કોરોનાના કારણે વિજય રૂપાણીની ગુજરાત સરકારે રાજ્યમાં હોટેલ, રિસૉર્ટ્સ, રેસ્ટોરાં અને વૉટર પાર્ક્સને પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે મુશ્કેલીમાં મુકાયેલા ધંધાર્થીઓને સરકારના આ નિર્ણયથી આર્થિક લાભ થશે.
વિજય રૂપાણી
કોરોનાના કારણે વિજય રૂપાણીની ગુજરાત સરકારે રાજ્યમાં હોટેલ, રિસૉર્ટ્સ, રેસ્ટોરાં અને વૉટર પાર્ક્સને પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે મુશ્કેલીમાં મુકાયેલા ધંધાર્થીઓને સરકારના આ નિર્ણયથી આર્થિક લાભ થશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગઈ કાલે મળેલી ગુજરાત સરકારની કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાતમાં ૧ એપ્રિલ ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીના એક વર્ષના સમય માટે હોટેલ, રિસૉર્ટ્સ, રેસ્ટોરાં અને વૉટર પાર્ક્સને પ્રૉપર્ટી ટૅક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે.
ADVERTISEMENT
આ ઉપરાંત હોટેલ, રિસૉર્ટ્સ, રેસ્ટોરાં અને વૉટર પાર્ક્સને વીજ બિલમાંથી ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય એના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.
ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના 778 નવા કેસ નોંધાયા અને ૧૧ જણનાં મૃત્યુ થયાં હતાં. કુલ ૨૬૧૩ લોકોને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો હતો.