અમીષા વોરાએ ઋણસ્વીકાર કર્યો હતો
આમ્બિવૅલી સિટીમાં પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ આરાધનાપૂર્વક ઉજવાયેલું
આમ્બિવૅલી સિટીમાં પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ આરાધનાપૂર્વક ઉજવાયેલું. અમીષા વોરાએ ઋણસ્વીકાર કર્યો હતો. ગૌમાતા લિફ્ટિંગ મશીનનો ૩૧,૦૦૦ રૂપિયામાં દાતાઓ લાભ લઈ રહ્યા છે. ગૌમાતા વાર્ષિક દત્તક યોજનામાં ૧૧,૦૦૦ રૂપિયા અથવા એના ગુણાંકમાં દાતાઓ જોડાઈ રહ્યા છે. દાતાઓએ લાભ લેવા શ્રી વર્ધમાન ચૅરિટેબલ ટ્રસ્ટ-રાજકોટનો સંપર્ક કરવો.
ધોરાજી-ઉપલેટા હાઇવે ખાતે સુપેડીમાં સરોજબેન છગનલાલ દોશી (ગુંદિયાળાવાળા) ઉપાશ્રય અને ડુમિયાણીમાં કાંતાબેન ગુલાબચંદ ઝોંસા ઉપાશ્રયનું નિર્માણકાર્ય પૂર્ણતાના
આરે છે. શ્રી હિંગવાલા સંઘ-ઘાટકોપરના ટ્રસ્ટી મુકેશ કામદાર, મનસુખ કોઠારી, છાયા કોટિચા, રેખા શેઠ, રીટા કોઠારી, ભરત જસાણી વગેરેએ દર્શનનો લાભ લીધો હતો. ચિંચપોકલી સંઘ રવિવારે સત્સંગમાં જોડાશે. પર્સેપ્ટ ઍડ પરિવારનાં સંગીતા સિંઘનું અભિવાદન અમીષા વોરાએ કરેલું.
