૧૩ જૂનના રોજ, પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશના વિસ્તારની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. પ્રધાનમંત્રીને ચાલી રહેલા બચાવ અને રાહત કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી, અને તેમણે અધિકારીઓને અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. એજન્સીઓ વચ્ચે ઝડપી કાર્યવાહી અને સંકલન પર ભાર મૂકતા, પીએમ મોદીએ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને અધિકારીઓને ક્રૅશના કારણની સંપૂર્ણ તપાસ કરવા સૂચના આપી.