Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BJPના જૂથ-નેતા તરીકે ગણેશ ખણકરની નિયુક્તિ

BJPના જૂથ-નેતા તરીકે ગણેશ ખણકરની નિયુક્તિ

Published : 03 February, 2026 07:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલીના વૉર્ડ-નંબર ૭માંથી જીતી આવેલા ગણેશ ખણકરને નવા BJP જૂથ-નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે,

શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટાયેલા કૉર્પોરેટર્સ કોકણભવનમાં રજિસ્ટ્રેશન કરાવવા ગયા એ પહેલાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હેડક્વૉર્ટર્સ પર ભેગા થયા હતા. તસવીર : આશિષ રાજે

શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટાયેલા કૉર્પોરેટર્સ કોકણભવનમાં રજિસ્ટ્રેશન કરાવવા ગયા એ પહેલાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હેડક્વૉર્ટર્સ પર ભેગા થયા હતા. તસવીર : આશિષ રાજે


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીનાં બે અઠવાડિયાંથી વધુ સમય પછી ભારતીય જનતા પાર્ટી (BJP)એ આખરે પોતાના જૂથ-નેતાની નિમણૂક કરી છે. બોરીવલીના વૉર્ડ-નંબર ૭માંથી જીતી આવેલા ગણેશ ખણકરને નવા BJP જૂથ-નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે શિવસેનાએ વડાલામાંથી બીજી વખત ચૂંટાઈ આવેલા અમેય ઘોલેને એમની પાર્ટીના જૂથ-લીડર બનાવ્યા છે. 

ગણેશ ખણકર દહિસરના વૉર્ડ-નંબર ૭માંથી ચૂંટાયા હતા, તેમણે શિવસેના (UBT)ના ઉમેદવાર સૌરભ ઘોસાળકરને હરાવ્યા હતા જે  શિવસેના (UBT)ના વિનોદ ઘોસાળકરના પુત્ર છે. BMCમાં BJP સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવતાં ગણેશ ખણકર ગૃહના નેતા તરીકે સેવા આપશે. BJPએ અને શિવસેનાએ સોમવારે CBD બેલાપુરમાં કોકણભવનમાં કોકણ વિભાગીય કમિશનરની ઑફિસમાં પોતાના ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે એના જૂથની ઔપચારિક નોંધણી કરાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK