Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મરાઠા નેતા મનોજ જરાંગે આવતી કાલથી તડકામાં બેસીને ભૂખહડતાળ કરશે, કોઈ તંબુ નહીં અને કોઈ છાપરું નહીં

મરાઠા નેતા મનોજ જરાંગે આવતી કાલથી તડકામાં બેસીને ભૂખહડતાળ કરશે, કોઈ તંબુ નહીં અને કોઈ છાપરું નહીં

Published : 29 May, 2026 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો હું ગરમીને કારણે મરી ગયો તો મુખ્ય પ્રધાન અને સરકાર જવાબદાર રહેશે

મનોજ જરાંગે

મનોજ જરાંગે


મરાઠા અનામત માટે આંદોલન ચલાવી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગેએ ગુરુવારે જણાવ્યું હતું કે જો મને અનિશ્ચિત ભૂખહડતાળ દરમ્યાન સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થાય તો મહારાષ્ટ્ર સરકાર જવાબદાર રહેશે. તેમણે ૩૦ મેએ ઉનાળાના તડકામાં બેસીને અનશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. મનોજ જરાંગેએ અગાઉ કહ્યું હતું કે તેમના સમુદાય માટે કરેલી માગણીઓ પૂરી ન થતાં તે ઉપવાસ શરૂ કરશે. મહારાષ્ટ્ર સરકારને તેમણે મરાઠવાડામાં કુણબી જાતિ પ્રમાણપત્રો ડિસ્ટ્રિબ્યુટ કરવા માટે ૨૯ મેની સમયમર્યાદા આપી હતી.

મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘મેં ચર્ચા માટે પહેલેથી જ પૂરતો સમય આપ્યો હતો. હવે કડક વલણ અપનાવવાનો સમય આવી ગયો છે. જો હું ગરમીને કારણે મરી જઈશ તો મુખ્ય પ્રધાન અને સરકાર જવાબદાર રહેશે. અંતરવાલી સરાટી ગામનું આ આંદોલન દેશમાં જોવા મળતા કોઈ પણ વિરોધ-પ્રદર્શનથી અલગ હશે. આ વખતે હું કોઈ આશ્રય નીચે બેસવાનો નથી. ત્યાં કોઈ તંબુ નહીં હોય, કોઈ છાંયો નહીં હોય. હું વિરોધ દરમ્યાન પાણી, ખોરાક અને પગરખાં પણ છોડી દઈશ. કાં તો સરકાર કાર્યવાહી કરશે, નહીંતર હું મરી જઈશ.’   


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK