Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રૂપાલમાં પલ્લી પર ૩૫ કરોડ રૂપિયાના પાંચ લાખ કિલો ઘીનો અભિષેક કર્યો ૧૨+ લાખ લોકોએ

રૂપાલમાં પલ્લી પર ૩૫ કરોડ રૂપિયાના પાંચ લાખ કિલો ઘીનો અભિષેક કર્યો ૧૨+ લાખ લોકોએ

Published : 02 October, 2025 09:33 AM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પલ્લી પર અભિષેક કરવા માટેનું ઘી ટ્રૅક્ટરની ટ્રૉલીઓમાં અને પીપડાંમાં ભરીને રાખ્યું હતું

અંદાજે ૩૫ કરોડ રૂપિયાના ઘીનો અભિષેક પલ્લી પર થયો હતો

અંદાજે ૩૫ કરોડ રૂપિયાના ઘીનો અભિષેક પલ્લી પર થયો હતો


ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં વરદાયીની માતાજીની પલ્લી હર્ષોલ્લાસ અને માતાજીના જયકારા સાથે રંગેચંગે ગામમાં ફરી હતી. ગામના ૨૭ ચોકમાંથી નીકળેલી માતાજીની પલ્લીનાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા. શ્રદ્ધાળુઓએ પાંચ લાખ કિલો ઘીનો અભિષેક પલ્લી પર કર્યો હતો. વરદાયીની માતાજી મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વહેલી પરોઢે ચાર વાગ્યે પલ્લી નીકળી હતી. ગામમાં નીકળેલી પલ્લીનાં દર્શન કરવા માટે અને ઘીનો અભિષેક કરવા ૧૨ લાખથી વધુ લોકો ઊમટ્યા હતા. ગામમાં આવેલા ૨૭ ચોકમાંથી પલ્લી નીકળી હતી. આ તમામ ચોકમાં પલ્લી પર અભિષેક કરવા માટેનું ઘી ટ્રૅક્ટરની ટ્રૉલીઓમાં અને પીપડાંમાં ભરીને રાખ્યું હતું. અંદાજે ૩૫ કરોડ રૂપિયાના ઘીનો અભિષેક પલ્લી પર થયો હતો.’  


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2025 09:33 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK