૨૬ માર્ચના રોજ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી બોમ્બ હુમલામાં ૫ ચીની નાગરિકો સહિત ૬ માર્યા ગયા હતા. વિસ્ફોટકથી ભરેલું વાહન ખૈબર પખ્તુનખ્વામાં ચીની નાગરિકોને લઈ જતી બસ સાથે અથડાયું હતું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના રાજકીય કાર્યકર અમજદ અયુબ મિર્ઝાએ પાક સરકાર પર આકરા પ્રહારો કર્યા. POK કાર્યકર્તાએ કહ્યું, "આ હુમલો દર્શાવે છે કે પાકિસ્તાની સેના આ ક્ષેત્રમાં નિયંત્રણ ગુમાવી રહી છે". હુમલાના થોડા કલાકો બાદ પાકિસ્તાન સરકારે એક નિવેદન જારી કરીને તેને ‘જઘન્ય કૃત્ય’ગણાવ્યું હતું.