Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બંગલાદેશમાં હજી એક હિન્દુએ જીવ ગુમાવ્યો

બંગલાદેશમાં હજી એક હિન્દુએ જીવ ગુમાવ્યો

Published : 04 January, 2026 10:46 AM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટોળાએ ચાકુ મારીને સળગાવી દીધા પછી ખોકોન દાસ જીવ બચાવવા તળાવમાં કૂદી ગયા હતા, પણ બચી ન શક્યા

 ખોકોન દાસ

ખોકોન દાસ


બંગલાદેશમાં લઘુમતીઓ પરના હુમલા વધતા જાય છે અને હવે શરિયતપુરમાં ૫૦ વર્ષના હિન્દુ વેપારી ખોકોન દાસની હત્યા કરવામાં આવી છે. ટોળાએ તેમના પર ચાકુથી હુમલો કર્યો હતો 
અને પછી પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી હતી.

આ સંદર્ભમાં સ્થાનિક મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ૩૧ ડિસેમ્બરે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના કનોઇર યુનિયન હેઠળના શરિયતપુર જિલ્લાના તિલોઇ ગામમાં બની હતી. છેલ્લાં બે અઠવાડિયાંમાં હિન્દુ પર આ પ્રકારનો ચોથો હુમલો નોંધાયો છે. દવાની નાની દુકાનના માલિક ખોકોન દાસ દુકાન બંધ કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના પર ટોળાએ હુમલો કર્યો હતો. તેમને ચાકુના ઘા મારવામાં આવ્યા હતા અને પછી પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવ્યા હતા. ખોકોન દાસે આગથી બચવા માટે નજીકના તળાવમાં કૂદકો મારી દીધો હતો, પણ ઈજાઓને કારણે તેમની હાલત બગડતાં ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.



તેમની પત્નીએ કહ્યું હતું કે ‘મને ખબર નથી કે આ કોણે કર્યું. અમને ન્યાયની જરૂર છે. મારા પતિ સરળ માણસ હતા. તેમણે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2026 10:46 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK