Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આવતી કાલે ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ, શું નવા ચહેરાઓને મળશે સ્થાન?

આવતી કાલે ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ, શું નવા ચહેરાઓને મળશે સ્થાન?

15 September, 2021 03:20 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિનું આવતી કાલે ગાંધીનગરમાં આયોજન

ગાંધીનગર  ખાતે મુખ્યપ્રધાનની શપથવિધિમાં નેતાઓ રહ્યાં હતા હાજર (તસવીર:પલ્લવ પાલીવાલ)

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનની શપથવિધિમાં નેતાઓ રહ્યાં હતા હાજર (તસવીર:પલ્લવ પાલીવાલ)


ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આવતી કાલે 16 સપ્ટેમ્બરે  થશે. જેના માટે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સુચના આપવામાં આવી છે. ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે નવા પ્રધાન મંડળની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. 

ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કોણ કોણ હશે તેને લઈને સૌ કોઈમાં કુતૂહલ છે. 25થી વધુ ધારાસભ્યોને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે. ત્યારે શપથવિધિની ગણતરીના કલાકો પહેલાં જ ગાંધીનગર પહોંચેલા ભાજપના ધારાસભ્યોને શપથવિધિ માટે ફોન કરીને જાણ કરવામાં આવશે. 



નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ નવા પ્રધાનમંડળની રચનાને લઈને કવાયત શરૂ થઈ છે. આજે ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના નવા મંત્રીમંડળમાં શપથવિધિ લેનાર નેતાઓના સંભવિત નામો સામે આવ્યાં છે. 


મળતી માહિતી અનુસાર આજ રોજ ગાંધીનગર ખાતે યોજાનાર શપથવિધિમાં આત્મારામ પરમાર, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, સી. કે રાઉલજી, નિમિષા સુથાર, જગદીશ પંચાલ, કિરીટસિંહ રાણા, રાજેન્દ્ર ત્રિવેદી, રમણ પટેલ, ઋષિકેશ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને જીતુ ચૌધરી વગેરે નેતાઓ શપથ લઇ શકે તેવી શક્યતા છે.

 


 

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2021 03:20 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK