સાકિબના પાર્થિવ દેહને રવિવારે રાત્રે દિલ્હીથી મુંબઈ લઈ જવામાં આવ્યો હતો અને પડઘા સ્થિત તેના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો, જ્યાં સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓ રાતોરાત તહેનાત હતા. સવારે ૧૦ થી ૧૦.૩૦ વાગ્યાની આસપાસ સ્થાનિક કબ્રસ્તાનમાં તેની ક્રિયા થઈ.
સાકિબ નાચન
મહારાષ્ટ્રના થાણેથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ૨૦૨૩ ના ISIS મોડ્યુલ કેસમાં NIA દ્વારા ધરપકડ કરાયેલા અને દિલ્હીમાં મગજના રક્તસ્રાવને કારણે મૃત્યુ પામેલા સાકિબ નાચનના અંતિમ સંસ્કારમાં ૧,૨૦૦ થી વધુ લોકો હાજર રહ્યા હતા. સોમવારે સવારે થાણે જિલ્લાના પડઘામાં ભારે પોલીસ સુરક્ષા હેઠળ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેમાં તેનો પુત્ર શામિલ નાચન પણ હાજર રહ્યો હતો. ISIS મોડ્યુલ કેસમાં આરોપી શામિલ, હાલમાં તળોજા જેલમાં બંધ છે. તેને તેના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની પરવાનગી આપવામાં આવી હતી અને નવી મુંબઈ પોલીસના રક્ષણ હેઠળ પડઘા લાવવામાં આવ્યો હતો.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, સાકિબના પાર્થિવ દેહને રવિવારે રાત્રે દિલ્હીથી મુંબઈ લઈ જવામાં આવ્યો હતો અને પડઘા સ્થિત તેના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો, જ્યાં સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓ રાતોરાત તહેનાત હતા. સવારે ૧૦ થી ૧૦.૩૦ વાગ્યાની આસપાસ સ્થાનિક કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન બોરીવલીમાં ઘણી દુકાનો બંધ રાખવામાં આવી હોવાના અહેવાલ છે, જોકે પડઘામાં વ્યવસાયો રાબેતા મુજબ ખુલ્લા રહ્યા હતા. મુંબઈ-નાસિક હાઈવે પર પડઘા ટોલ પ્લાઝાથી કબ્રસ્તાન સુધીના માર્ગ પર પોલીસ અધિકારીઓ અને વૅન તહેનાત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
Bhiwandi, Maharashtra: Terror accused Saquib Nachan, who died during treatment after a brain hemorrhage in Tihar Jail, was brought to his native Borivali village. His funeral is scheduled for June 30. Authorities have enforced tight security to prevent any untoward incidents pic.twitter.com/R39R8aVaEQ
— IANS (@ians_india) June 30, 2025
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે લોકો ધીમે ધીમે અંતિમ વિદાય આપવા માટે કબ્રસ્તાન પર એકઠા થયા હતા, અને ઘણા લોકો શામિલ નાચનની એક ઝલક જોવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા. "એવી અટકળો છે કે શામિલ સાકિબના ઉત્તરાધિકારી તરીકે ઉભરી શકે છે, જે સમારોહ દરમિયાન તેને મળેલા ધ્યાનના આધારે છે", એક અધિકારીએ જણાવ્યું હતું. પડઘામાં અગાઉ તહેનાત એક પોલીસ ઇન્સ્પેક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વિભાગે 2,000 થી 3,000 લોકોની ભીડનો અંદાજ લગાવ્યો હતો પરંતુ તેમાં 1,200 થી વધુ લોકો હાજર રહ્યા હતા. "અંતિમ યાત્રા કોઈપણ ખલેલ વિના શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી," અધિકારીએ જણાવ્યું હતું, અને ઉમેર્યું હતું કે પડઘા અને બોરીવલીમાં ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો.
અંતિમ સંસ્કાર પછી, શામિલ સવારે 11:35 વાગ્યે પોલીસ દ્વારા પાછા લઈ જવામાં આવતા પહેલા પરિવારના સભ્યો સાથે ટૂંકી મુલાકાત કરી હતી. સ્થાનિક રહેવાસીઓએ 63 વર્ષીય સાકિબ નાચનને વિસ્તારના જાણીતા વ્યક્તિ તરીકે વર્ણવી હતી. પ્રતિબંધિત સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI) ના ભૂતપૂર્વ પદાધિકારી, સાકિબ હાઇ-પ્રોફાઇલ દિલ્હી-પડઘા ISIS આતંકવાદી મોડ્યુલ કેસમાં મુખ્ય આરોપીઓમાંનો એક હતો. શનિવારે બ્રેઇન સ્ટ્રોકને કારણે દિલ્હીમાં તેનું અવસાન થયું હતું.

