જોકે સાથે જ આ નિર્ણયને કાયમી ધોરણે દાખલારૂપ ન ગણવો એવી સ્પષ્ટતા કરી
શ્રીકાંત શિંદે
ડોમ્બિવલીમાં સદીઓ જૂના પિંપળેશ્વર મહાદેવ મંદિર માટે મોટી રાહત આપતાં મહારાષ્ટ્રની કૅબિનેટે મંગળવારે મંદિર ટ્રસ્ટને ૪ એકર ૨૫ ગૂંઠા જમીન નજીવા દરે નિયમિત કરવા અને ફાળવવાને મંજૂરી આપી હતી. કલ્યાણના સંસદસભ્ય શ્રીકાંત શિંદે રાજ્ય સરકાર સાથે ઘણાં વર્ષોથી આ બાબતે ફૉલોઅપ કરી રહ્યા હતા અને સતત પ્રયાસો કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ડોમ્બિવલી MIDC પટ્ટાના સાગાંવ-સોનારપાડા વિસ્તારમાં આવેલી આ જમીન લાંબા સમયથી પિંપળેશ્વર દેવસ્થાન મંદિર ટ્રસ્ટના ઉપયોગ હેઠળ છે. જોકે ટ્રસ્ટ વર્ષોથી અતિક્રમણ કરાયેલા પ્લૉટની કાનૂની માલિકી અને નિયમિત થવાની રાહ જોઈ રહ્યું હતું. કૅબિનેટે હવે ઔપચારિક મંજૂરી આપતાં ટ્રસ્ટ મંદિર સાથે જોડાયેલી સામાજિક, ધાર્મિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે જમીનનો સત્તાવાર રીતે ઉપયોગ કરી શકશે.
