તપાસ દરમિયાન ચેતન ચૌધરીનો વધુ એક મિત્રનું નામ સામે આવ્યું છે. મૂળ મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો રહેવાસી, તે હાલમાં પુણેના બાલેવાડીમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. ચેતન અને સિયાએ કેતનને મારી નાખવાની યોજના તેની સાથે શૅર કરી હતી.
સિયા ગોયલ
કેતન અગ્રવાલના મૃત્યુની તપાસમાં રોજે નવા વળાંક આવી રહ્યા છે. પોલીસ તપાસના ભાગ રૂપે મુખ્ય આરોપી સિયા ગોયલને તેના ઘરે અને અન્ય સ્થળોએ લઈ ગઈ હતી, પરંતુ કૅમેરા સામે તેણે કરેલો એક ઈશારો પણ ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાન, તપાસ દરમિયાન ત્રીજા યુવાનનું નામ સામે આવ્યું છે. આ વ્યક્તિ મુખ્ય આરોપી ચેતન ચૌધરીની સહાધ્યાયી છે અને ઘટના પહેલા તેને સમગ્ર યોજનાની જાણ કરવામાં આવી હતી. ગુરુવારે, જ્યારે પોલીસ સિયા ગોયલને તેના ઘરમાંથી બહાર લાવી ત્યારે મીડિયા કૅમેરા સામે સિયાએ પોતાની વચલી આંગળી બતાવીને ઈશારો કર્યો. આ ઘટનાના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ કરી કર્યો. જોકે, પોલીસે આ વર્તન અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, અને તપાસ હત્યા કેસ પર કેન્દ્રિત છે. તે જ સમયે, પુણે ગ્રામીણ પોલીસ આ હાઇ-પ્રોફાઇલ કેસના દરેક પાસાને એકસાથે લાવવા માટે કામ કરી રહી છે. અત્યાર સુધી એકત્ર કરાયેલા પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે, અને ઘટનાઓના ક્રમને વધુ સારી રીતે સમજવા માટે સિયા અને ચેતનને અલગ-અલગ સ્થાન પર લઈ જઈને ગુનાના દ્રશ્યનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું.
તપાસમાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રી
ADVERTISEMENT
તપાસ દરમિયાન ચેતન ચૌધરીનો વધુ એક મિત્રનું નામ સામે આવ્યું છે. મૂળ મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો રહેવાસી, તે હાલમાં પુણેના બાલેવાડીમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. ચેતન અને સિયાએ કેતનને મારી નાખવાની યોજના તેની સાથે શૅર કરી હતી. વધુમાં, તેને 18 જૂને લોહગઢ કિલ્લામાં તેમની સાથે જવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે ગયો ન હતો. પોલીસ હાલમાં આ દાવાઓની ચકાસણી કરવા માટે તેની પૂછપરછ કરી રહી છે. પૂછપરછમાં એ પણ બહાર આવ્યું છે કે યુવકે બન્નેને હત્યા ન કરવાની સલાહ આપી હતી. તપાસ એજન્સીઓ હવે કાવતરા અંગે તેને જાણકારી કેટલી છે અને ઘટના પછી આરોપીઓ સાથેની તેની શું વાતચીત થઈ છે તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. કેતનના મૃત્યુ પછી, ચેતન પહેલા આ યુવાનને મળ્યો હતો; સિયા પણ તેના સંપર્કમાં હતી. પોલીસ આ દાવાઓને સાબિત કરવા કૉલ રેકોર્ડ, ડિજિટલ ચૅટ અને અન્ય ટૅકનિકલ પુરાવાઓની ક્રૉસ-વૅરિફિકેશન કરી રહી છે.
View this post on Instagram
પોલિગ્રાફ ટેસ્ટ માટે કોર્ટનો સંપર્ક
તપાસને આગળ વધારવા માટે, પુણે ગ્રામીણ પોલીસે વડગાંવ માવલ કોર્ટ પાસેથી સિયા ગોયલ અને ચેતન ચૌધરી પર પોલિગ્રાફ ટેસ્ટ કરાવવાની પરવાનગી માગી છે. પોલીસનું કહેવું છે કે કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા પછી અને આરોપીઓ તેમની સંમતિ આપે પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીગ્રાફ ટેસ્ટ દ્વારા, તપાસ એજન્સીઓ પૂછપરછ દરમિયાન આપવામાં આવેલા નિવેદનો અને ઉપલબ્ધ પુરાવાઓ વચ્ચે સુસંગતતા ચકાસવાનો પ્રયાસ કરે છે. સિયાના પુણે સ્થિત નિવાસસ્થાનની તપાસ દરમિયાન, પોલીસે 18 જૂનના રોજ તેણે કથિત રીતે પહેરેલા કપડાં જપ્ત કર્યા. આ કપડાંને અન્ય ઉપલબ્ધ પુરાવાઓ સાથે સરખામણી કરવા માટે ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવશે. આ કેસમાં નોંધપાત્ર પ્રમાણમાં ટૅકનિકલ અને ડિજિટલ પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. આમાં મોબાઇલ ફોન ડેટા, સ્થાનની વિગતો, કૉલ રેકોર્ડ, ચૅટ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો સમાવેશ થાય છે. ઘટનાઓની ચોક્કસ સમયરેખા સ્થાપિત કરવા માટે આ બધાની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.
