અહીં આવેલા રક્તદાતાઓને બ્લડ સેન્ટર સિવાય રોટરી ક્લબ ઑફ મુંબઈ ઘાટકોપરની સહાયથી સ્થપાયેલા રોટરી સમર્પણ ડાયાલિસિસ ઍન્ડ થૅલેસેમિયા સેન્ટરની માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા.
ઘાટકોપર-ઈસ્ટની નાયડુ કૉલોનીમાં સ્થપાયેલા આરાધ્યા એડ્યુ હેલ્થ સેન્ટરમાં કાર્યરત સમર્પણ બ્લડ સેન્ટરે ઇનહાઉસ બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કર્યું
૧૪ જૂને વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિત્તે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના આશીર્વાદથી ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગભાઈ શાહ દ્વારા ઘાટકોપર-ઈસ્ટની નાયડુ કૉલોનીમાં સ્થપાયેલા આરાધ્યા એડ્યુ હેલ્થ સેન્ટરમાં કાર્યરત સમર્પણ બ્લડ સેન્ટરે ઇનહાઉસ બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કર્યું હતું જેમાં સારી સંખ્યામાં વૉલન્ટરી બ્લડ ડોનર્સે ભાગ લીધો હતો અને કેક-કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું હતું. અહીં આવેલા રક્તદાતાઓને બ્લડ સેન્ટર સિવાય રોટરી ક્લબ ઑફ મુંબઈ ઘાટકોપરની સહાયથી સ્થપાયેલા રોટરી સમર્પણ ડાયાલિસિસ ઍન્ડ થૅલેસેમિયા સેન્ટરની માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા.
મૂંગાં પશુ-પંખીઓના તારણહાર
ADVERTISEMENT
જ્યારે ઍર ઇન્ડિયાનું પ્લેન ક્રૅશ થયું ત્યારે ફાટેલી આગમાં ખૂબ ઊંચું તાપમાન થઈ ગયું હતું. એને કારણે જમીન પર આઠ ડૉગીઝ મરી ગયા હતા અને ડઝનબંધ પંખીઓ ઊડતાં જ ખાખ થઈ ગયાં હતાં. આગની ઝાળથી દાઝેલા શેરીમાં ફરતાં ડૉગીઝને બચાવવા માટે સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો કામે લાગી ગયા હતા.
હે પ્રભુ, ફરી આવું ન થાય એની પ્રાર્થના સ્વીકારજે
ગઈ કાલે પુરીમાં રેતશિલ્પકાર સુદર્શન પટનાઈકે રેતીનું શિલ્પ રચીને પ્લેન-ક્રૅશની ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી કે હે પ્રભુ ફરી આવું ન થાય.

