Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવક વધારવા BMC પ્લૉટ ભાડે આપવા માગે છે, પણ એને કોઈ લેવાલ નથી મળ્યા

આવક વધારવા BMC પ્લૉટ ભાડે આપવા માગે છે, પણ એને કોઈ લેવાલ નથી મળ્યા

Published : 11 April, 2025 09:35 AM | Modified : 12 April, 2025 07:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવાજી મહારાજ મંડઈને ભાડે આપવાથી ૨૧૦૦ કરોડ રૂપિયા અને વરલીનો ઍસ્ફાલ્ટ પ્લાન્ટનું ૨૦૬૯ કરોડ રૂપિયા ભાડું મળે એવી BMCને આશા છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન


મુંબઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સહિતના મહત્ત્વના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરતું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) આવક વધારવા પગલાં ઉઠાવી રહ્યું છે, પણ એને જોઈએ એવી સફળતા નથી મળી રહી.


છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી મસ્જિદ તરફ આવતાં આવેલી BMCની શિવાજી મહારાજ મંડઈની ઇમારત તોડી પાડવામાં આવી છે. એનો પ્લૉટ અને વરલીમાં આવેલો ઍસ્ફાલ્ટ પ્લાન્ટનો પ્લૉટ BMC ૬૦ વર્ષની લીઝ પર આપવા માગે છે જેથી લાંબા ગાળાની ભાડાની નિશ્ચિત આવક થઈ શકે. એ માટે BMCએ ટેન્ડર પણ બહાર પાડ્યાં હતાં, પણ એને પ્રતિસાદ ન મળ‍તાં બુધવારે ટેન્ડરની મુદત લંબાવવામાં આવી હતી. પહેલાં લાસ્ટ ડેટ ૧૧ એપ્રિલ હતી એ હવે લંબાવીને ૨૮ એપ્રિલ કરવામાં આવી છે. શિવાજી મહારાજ મંડઈને ભાડે આપવાથી ૨૧૦૦ કરોડ રૂપિયા અને વરલીનો ઍસ્ફાલ્ટ પ્લાન્ટનું ૨૦૬૯ કરોડ રૂપિયા ભાડું મળે એવી BMCને આશા છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK