Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતના હુમલા પછી પાકિસ્તાનમાં પરમાણુ રેડિયેશન થયું લીક? IAEAએ શું કહ્યું તે જાણો

ભારતના હુમલા પછી પાકિસ્તાનમાં પરમાણુ રેડિયેશન થયું લીક? IAEAએ શું કહ્યું તે જાણો

Published : 15 May, 2025 03:13 PM | IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Nuclear Radiation Leak in Pakistan: સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ભારતે પાકિસ્તાનના પરમાણુ કેન્દ્રને પણ નિશાન બનાવ્યું છે, જેના કારણે તેને નુકસાન થયું છે. ભારતે પાકિસ્તાનમાં કોઈપણ પરમાણુ સ્થળને નિશાન બનાવવાના અહેવાલોને નકારી કાઢ્યા છે.

કિરાના હિલ્સ સેટેલાઈટ તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)

કિરાના હિલ્સ સેટેલાઈટ તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)


ઑપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલ્યા રહેલા લશ્કરી મુકાબલાનો યુદ્ધવિરામ સાથે અંત આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, ભારતે પાકિસ્તાનની અંદર આતંકવાદી ઠેકાણાઓ તેમજ તેના મહત્વપૂર્ણ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ત્યારે જ સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ભારતે પાકિસ્તાનના પરમાણુ કેન્દ્રને પણ નિશાન બનાવ્યું છે, જેના કારણે તેને નુકસાન થયું છે. જો કે, ભારતીય લશ્કરી અધિકારીઓએ પાકિસ્તાનમાં કોઈપણ પરમાણુ સ્થળને નિશાન બનાવવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે અમેરિકાએ તેનું પરમાણુ સુરક્ષા સહાયક વિમાન B350 AMS પાકિસ્તાન મોકલ્યું હતું, જેના પછી આ ચર્ચાએ પાછું જોર પકડયું હતું. હવે સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ દેખરેખ એજન્સી (International Atomic Energy Agency)એ આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું છે.


ન્યુક્લિયર રેડિયેશન અંગેના દાવા
સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનના કિરાના હિલ્સમાં પરમાણુ સંગ્રહ સુવિધાને નિશાન બનાવી છે. આ દાવાઓ ત્યારે શરૂ થયા જ્યારે સરગોધામાં મુશફ એરબેઝને નિશાન બનાવવાના અહેવાલો આવ્યા. કિરાના હિલ્સનો વિસ્તાર સરગોધાથી માત્ર 7 કિલોમીટર દૂર છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય હુમલાથી પાકિસ્તાની પરમાણુ સુવિધાઓને નુકસાન થયું છે. કેટલાક લોકોએ રેડિયેશન લીક થવાના દાવા પણ કર્યા હતા અને કહ્યું હતું કે એક વિમાન ઇજિપ્તથી બોરોન સેલ્સ લાવ્યું હતું. જોકે, ન્યુક્લિયર એનર્જી એજન્સીએ પોતાના નિવેદનમાં રેડિયેશન લીકને ખોટું ગણાવ્યું હતું.



IAEAનું નિવેદન
યુએન પરમાણુ નિરીક્ષક સંસ્થા, ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના પ્રવક્તાએ રેડિયેશન લીક થવાના અહેવાલોને ખોટા ગણાવ્યા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પરમાણુ ઘટના અથવા લીકેજ IAEA ના ઘટના અને કટોકટી કેન્દ્રના ધ્યાન પર લાવવામાં આવ્યું છે, ત્યારે પ્રવક્તાએ કહ્યું: "તમે જે અહેવાલોનો ઉલ્લેખ કરી રહ્યા છો તેનાથી અમે વાકેફ છીએ. IAEA પાસે ઉપલબ્ધ માહિતીના આધારે, પાકિસ્તાનમાં કોઈપણ પરમાણુ સુવિધામાંથી કોઈ રેડિયેશન, લીકેજ કે ઉત્સર્જન થયું નથી."


લીક પર અમેરિકાએ શું કહ્યું?
૧૩ મેના રોજ વોશિંગ્ટનમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાનના પરમાણુ સ્થળો પરના હુમલા સંબંધિત આવો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા થૉમ પિગૉટને પૂછવામાં આવ્યું હતું કે શું પાકિસ્તાની સ્થળોએ પરમાણુ રેડિયેશન લીક થવાના અહેવાલો બાદ અમેરિકાએ ઇસ્લામાબાદ કે પાકિસ્તાનમાં કોઈ ટીમ મોકલી છે? આના પર તેમણે કહ્યું કે આ સમયે મારી પાસે પૂર્વાવલોકન કરવા માટે કંઈ નથી. આનો અર્થ એ થયો કે લીક થવાનો કોઈ ભય ઉભો થયો નથી.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2025 03:13 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK