Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પહલગામ અટૅકમાં જીવ ગુમાવનારા ડોમ્બિવલીના ૩ મિત્રોની યાદમાં સ્મારક બનાવવાની માગણી

પહલગામ અટૅકમાં જીવ ગુમાવનારા ડોમ્બિવલીના ૩ મિત્રોની યાદમાં સ્મારક બનાવવાની માગણી

Published : 02 May, 2025 09:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહલગામમાં આતંકવાદીઓએ કરેલા હત્યાકાંડમાં ડોમ્બિવલીના ત્રણ ​મિત્રો અતુલ મોને, હેમંત જોશી અને સંજય લેલેએ જીવ ગુમાવ્યા હતા

ડોમ્બિવલીના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણે એવી માગણી કરી છે કે ભાગશાળા મેદાનમાં તેમની યાદમાં એક મેમોરિયલ બનાવવામાં આવે

ડોમ્બિવલીના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણે એવી માગણી કરી છે કે ભાગશાળા મેદાનમાં તેમની યાદમાં એક મેમોરિયલ બનાવવામાં આવે


પહલગામમાં આતંકવાદીઓએ કરેલા હત્યાકાંડમાં ડોમ્બિવલીના ત્રણ ​મિત્રો અતુલ મોને, હેમંત જોશી અને સંજય લેલેએ જીવ ગુમાવ્યા હતા. એ ત્રણેના એકસાથે ડોમ્બિવલીના ભાગશાળા મેદાનમાં અંતિમ​ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


ભારતીય જનતા પાર્ટીના ડોમ્બિવલીના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણે એવી માગણી કરી છે કે ભાગશાળા મેદાનમાં તેમની યાદમાં એક મેમોરિયલ બનાવવામાં આવે. તેમણે કહ્યું હતું કે ‘અતુલ મોને, હેમંત જોશી અને સંજય લેલે નિર્દોષ નાગરિકો હતા જેઓ આતંકવાદીઓનો શિકાર બન્યા હતા. ડોમ્બિવલીના નાગરિકોમાં તેમની યાદ જ‍ળવાઈ રહે એ માટે શ્રદ્ધાંજલિ આપતાં તેમને જ્યાં અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા એ ભાગશાળા મેદાનમાં જ એક મેમોરિયલ બનાવવામાં આવે. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન કમિશનર અભિનવ ગોયલ આ બાબતે પગલાં લે.’


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2025 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK