Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મંત્રાલયની પાણીની ટાંકીમાં બિલાડી પડી હોવાની અફવા ફેલાઈ

મંત્રાલયની પાણીની ટાંકીમાં બિલાડી પડી હોવાની અફવા ફેલાઈ

Published : 29 April, 2026 09:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા મેસેજ સંદર્ભે PWDએ ખુલાસો કર્યો કે આ વાત ખોટી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મંત્રાલયની પીવાના પાણીની ટાંકીમાં બિલાડી પડીને મૃત્યુ પામી હોવાના સમાચાર સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ મહારાષ્ટ્રના પબ્લિક વર્ક્‍સ ડિપાર્ટમેન્ટ (PWD)એ મંગળવારે આ સમાચાર પાયાવિહોણા ગણાવીને એને ફગાવી દીધા છે.

PWDએ સ્પષ્ટતા કરી હતી કે ‘મંત્રાલયના બિલ્ડિંગની ટેરેસ પર આવેલી તમામ ટાંકીઓ દસથી ૧૨ ફુટ ઊંચી છે અને એ ભારે લોખંડનાં ઢાંકણાંથી હંમેશાં સુરક્ષિત રીતે બંધ રહે છે. ટેરેસ પર જવાના દરવાજા હંમેશાં લૉક હોય છે અને ત્યાં અવરજવર પર પ્રતિબંધ હોવાથી કોઈ પણ પ્રાણીનું ટાંકી સુધી પહોંચવું કે અંદર પડવું અશક્ય છે.’



ગયા વીક-એન્ડમાં મંત્રાલયની ટાંકીની સફાઈ તેમ જ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું છતાં છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે ટાંકીમાં બિલાડી પડવાને કારણે પાણી દૂષિત થયું છે. PWDએ સ્પષ્ટ કર્યું હતું કે આ મેસેજ અફવા છે અને કર્મચારીઓએ કે નાગરિકોએ એના પર વિશ્વાસ કરવો નહીં. મંત્રાલયમાં પીવાનું પાણી સંપૂર્ણપણે સુરક્ષિત છે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK