આ ઠરાવમાં બધા માંસ વેચનારાઓ માટે મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. NOC વગર અથવા ખુલ્લી જગ્યાઓમાં માંસ વેચવા બદલ રૂ. 25,000 નો દંડ ફટકારવામાં આવશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર (મિડ-ડે)
મહારાષ્ટ્રમાં મીરા-ભાયંદર મ્યુનિસિપલ કૉર્પોરેશને હાઉસિંગ સોસાયટીઓ, ઘરો, દુકાનો અને જાહેર રસ્તાઓ પર બકરા રાખવા અને તેમની કુરબાની (ધાર્મિક બલી) પર પ્રતિબંધ મૂક્યો છે. શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મંગળવારે આ અંગે એક ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવમાં રસ્તાઓ પર રખડતા પ્રાણીઓને ખોરાક આપવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કૉર્પોરેશને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ઉદ્ભવતા વિવાદોને આ પગલાનું કારણ ગણાવ્યું છે. મીરા-ભાયંદર મુંબઈની બહાર આવેલું છે.
મીરા રોડની ઘટના બાદ આ નિર્ણય
ADVERTISEMENT
લગભગ ચાર મહિના પહેલા મીરા રોડની એક હાઉસિંગ સોસાયટીમાં 40 થી 50 બકરીઓને ધાર્મિક કતલ માટે લાવવામાં આવ્યા બાદ કોમી તણાવ નિર્માણ થયો હતો. તે ઘટના બાદ, હિન્દુ સંગઠનોના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા, અને મ્યુનિસિપલ અધિકારીઓએ ત્યારબાદ બકરાને રાખવા માટે બાંધવામાં આવેલા કામચલાઉ બાંધકામોને તોડી પાડ્યા હતા કર્યા હતા. નવા ઠરાવ હેઠળ, હાઉસિંગ સોસાયટીઓ, ઘરો, દુકાનો અને રસ્તાઓ પર બકરા રાખવા અને તેમની કતલ કરવા પર હવે પ્રતિબંધ છે.
માંસ વેચનારાઓ માટે NOC ફરજિયાત
આ ઠરાવમાં બધા માંસ વેચનારાઓ માટે મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. NOC વગર અથવા ખુલ્લી જગ્યાઓમાં માંસ વેચવા બદલ રૂ. 25,000 નો દંડ ફટકારવામાં આવશે. રસ્તા પરથી દેખાતા વિસ્તારોમાં માંસ અથવા પ્રાણીઓના ભાગો પ્રદર્શિત કરવા પર પણ પ્રતિબંધ છે. માંસની દુકાનોએ હવે અપારદર્શક અથવા રંગીન કાચ લગાવવા જરૂરી છે. પહેલી વખત ઉલ્લંઘન કરવા બદલ રૂ. 25,000 નો દંડ ફટકારવામાં આવશે. વારંવાર ઉલ્લંઘન કરવાથી લાઇસન્સ કાયમી ધોરણે રદ થઈ શકે છે, અને ફોજદારી કેસ પણ નોંધાઈ શકે છે.
રખડતા પ્રાણીઓને ખવડાવવા પર પ્રતિબંધ
મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઠરાવ મુજબ, રસ્તાઓ પર, જાહેર ચોક પર અને શાળાઓ, હૉસ્પિટલો અને રમતના મેદાનોની નજીક રખડતા પ્રાણીઓને ખવડાવવા પર પણ પ્રતિબંધ છે. રખડતા પ્રાણીઓને હવે ફક્ત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નિયુક્ત સ્થળોએ જ ખવડાવી શકાશે. ધાર્મિક કાર્યક્રમો સાથે સંકળાયેલા વારંવાર થતા વિવાદો અને જાહેર વ્યવસ્થાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કૉર્પોરેશને આ નિયમો પ્રસ્તાવિત કર્યા છે.
જાહેર સ્થળોએ કે રસ્તા પર નમાઝ સામે કિરીટ સોમૈયાનુ આક્રમક વલણ, આ મુદ્દા રજૂ કર્યા
બકરી ઈદના વિવાદ બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને રસ્તા પર નમાઝ પઢવા અંગે પત્રો લખ્યા છે. આ પત્રોમાં તેમણે રસ્તા પર નમાઝ પઢવાની પ્રથા તાત્કાલિક બંધ કરવાની માગ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે મુંબઈ જેવા શહેરમાં રસ્તાઓ પર નમાઝ પઢવાની મંજૂરી આપવી એ એક ગંભીર મુદ્દો છે. કિરીટ સોમૈયાએ જણાવ્યું છે કે શેરીઓમાં નમાઝ પઢવાથી રોકવાની જવાબદારી મુંબઈ પોલીસ કમિશનર, ટ્રાફિક પોલીસના સંયુક્ત કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરની છે. તેમણે માગ કરી છે કે આ પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે. તેમણે એ હકીકત તરફ ધ્યાન દોર્યું કે "ઘણી જગ્યાએ, રેલવે સ્ટેશનોની બહાર જ નમાઝ પઢવામાં આવે છે, જેના કારણે ટ્રાફિક જામ થાય છે. શુક્રવારે કામકાજના દિવસે બપોરે મધ્યરાત્રિએ પણ, રસ્તાઓ, સ્ટેશનોની બહાર અને વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં આ રીતે નમાઝ પઢવામાં આવે છે."
