જેમાં પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆત કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-વેસ્ટમાં આવેલા મંડપેશ્વર સિવિક ફેડરેશને (MCF)એ બુધવાર, ૧૮ જૂને સાંજે પાંચ વાગ્યે આંતરરાષ્ટ્રીય વક્તા ડૉ. બિપિન દોશી દ્વારા ‘જીવનનો હેતુ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆત કરવામાં આવશે. સચિવ ઍડ્વોકેટ સતીશ શર્મા પ્રારંભિક ભાષણ આપશે અને સંયુક્ત સચિવ સીએમએ નરેશ મોતા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. સેમિનારનું સંચાલન સીએસ પંકજ અજમેરા કરશે.

