Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આશિષ શેલાર અને એકનાથ શિંદે વચ્ચે ગઠબંધન માટે એક કલાક ચર્ચા ચાલી

આશિષ શેલાર અને એકનાથ શિંદે વચ્ચે ગઠબંધન માટે એક કલાક ચર્ચા ચાલી

Published : 21 December, 2025 08:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે થયેલી આ મુલાકાત મીરા-ભાઈંદરમાં યોજાઈ હતી જે લગભગ એક કલાક ચાલી હતી.

મીરા રોડમાં મીટિંગ પછી આશિષ શેલાર અને એકનાથ શિંદે.

મીરા રોડમાં મીટિંગ પછી આશિષ શેલાર અને એકનાથ શિંદે.


મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સિનિયર નેતા આશિષ શેલારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. ગઈ કાલે થયેલી આ મુલાકાત મીરા-ભાઈંદરમાં યોજાઈ હતી જે લગભગ એક કલાક ચાલી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ મીટિંગમાં બન્ને નેતાઓએ મીરા રોડ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી સાથે મળીને લડવાની શક્યતા પર ચર્ચા કરી હતી. એટલું જ નહીં, આ મીટિંગમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું ઇલેક્શન પણ બન્ને પાર્ટી સાથે મળીને લડે એ માટેની સંમતિ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આશિષ શેલારે પોતે સોશ્યલ મીડિયા પર એકનાથ શિંદે સાથેનો ફોટો પોસ્ટ કરીને આ મીટિંગ વિશે માહિતી આપી હતી. આ બેઠક પછી એવા સંકેત મળ્યા હતા કે આવનારા દિવસોમાં BMC ઇલેક્શન માટે શિવસેના-BJP વચ્ચે યુતિની ઔપચારિક જાહેરાત થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2025 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK