Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છગન ભુજબળના ભત્રીજા સમીરે NCPમાં બળવો કર્યો

છગન ભુજબળના ભત્રીજા સમીરે NCPમાં બળવો કર્યો

Published : 25 October, 2024 11:55 AM | Modified : 25 October, 2024 11:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાયુતિમાં બળવો કરનારા પર નિયંત્રણ રાખવાની અમિત શાહની સલાહ નકામી: નાશિકની નાંદગાવ વિધાનસભા બેઠક પરથી ૨૮ ઑક્ટોબરે ઉમેદવારી નોંધાવવાનું જાહેર કર્યું

સમીર ભુજબળ

સમીર ભુજબળ


મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ગઈ કાલે ઘોંચમાં પડેલી બેઠકોની સમજૂતી માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અમિત શાહ સાથે ત્રણ કલાક ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં અમિત શાહે ત્રણે નેતાઓને બળવા પર નિયંત્રણ રાખવાની સલાહ આપી હતી. જોકે એના ગણતરીના કલાકમાં જ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા છગન ભુજબળના ભત્રીજા સમીર ભુજબળે ગઈ કાલે NCPમાંથી રાજીનામું આપ્યું હતું અને નાશિક જિલ્લાના નાંદગાવમાં મહાયુતિમાંથી જાહેર કરવામાં આવેલા શિવસેનાના ઉમેદવાર સુહાસ કાંદે સામે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. સમીર ભુજબળ ભૂતપૂર્વ સંસદસભ્ય છે અને તેમણે વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હોવા છતાં તેમને ટિકિટ ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK