Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવતાં ૪૮ કલાકમાં ૭૩૮૯ બૅનર-હોર્ડિંગ્સ કાઢવામાં આવ્યાં

ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવતાં ૪૮ કલાકમાં ૭૩૮૯ બૅનર-હોર્ડિંગ્સ કાઢવામાં આવ્યાં

Published : 18 October, 2024 11:04 AM | Modified : 18 October, 2024 11:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં આચારસંહિતા અમલમાં મુકાયા બાદ ૪૮ કલાકમાં દરેક વૉર્ડમાંથી રાજકીય પક્ષોનાં ૭૩૮૯ બૅનર અને હોર્ડિંગ્સ દૂર કરાયાં હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈમાં ગઈ કાલે એક બૅનર કાઢી રહેલો BMCનો કર્મચારી.

મુંબઈમાં ગઈ કાલે એક બૅનર કાઢી રહેલો BMCનો કર્મચારી.


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મુંબઈમાં આચારસંહિતા અમલમાં મુકાયા બાદ ૪૮ કલાકમાં દરેક વૉર્ડમાંથી રાજકીય પક્ષોનાં ૭૩૮૯ બૅનર અને હોર્ડિંગ્સ દૂર કરાયાં હોવાનું જાણવા મળ્યું હતું. ૧૫ ઑક્ટોબરે ચૂંટણીની જાહેરાત થયા બાદ આચારસંહિતાનો ભંગ થવા બાબતની ફરિયાદ મતદાર હેલ્પલાઇન નંબર ૧૯૫૦માં આવવા લાગી છે. આથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બૅનર અને હોર્ડિંગ્સ કાઢવાની શરૂઆત કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2024 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK