલી સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે કે દરેક દૃશ્ય પોસ્ટકાર્ડ જેવું લાગે. જો સેશેલ્સને થોડા અલગ અંદાજમાં માણવું હોય તો માહે (Mahé)ના બ્યુ વેલોન બીચ (Beau Vallon Beach) પર પહોંચો. સૂર્ય જેમ જેમ ક્ષિતિજ તરફ આગળ વધે છે તેમ તેમ આખો દરિયાકિનારો જીવંત બની જાય છે. સ્થાનિક લોકો હોય કે પ્રવાસીઓ, કોઈ વૉટર સ્પોર્ટ્સની મજા માણતું હોય તો કોઈ શાંતિથી દરિયાકિનારે બેસીને આકાશને સોનેરી, પીચ અને જાંબલી રંગોમાં રંગાતું જોતું હોય છે. શાંતિ અને એકાંત પસંદ હોય તો પ્રાસલિન (Praslin)નો એન્સ લાઝિયો (Anse Lazio) બીચ પણ એટલો જ અદ્ભુત અનુભવ કરાવે છે. હરિયાળી ટેકરીઓ, નરમ સફેદ રેતી અને સ્ફટિક જેવા પારદર્શક પાણી વચ્ચે અહીંનો સૂર્યાસ્ત એક અલગ જ શાંતિનો અહેસાસ કરાવે છે. સેશેલ્સની ખાસિયત એ જ છે કે અહીં દરેક બીચનો પોતાનો અલગ મિજાજ અને પોતાની અલગ સૂર્યાસ્તની વાર્તા છે. તમારે ફક્ત તમારી મનપસંદ જગ્યા શોધવાની છે.

15 July, 2026 04:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી

પુરીના જગન્નાથ મંદિરની પ્રતિકૃતિ જેવાં જ મંદિરો છે ભારતનાં અન્ય શહેરોમાં

અસલ તો અસલ જ હોય, એની કોઈ જોડ ન હોય. ઓડિશાના તટીય ટાઉન પુરીમાં આવેલું જગન્નાથ મંદિર બેજોડ છે, બેનમૂન છે, બેમિસાલ છે. એની મહત્તા, પવિત્રતા કે ચેતના સાથે કોઈ પણ મંદિર બરાબરી ન જ કરી શકે. એનાં અસ્તિત્વ અને આસ્થાને સર આંખોં પર રાખીને આપણે માનસીયાત્રા કરીએ દેશનાં અન્ય શહેરોમાં આવેલાં શ્રી જગન્નાથ મંદિરની જે ઓરિજિનલ મંદિરની ફર્સ્ટ કૉપી, સેકન્ડ કૉપી કે થર્ડ કૉપી સમાન બનાવવામાં આવ્યાં છે પૉઇન્ટ્સ ટુ બી નોટેડ મુંબઈગરાઓને ચેન્નઈ, બૅન્ગલોર, દિલ્હી કે હૈદરાબાદ કેવી રીતે જવું, શું જમવું એ કહેવું જ ન પડે. જો દિઘા જવું હોય તો કલકત્તાથી વન-ડે ટૂર કરી શકાય. હાવડાથી ટ્રેનો અને બસો દ્વારા દિઘા પહોંચી શકાય છે. બાકી દિઘામાં રહેવું હોય તો મીડિયમ કક્ષાની પણ બેટર કહી શકાય એવી હોટેલો છે. હા, સી-ફેસિંગ હોટેલ તમારી રજાને વધુ મજાની બનાવી દેશે. બાકી વેજિટેરિયન ફૂડ માટે હોટેલની રેસ્ટોરાં ઇઝ ઓન્લી ઑપ્શન.  ચાંદીપુર બીચ માટે પ્રસિદ્ધ ઓડિશાના બાલાસોર જવા મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનલથી ડાયરેક્ટ ટ્રેન મળે છે. કલકત્તા અને ભુવનેશ્વરની મધ્યમાં આવેલા આ ટાઉનમાં પણ રહેવાનાં તથા ફરવાનાં સ્થળો અને ઘણાં મંદિરો છે. બાલાસોરથી ઇમામી જગન્નાથ મંદિરનું અંતર ફક્ત ૧૧ કિલોમીટર છે. બલેશ્વર તરીકે ઓળખાતા આ ટાઉનમાં જ આપણી બૅલેસ્ટિક મિસાઇલની પરીક્ષણ-રેન્જ છે. અહીંથી ૧૦૦ કિલોમીટર દૂર ભોગરાઈમાં બાબા ભુસન્દેશ્વર મંદિર છે જે ૧૨ ફુટ લાંબું અને ૧૪ ફુટ પહોળું છે. કહેવાય છે કે આ તો શિવલિંગનો અડધો હિસ્સો માત્ર છે. બાકીનો અડધો ભાગ વર્ષોથી જમીનમાં દટાયેલો છે. નીલાંચલવાલાનો મહિમા અપરંપાર છે. આગળ કહ્યું એમ જગન્નાથજીને ઓડિયા સમુદાય ઉપરાંત અન્ય રાજ્યોના રહેવાસીઓ પણ ખૂબ ભક્તિથી પૂજે છે. આથી તેમનાં નાનાં-મોટાં મંદિરો દરેક રાજ્યનાં અનેક શહેરોમાં છે. એમાંય ઘણાં મેટ્રોમાં તો પુરીના મંદિરની પ્રતિકૃતિ જેવાં જ મંદિરો બન્યાં છે. એ સૂચિમાં રાંચી સ્ટેશનથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલા ધુર્વામાં ૧૦૦ ફુટ ઊંચી પહાડી પર બનેલું જગન્નાથ મંદિર પણ અગ્ર ક્રમાંકે આવે છે. વળી અહીં તો છેક ૧૬૯૧થી જગન્નાથજી બિરાજે છે. જોકે સમયે-સમયે મંદિરની સંરચનામાં ફેરફાર આવ્યા છે પણ હાલનું મંદિર, ખાસ કરીને શિખર અદલોઅદ્દલ ઉત્કલ પુરીના જગન્નાથ મંદિરની ઝેરોક્સ જેવું જ ડિટ્ટો બનાવાયું છે. જોકે ૮૫-૯૦ મીટરની ઊંચાઈ ધરાવતું શિખર રંગે શુભ્ર છે, પરંતુ વાસ્તુકલા કૉપી ટુ કૉપી. જગન્નાથ મંદિરની રેપ્લિકાની જ વાત ચાલતી હોય તો ભારતની સિલિકૉન વૅલી બૅન્ગલોરના અગરા વિસ્તારના મંદિરને ન ભુલાય. પથ્થરમાંથી બનેલા આ મંદિરમાં સ્થાપત્ય કારીગરી પ્રમાણમાં ઓછી છે, પરંતુ શિખરનો શેપ અદલોઅદ્દલ પુરીના મંદિર જેવો છે. અહીં પણ રથયાત્રા ઉત્સવમાં ૧૫,૦૦૦થી વધુ ભક્તો જોડાય છે. ઓડિશાના અંગુલ જિલ્લાસ્થિત શૈલામાં આવેલું શ્રી ક્ષેત્ર મંદિર જગન્નાથ, બલભદ્ર, સુભદ્રાને સમર્પિત મંદિર પણ મેઇન મંદિરની થર્ડ કૉપી જેવું છે. વળી અહીંની સ્નાનયાત્રા અને રથયાત્રા તો રાજ્યભરમાં પ્રસિદ્ધ છે. એ જ રીતે દિલ્હીના હૌજ ખાસ અને ઉત્તર પ્રદેશના નોઓડામાં આવેલા જગન્નાથ મંદિરની વાસ્તુકલા પણ પુરીના મંદિરની નકલ સમાન કહી શકાય.

12 July, 2026 04:27 IST | Mumbai | Darshini Vashi
અહીંની સફર યાદગાર નિવડશે તેની ગેરંટી -તસવીર સૌજન્ય પીઆર

દરેક પ્રકારના પ્રવાસી માટે લુઇસિયાનાની યાદગાર રોડ ટ્રિપ્સની યાદી હાજર છે

લુઇસિયાનાની રોડ ટ્રિપનું આયોજન કરી રહ્યા છો? કુદરતી સૌંદર્યથી ભરપૂર આઉટડોર સફરો, અમેરિકાના ઇતિહાસના મહત્ત્વપૂર્ણ પ્રકરણો સાથે પરિચય કરાવતી યાત્રાઓ, સંગીતના વારસાને ઉજાગર કરતી ટ્રેલ્સ કે કલા અને સંસ્કૃતિની રંગબેરંગી સફરો – લુઇસિયાનામાં દરેક રસ-રૂચિના પ્રવાસી માટે કંઈક વિશેષ છે. આ માર્ગો પરની દરેક સફર અનોખાં સ્થળો અને અનુભવો સાથે તમને લુઇસિયાનાની સમૃદ્ધ સાંસ્કૃતિક તથા પ્રાકૃતિક ધરોહરને નજીકથી ઓળખવાની તક આપે છે.

23 June, 2026 06:03 IST | Louisiana | Gujarati Mid-day Online Correspondent
તો ‘આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ’ ગાતાં-ગાતાં ઊપડીએ દેશના અલગ-અલગ પ્રાંતોના વરુણદેવને પાય લાગવા.

આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ

મેઘરાજાએ તો ખરી કરી ભઈસાબ. આજે ૨૧ જૂન થઈ છતાં હજી દેખા નથી દીધી. વેધશાળાનો રિપોર્ટ કહે છે કે જૂન મહિનાના ૧૭થી પચીસ દિવસ રેઇની ડે હોય છે અને આ મહિનામાં તો ઍવરેજ ૫૦૦થી ૬૩૦ મિલીમીટર જેટલો વરસાદ પડી પણ ગયો હોય છે. જોકે છેલ્લાં ૧૦ વર્ષમાં આ જૂન સૌથી ડ્રાય મહિનો રહ્યો છે ત્યારે હવે વરુણદેવને રીઝવ્યે જ છૂટકો. તો હાલો આજે આપણે તીર્થાટનમાં આકાશ પર રાજ્ય કરતા આ જળના દેવનાં મંદિરોએ જઈએ આમ તો શહેરને વર્ષભર પાણી પૂરું પાડતાં જળાશયો ઓવરફ્લો થઈ જાય એટલો જ વરસાદ ગમે. બાકી ચોમાસામાં લોનાવલા કે માલશેજ ઘાટની એકાદી ટ્રિપ અને હાઇટાઇડના દિવસોમાં મરીન ડ્રાઇવની પાળે વિતાવેલી સાંજ સિવાય મુંબઈકર મેહુલાને વધારે માણી શકતો નથી. અને ક્યાંથી માણે? ઑલરેડી આ મહાનગરના માર્ગોની હાલત બિસમાર છે. એમાં વરસાદ આવતાં ષોડશી કન્યાના ચહેરા પર જ્યાં-ત્યાં ફૂટી નીકળતા ખીલની જેમ રસ્તા પર જ્યાં-ત્યાં પડી જતા ખાડા, બેહદ ટ્રાફિક જૅમ, પાણીનો ભરાવો જેવા પ્રૉબ્લેમ્સ અહીંના સિટિઝનોની હાલત ખરાબ કરી મૂકે છે. એમાંય જો મેઘો ગાંડો થયો તો-તો અહીંની જીવનરેખા સમી રેલવેનું ટાઇમટેબલ પણ ઉપર-નીચે થઈ જાય અને લોકોના શેડ્યુલમાં ગાબડાં પડી જાય. રાજસ્થાનના બુંદી શહેરના નવલસાગર સરોવરની મધ્યમાં પણ વરુણદેવને સર્મપિત મંદિર છે. સરોવરની સુંદરતા વધારતા આ મંદિરની ખાસિયત એ છે કે અહીં જળદેવતાને જળની અંદર જ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. જોકે હવે આ શહેરીજનો વર્ષારાણીની ડેસ્પરેટલી વાટ જોઈ રહ્યા છે, કારણ કે શહેરભરમાં જબરદસ્ત પાણીકાપ ચાલી રહ્યો છે. એવા ટાણે આપણે જળના દેવ વરુણજીને મનોમન પ્રાર્થના કરીએ અને તેમનાં મંદિરોની માનસયાત્રા કરીએ. એ પણ એક નહીં પૂરાં પાંચ અને એક તો વિદેશનું બોનસમાં. વૈદિક ધર્મમાં ૧૦ દિકપાલમાંના એક ગણાતા વરુણદેવ કશ્યપ અને અદિતિ માતાનું સંતાન. કહે છે કે સપ્તઋષિઓમાંના એક વૈદિક ઋષિ કશ્યપે જ પોતાના પુત્રને નદી, ઝરણાં, સમુદ્ર આદિ જળના સર્વે સ્રોતના સ્વામી સલિલેશ્વર તરીકે સ્થાપિત કર્યા. જોકે નીલમણિ સમાન તેજસ્વી વરુણદેવ ફક્ત પાણીના જ દેવતા બનીને ન રહ્યા. આપણા રામાયણ, મહાભારત, પુરાણોમાં અનેક પ્રસંગો દર્શાવે છે કે તેમણે સમયે-સમયે પાંડવો, દશરથ-પુત્રોને વિવિધ આયુધો આપ્યાં છે અને મદદ કરી છે. આ ઉપરાંત પણ આપણા પ્રાચીન ગ્રંથોમાં વરુણદેવને મહત્ત્વના દેવતા ગણાવાયા છે, કારણ કે જળ વિના સૃષ્ટિનું સંવર્ધન થવું શક્ય નથી. એ અન્વયે મોટા ભાગનાં મંદિરોમાં તેમને વિધ-વિધ સ્થાન આપવામાં આવે છે. ક્યારેક તેઓ દિશા અનુસાર મંદિરની બહારની દીવાલો પર સ્થાપિત હોય છે તો ક્યાંક કોતરણી અને કારીગીરીમાં. જોકે ભારતમાં પાંચ અને પાકિસ્તાનમાં એક આખેઆખું મંદિર વરુણદેવને સર્મપિત છે. હા, પાડોશી દેશમાં પણ. વળી એ મંદિર તો છેક સોળમી સદીમાં બનેલું છે. જો વરુણદેવના આશીર્વાદ સમાન વરસાદમાં ભીંજાવું ન હોય તો છત્રી, રેઇનકોટ લઈ લો (કારણ કે આ દેવાલયમાં શુદ્ધ ભાવથી દર્શન કરશો તો વરુણદેવ પ્રસન્ન થવાના જ). તો ‘આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ’ ગાતાં-ગાતાં ઊપડીએ દેશના અલગ-અલગ પ્રાંતોના વરુણદેવને પાય લાગવા.

21 June, 2026 06:16 IST | Mumbai | Alpa Nirmal
બોસ્ટનની સાંજની એક મજાની તસવીર - સૌજન્ય પીઆર

બોસ્ટનમાં સોલો સફર: શહેરને એક્સપ્લોર કરવું હોય તો આટલું જાણવું જરૂરી

સોલો ટ્રાવેલ (એકલા પ્રવાસ કરવાનો) શોખ એ એક એવી અનોખી કડી છે જે વ્યક્તિને પોતાની જાત સાથે જોડે છે. બોસ્ટન શહેર પોતાના અગણિત અનુભવો, રહેવા માટેના ઉત્તમ વિકલ્પો અને સ્વાદિષ્ટ ભોજન સાથે આ સફર માટે એક આદર્શ વાતાવરણ પૂરું પાડે છે. તમે શહેરમાં ગમે ત્યાં રહો, અહીંની ચાલવા યોગ્ય ગલીઓ અને કાર્યક્ષમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સોલો ટ્રાવેલર્સ માટે ફરવાનું એકદમ સરળ અને સુવિધાજનક બનાવે છે. ઋતુ ગમે તે હો, બોસ્ટન પોતાની સુરક્ષાની ભાવના, મૈત્રીપૂર્ણ વાતાવરણ અને જોવાલાયક અસંખ્ય સ્થળો સાથે સ્વતંત્ર પ્રવાસીઓનું હંમેશાં દિલથી સ્વાગત કરે છે.

18 June, 2026 04:21 IST | Boston | Gujarati Mid-day Online Correspondent
૨૦ મેએ માઉન્ટ એવરેસ્ટના શિખર પર ભારતીય તિરંગા સાથે બાવીસ વર્ષની સાનિકા શાહ.

એવરેસ્ટ સર કરી લીધા પછી હવે શું કરી રહ્યા છે મુંબઈના ગુજરાતીઓ?

તાજેતરમાં જ મુલુંડની બાવીસ વર્ષની સાનિકા શાહે વિશ્વનો સૌથી ઊંચો, ૮૮૪૮.૮૬ મીટર એટલે કે ૨૯,૦૩૧.૫ ફુટની ઊંચાઈએ આવેલો માઉન્ટ એવરેસ્ટ સર કરીને પોતાનું સપનું સાકાર કર્યું. ૪ વર્ષની ઉંમરથી સાનિકા નૃત્ય અને અભિનય કરે છે અને એ જ તેનો પ્રથમ પ્રેમ છે, પણ તે કહે છે કે પર્વતારોહણ મારા જીવનનો ભાગ રહેશે. સાનિકા  થોડા વિરામ બાદ સાઉથ અમેરિકાના સૌથી ઊંચા પર્વત એકોનકાગુઆ સર કરવા માટેની તૈયારી શરૂ કરવાની છે. એવરેસ્ટ સર કરીને સાનિકાએ ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે ત્યારે આપણે સાનિકાની પહેલાં વિશ્વના આ સર્વોચ્ચ શિખર પર તિરંગો લહેરાવીને આવેલા મુંબઈગરા ગુજરાતીઓને મળીએ. તેમના અનુભવો જાણીએ, એવરેસ્ટ સર કર્યા પછી તેઓ શું કરી રહ્યા છે એ જાણીએ.

07 June, 2026 11:54 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK