Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાશિક જવા ભારે વાહનો માટે કસારા ઘાટ ગુરુવાર સુધી બંધ

નાશિક જવા ભારે વાહનો માટે કસારા ઘાટ ગુરુવાર સુધી બંધ

Published : 25 February, 2025 07:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્યાર બાદ આવતા સોમવારથી ચાર દિવસ માટે ફરી બંધ રાખવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મૉન્સૂન વખતે ભેખડો ધસી ન પડે અને વર્ષો જૂનાં મહાકાય વૃક્ષો તૂટી ન પડે એ માટે મૉન્સૂન પહેલાંની તૈયારી માટે કામ કરવાનું હોવાથી મુંબઈ-આગરા નૅશનલ હાઇવે પર નાશિક તરફ જતો જૂનો કસારા ઘાટ ગુરુવાર સુધી બંધ છે. એ પછી ફરી ત્રીજીથી છઠ્ઠી માર્ચ બંધ રહેશે. આ દરમ્યાન મુંબઈથી નાશિક જવા માગતાં લાઇટ મોટર વેહિકલ્સે નાશિકથી મુંબઈ આવતા રસ્તે નાશિક તરફ જવાનું રહેશે. એ રસ્તા પર હેવી વેહિકલ્સ માટે બંધી મૂકી દેવામાં આવી છે. વળી નાશિકથી મુંબઈ આવવાના રસ્તે બન્ને બાજુનાં વાહનોની અવરજવર ચાલુ રાખવાની હોવાથી એમાં પણ વધુ સમય લાગશે. એથી વાહનચાલકોએ એની ગણતરી કરીને નીકળવું એમ નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું. ​


જે હેવી વેહિકલ્સને મુંબઈથી નાશિક જવું હોય એણે મુંબઈ-પુણે એક્સપ્રેસવેથી પુણે જઈ પુણે-નાશિક રોડથી નાશિક પહોંચવાનું રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2025 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK