Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકનાથ શિંદેએ પોતાના કૉર્પોરેટરોને ત્રણ દિવસ માટે તાજ લૅન્ડ્સ એન્ડમાં બોલાવી લીધા

એકનાથ શિંદેએ પોતાના કૉર્પોરેટરોને ત્રણ દિવસ માટે તાજ લૅન્ડ્સ એન્ડમાં બોલાવી લીધા

Published : 18 January, 2026 07:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉદ્ધવ ઠાકરેના સૂચક નિવેદનને પગલે હોટેલ પૉલિટિક્સ

એકનાથ શિંદે

એકનાથ શિંદે


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં એ પછી રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ એના તમામ નવા ચૂંટાયેલા કૉર્પોરેટરોને બાંદરાની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી શહેરમાં હોટેલ પૉલિટિક્સની નવી અટકળો શરૂ થઈ છે.

સૂત્રોએ આપેલી માહિતી મુજબ શિવસેનાના તમામ વિજેતા કૉર્પોરેટરોને શનિવારે બપોરે ૩ વાગ્યા સુધીમાં તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પાર્ટીનું નેતૃત્વ કૉર્પોરેટરોને આગામી ૩ દિવસ હોટેલમાં રાખે એવી શક્યતા છે. ભગવાનની ઇચ્છા હશે તો અમારો મેયર બનશે એવું ઉદ્ધવ ઠાકરે બોલ્યા અને એકનાથ શિંદેએ કૉર્પોરેટરોને હોટેલમાં ખસેડ્યા એ વચ્ચે કનેક્શન જોવામાં આવી રહ્યું છે. 



BJP સાથે મહાયુતિ છતાં કોઈ કૉર્પોરેટર પક્ષપલટો ન કરે એ માટે તેમ જ ચૂંટણી પછીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા અને મેયર તથા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં અન્ય મુખ્ય હોદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકનાથ શિંદે કૉર્પોરેટરો સાથે અનેક બેઠકો કરે એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK