Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાપ્પાના આગમન માટે મુંબઈ સજ્જ ૨૭૦૦થી વધુ ગણેશમંડળોને બીએમસીની પરવાનગી

બાપ્પાના આગમન માટે મુંબઈ સજ્જ ૨૭૦૦થી વધુ ગણેશમંડળોને બીએમસીની પરવાનગી

19 September, 2023 08:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં કુલ ૨૭૨૯ સાર્વજનિક ગણેશમંડળોને જાહેર ગણેશોત્સવના આયોજન માટે પરવાનગી આપવામાં આવી છે.

બાપ્પાના આગમન માટે મુંબઈ સજ્જ ૨૭૦૦થી વધુ ગણેશમંડળોને બીએમસીની પરવાનગી

બાપ્પાના આગમન માટે મુંબઈ સજ્જ ૨૭૦૦થી વધુ ગણેશમંડળોને બીએમસીની પરવાનગી


મુંબઈ (પી.ટી.આઇ.) ઃ મુંબઈમાં કુલ ૨૭૨૯ સાર્વજનિક ગણેશમંડળોને જાહેર ગણેશોત્સવના આયોજન માટે પરવાનગી આપવામાં આવી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સોમવારે એક જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે કુલ ૩૭૬૭ અરજી મળી હતી, જે ૧૮ સપ્ટેમ્બર સુધી વિવિધ સંગઠનો પાસેથી પ્રાપ્ત થઈ હતી. એમાંથી ૩૭૩ને નિરીક્ષણ પછી નકારવામાં આવી છે, જેમાં મદદનીશ ઇજનેરોના સ્તરે ૩૩૦, ટ્રાફિક-પોલીસ દ્વારા ૨૬, સ્થાનિક પોલીસ-સ્ટેશન દ્વારા ૧૧ અને મદદનીશ કમિશનરો દ્વારા ૬નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૬૬૫ અરજીઓ ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું હતું. જાહેરાતમાં જણાવાયું છે કે તહેવારની તૈયારીઓ એક વિશેષ ડ્રાઇવથી હાથ ધરીને પૂર્ણ કરવામાં આવી છે; જેમાં પંડાલ પરિસર, મૂર્તિવિસર્જનનાં સ્થળો અને માર્ગોની તપાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2023 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK